ETV Bharat / state

બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જાણો દાદા સાહેબનું ગુજરાત કનેક્શન

author img

By

Published : Sep 27, 2019, 12:16 PM IST

ગોધરાઃ કેન્દ્ર સરકાર દ્વારા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે, જે નામે આ ઍવૉર્ડ અપાય છે તે દાદા સાહેબનું નામ વિશ્વમાં ખુબ જ મોટું માનવામાં આવે છે. ગુજરાતના અંતરિયાળ જિલ્લાનું એક ગામ દાદા સાહેબની કારકિર્દીની શરૂઆતનું સાક્ષી છે. બોલીવુડનું સર્વોચ્ચ સન્માન જેમના નામ પરથી મળે છે અને દિગજ્જ એવા દાદા સાહેબ ફાળકેનો ગુર્જરધરા સાથે અનોખો નાતો હતો. જુઓ આ અહેવાલમાં...

Dada Saheb Phalke Award

દાસાહેબ ફાળકેનો પ્રથમ ફોટો સ્ટુડિયો ગોધરાના રેલ્વે સ્ટેશનથી થોડે દૂર આવેલ ગીદવાણી વિસ્તારમાં શરૂ થયો હતો. ગોધરાના જહૂરપુરા શાક માર્કેટ પાસે વર્ષો જૂનું એક મકાન છે. હાલ આ મકાનમાં રહેતો દેસાઈ પરિવાર આજે પણ દાદા સાહેબ ફાળકેના ફોટો સ્ટુડીઓની ગવાહી આપે છે. દાદા સાહેબ અને દેસાઈ પરિવાર વચ્ચેના પારિવારિક સંબધોની અને જેતે સમયે દાદા સાહેબ ફાળકેએ પોતાના કેમેરામાં કંડારેલી દેસાઈ પરિવારની તસવીરો આજે પણ આ પરિવાર પાસે મોજુદ છે. ગોધરાના આ મકાનમાં દેસાઈ પરિવારની ચોથી પેઢીના સુધીરભાઈ દેસાઈ પોતાના પરિવાર સાથે રહે છે.

બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જાણો દાદા સાહેબનું ગુજરાત કનેક્શન

આમ, ગોધરામાં પ્રથમ ફોટો સ્ટુડીઓ શરુ કરી અને ફોટોગ્રાફીની દુનિયામાં પ્રથમ કદમ મૂકનાર દાદા સાહેબનો ગોધરા સુધી લંબાવવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પાસે જઈ દાદા સાહેબે ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઇ સયાજીરાવ ગાયકવાડે કલા ભવન ખાતે ફોટોગ્રાફીનો કોર્ષ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. જ્યાં દાદા સાહેબે ફોટો ગ્રાફીનો કોર્ષ પૂર્ણ કર્યો હતો. કોર્ષ પૂર્ણ થતા પોતાનો ફોટો સ્ટુડીઓ શરુ કરવાનો વિચાર કરી સૌપ્રથમ ગોધરાને પસંદ કર્યું હતું.

અહીં પ્રથમ ફોટો સ્ટુડીઓ ઇસ.1895માં શરુ કર્યો હતો, પરંતુ પંચમહાલ જિલ્લો અતિ પછાત હોવાના કારણે ફોટો સ્ટુડીઓ શરુ કર્યા પછી દાદા સાહેબને પુરતી સફળતા મળી નહોતી. જેથી તેઓએ ગોધરા છોડી પુણે તરફ કૂચ કરી હતી. આમ દાદા સાહેબે પોતાની ફોટોગ્રાફીની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી જ કરી હતી. દેસાઈ પરિવારના સભ્યો આજે લેખક તેમજ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ડાયરેક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં તેઓ પોતાની સફળતા અને આ વ્યવસાયનો શ્રેય દાદા સાહેબ ફાડકેને આપી રહ્યા છે. હાલ હયાત સુધીરભાઈના દાદા રાવ સાહેબ દેસાઈ સાથે મુલાકાત થઈ, તે સમયે રાવ સાહેબ દેસાઈ 22 ગામના સૌથી ધનવાન વ્યક્તિ હતા.

દાદા સાહેબે ફોટો સ્ટુડિઓ શરુ કરવા માટે દેસાઈ સાહેબ પાસે જગ્યાની માંગણી કરી હતી, જ્યાં તેઓને હાલ ગીદવાણી રોડના નામે ઓળખાતા વિસ્તારમાં જગ્યા આપી હતી. ઉલ્લેખનીય છે કે, આમ તો ગોધરા શહેરની વાત આવે તો 2002નું ગોધરા કાંડ જ યાદ આવે છે, પરંતુ આજે ગોધરાનું નામ દાદા સાહેબ ફાળકે જેવા મહાન વ્યક્તિ સાથે લેવાતા ગોધરાના નગરજનો ખુશી અને ગર્વ અનુભવી રહ્યા છે.

દાસાહેબ ફાળકેનો પ્રથમ ફોટો સ્ટુડિયો ગોધરાના રેલ્વે સ્ટેશનથી થોડે દૂર આવેલ ગીદવાણી વિસ્તારમાં શરૂ થયો હતો. ગોધરાના જહૂરપુરા શાક માર્કેટ પાસે વર્ષો જૂનું એક મકાન છે. હાલ આ મકાનમાં રહેતો દેસાઈ પરિવાર આજે પણ દાદા સાહેબ ફાળકેના ફોટો સ્ટુડીઓની ગવાહી આપે છે. દાદા સાહેબ અને દેસાઈ પરિવાર વચ્ચેના પારિવારિક સંબધોની અને જેતે સમયે દાદા સાહેબ ફાળકેએ પોતાના કેમેરામાં કંડારેલી દેસાઈ પરિવારની તસવીરો આજે પણ આ પરિવાર પાસે મોજુદ છે. ગોધરાના આ મકાનમાં દેસાઈ પરિવારની ચોથી પેઢીના સુધીરભાઈ દેસાઈ પોતાના પરિવાર સાથે રહે છે.

બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જાણો દાદા સાહેબનું ગુજરાત કનેક્શન

આમ, ગોધરામાં પ્રથમ ફોટો સ્ટુડીઓ શરુ કરી અને ફોટોગ્રાફીની દુનિયામાં પ્રથમ કદમ મૂકનાર દાદા સાહેબનો ગોધરા સુધી લંબાવવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પાસે જઈ દાદા સાહેબે ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઇ સયાજીરાવ ગાયકવાડે કલા ભવન ખાતે ફોટોગ્રાફીનો કોર્ષ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. જ્યાં દાદા સાહેબે ફોટો ગ્રાફીનો કોર્ષ પૂર્ણ કર્યો હતો. કોર્ષ પૂર્ણ થતા પોતાનો ફોટો સ્ટુડીઓ શરુ કરવાનો વિચાર કરી સૌપ્રથમ ગોધરાને પસંદ કર્યું હતું.

અહીં પ્રથમ ફોટો સ્ટુડીઓ ઇસ.1895માં શરુ કર્યો હતો, પરંતુ પંચમહાલ જિલ્લો અતિ પછાત હોવાના કારણે ફોટો સ્ટુડીઓ શરુ કર્યા પછી દાદા સાહેબને પુરતી સફળતા મળી નહોતી. જેથી તેઓએ ગોધરા છોડી પુણે તરફ કૂચ કરી હતી. આમ દાદા સાહેબે પોતાની ફોટોગ્રાફીની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી જ કરી હતી. દેસાઈ પરિવારના સભ્યો આજે લેખક તેમજ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ડાયરેક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં તેઓ પોતાની સફળતા અને આ વ્યવસાયનો શ્રેય દાદા સાહેબ ફાડકેને આપી રહ્યા છે. હાલ હયાત સુધીરભાઈના દાદા રાવ સાહેબ દેસાઈ સાથે મુલાકાત થઈ, તે સમયે રાવ સાહેબ દેસાઈ 22 ગામના સૌથી ધનવાન વ્યક્તિ હતા.

દાદા સાહેબે ફોટો સ્ટુડિઓ શરુ કરવા માટે દેસાઈ સાહેબ પાસે જગ્યાની માંગણી કરી હતી, જ્યાં તેઓને હાલ ગીદવાણી રોડના નામે ઓળખાતા વિસ્તારમાં જગ્યા આપી હતી. ઉલ્લેખનીય છે કે, આમ તો ગોધરા શહેરની વાત આવે તો 2002નું ગોધરા કાંડ જ યાદ આવે છે, પરંતુ આજે ગોધરાનું નામ દાદા સાહેબ ફાળકે જેવા મહાન વ્યક્તિ સાથે લેવાતા ગોધરાના નગરજનો ખુશી અને ગર્વ અનુભવી રહ્યા છે.

Intro: : કેન્દ્ર સરકાર દ્વારા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ફિલ્મ જગતમાં દાદા સાહેબનું નામ ખુબ જ મોટું માનવામાં આવે છે , ત્યારે ગુજરાતના અંતરિયાળ જિલ્લાનું ગામ દાદા સાહેબની કારકિર્દીની શરૂઆતનું સાક્ષી છે , જે આખી વાત સર્વ સામાન્ય નથી. બોલીવુડનું સર્વોચ્ચ સન્માન અને દિગજ્જ એવા દાદા સાહેબ ફાળકેનો ગુજરાતની ધરા સાથે શું હતો નાતો જાણીએ આ અહેવાલમાં
: દાદાસાહેબ ફાળકેનો પ્રથમ ફોટો સ્ટુડિયો ગોધરા ના રેલ્વે સ્ટેશનથી થોડે દુર આવેલ ગીદવાણીરોડ વિસ્તારમાં શરૂ થયો હતો. વાત માનવામાં ન આવે પરંતુ આ એક હકીકત છે. ગોધરા શહેરના જહૂરપુરા શાક માર્કેટ પાસે આવેલ વર્ષો જુનું એક મકાન આવેલું છે અને તે મકાનમાં રહેતો દેસાઈ પરિવાર આજે પણ દાદા સાહેબ ફાળકેના ફોટો સ્ટુડીઓની ગવાહી આપે છે , દાદા સાહેબ અને તેમના પરિવાર વચ્ચેના પારિવારિક સંબધોની અને જેતે સમયે દાદા સાહેબ ફાળકેએ પોતાના કેમેરામાં કંડારેલી દેસાઈ પરિવારની તસ્વીરો આજે પણ આ પરિવાર પાસે મોજુદ છે. ગોધરાના આ મકાનમાં રહેતા અને દેસાઈ  પરિવારની ચોથી પેઢી ધપાવતા સુધીર ભાઈ દેસાઈ પોતાના એક પુત્ર સંસ્કાર દેસાઈ તેમની બે પુત્રી અને પત્ની સાથે આજે આ મકાનમાં રહે છે સુધીર ભાઈ દેસાઈના જણાવ્યા મુજબ જે તે સમયે તેઓના પરિવારમાં  ધાર્મિક સહીત કાર્યકર્મના સમયે દાદા સાહેબ ફાળકે તેઓના ઘરે ફોટોગ્રાફી કરવા માટે આવતા જેમાંની કેટલીક તસ્વીરો આજે તેઓની પાસે છે , જેને લઇ દેસાઈ પરિવારના સભ્યો આજે હર્ષ અને ગર્વ અનુભવી રહ્યા છે. ગોધરામાં આવી પ્રથમ ફોટો સ્ટુડીઓ શરુ કરી ફોટોગ્રાફીની દુનિયામાં પ્રથમ કદમ મૂકી કારકિર્દી શરુ કરનાર દાદા સાહેબ ગોધરા સુધી લંબાવવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે,  વડોદરાના  સયાજીરાવ ગાયકવાડ પાસે જઈ દાદા સાહેબે ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેને લઇ સયાજી રાવ ગાયકવાડે કલા ભવન ખાતે ફોટોગ્રાફીનો કોર્ષ કરવાની વ્યવસ્થા કરી આપી હતી,જ્યાં દાદા સાહેબે ફોટો ગ્રાફીનો કોર્ષ પૂર્ણ કર્યો હતો કોર્ષ પૂર્ણ થતા પોતાનો ફોટો સ્ટુડીઓ શરુ કરવાનો વિચાર આવતા તેઓએ સૌ પ્રથમ ગોધરા પસંદ કર્યું હતું , જ્યાં આવી તેઓએ હાલ હયાત સુધીર ભાઈ દેસાઈના દાદા રાવ સાહેબ દેસાઈને મળ્યા હતા તે સમયે રાવ સાહેબ દેસાઈ 22 ગામો ધરાવતા સૌથી મોટા ધનવાન ગણાતા હતા તેઓને મળી દાદા સાહેબે ફોટો સ્ટુડીઓ શરુ કરવા માટે જગ્યાની માંગણી કરી હતી જ્યાં તેઓને હાલ ગીદવાણી રોડના નામે ઓળખાતા વિસ્તાર માં જગ્યા આપવામાં આવી હતી, જયા તેઓએ પ્રથમ ફોટો સ્ટુડીઓ ઇસ.1895માં  શરુ કર્યો હતો , પરંતુ  પંચમહાલ  જીલ્લો અતિ પછાત હોવાના કારણે  ફોટો સ્ટુડીઓ શરુ કર્યા પછી દાદા સાહેબને પુરતી સફળતા મળી ન હતી જેથી તેઓએ ગોધરા છોડી પુણે તરફ કુચ કરી હતી. આમ દાદા સાહેબે પોતાની ફોટોગ્રાફીની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી જ કરી હતી , દેસાઈ  પરિવારના સભ્યો આજે લેખક તેમજ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ડાયરેક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે જેમાં તેઓ પોતાની સફળતા અને આ વ્યવસાયનો શ્રેય દાદા સાહેબ ફાડકેને આપી રહ્યા છે,  ઉલ્લેખનીય છે કે  આમ તો ગોધરા શહેરની વાત આવે તો 2002નું ગોધરા કાંડ જ યાદ આવે છે પરંતુ આજે ગોધરાનું નામ દાદા સાહેબ ફાળકે જેવા મહાન વ્યક્તિ સાથે લેવાતા ગોધરાના નગરજનો ખુશી અને ગર્વ અનુભવી રહ્યા છે.



બાઈટ : ડો.સુધીર દેસાઈ , દાદા સાહેબને સ્ટુડિયો માટે મદદ કરનારના પરિજન 

Body:એપ્રુવ assimentConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.