ETV Bharat / state

ભુમાફિયાઓ દ્વારા ભૂસ્તરશાસ્ત્રી અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરાવતા હોવાની ચોકાવનારી હકીકત સામે આવી

author img

By

Published : Feb 18, 2023, 8:22 PM IST

નવસારી જિલ્લામાં રેતી, માટી, કપચીનો વેપાર કરતા ભૂમાફિયાઓ માણસો રોકીને વ્હોટસએપ ગ્રુપ દ્વારા નવસારી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સહિત અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરાવતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. નવસારી ભૂસ્તર વિભાગ દ્વારા બે શંકાસ્પદ ઈસમોને પકડી તેમના મોબાઈલમાં ચાલતા 5 વ્હોટસએપ ગ્રુપના એડમિન સામે ફરિયાદ આપી કાર્યવાહી કરતા પોલીસ હરકતમાં આવી છે.

ભુમાફિયાઓ દ્વારા ભૂસ્તરશાસ્ત્રી અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરાવતા હોવાની ચોકાવનારી હકીકત સામે આવી
ભુમાફિયાઓ દ્વારા ભૂસ્તરશાસ્ત્રી અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરાવતા હોવાની ચોકાવનારી હકીકત સામે આવી
ભુમાફિયાઓ દ્વારા ભૂસ્તરશાસ્ત્રી અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરાવતા હોવાની ચોકાવનારી હકીકત સામે આવી

નવસારી : નવસારી જિલ્લા ભુસ્તાશસ્ત્રી સહિત સર્વેયર, રોયલ્ટી ઇન્સ્પેકટર, માઇન સુપરવાઈઝર, ક્લાર્ક, ગનમેન, સિક્યુરિટી ગાર્ડ તમામની માણસો રોકી અલગ અલગ વ્હોટસએપ ગ્રુપ બનાવી જાસૂસી થાય છે. જેમાં તેઓ કેટલો સમય કચેરીમાં છે, કચેરીથી ક્યારે, કોની સાથે, સરકારી કે ખાનગી વાહનમાં નીકળ્યા, ક્યા રસ્તે, ક્યા ઉભા રહ્યાં એ તમામ પ્રકારની પળે પળની માહિતી માણસો વ્હોટસએપ ગ્રૂપ થકી ખનન માફિયાઓને તેમજ ખનિજ વહન કરતા ટ્રાન્સપોર્ટરને આપે છે.

જાસૂસીનુ એક સુ વ્યવસ્થિત નેટવર્ક : ભૂસ્તર વિભાગ અનુસાર ખનીજના સરકારી ભાવ અને રોયલ્ટી જોઈએ તો રેતીના પ્રતિ ટન 240 રૂપિયા અને 40 રૂપિયા રોયલ્ટી, માટી પ્રતિ ટન 175 રૂપિયા અને 25 રૂપિયા રોયલ્ટી અને કપચી પ્રતિ ટન 360 રૂપિયા અને રોયલ્ટી 45 રૂપિયા હોય છે. જેને આધારે નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગ વર્ષે દિવસે અંદાજે 100 કરોડ રૂપિયાની આવક રાજ્ય સરકારને આપે છે. પરંતુ ગેરકાયદેસર ખનન અને ઓવર લોડ વાહનો જે ખનિજ ચોરી કરે છે, એને ગણવામાં આવે તો નવસારીની ભૂસ્તર વિભાગની આવક દોઢી થવાની શક્યતા છે. પરંતુ ભૂમાફિયાઓ દ્વારા નવસારી સહિત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આ રીતે માણસો રોકી, વ્હોટસએપ ગ્રુપ દ્વારા જાસૂસીનુ એક સુ વ્યવસ્થિત નેટવર્ક બનાવવામાં આવ્યું છે. સરકારને રોયલ્ટી આપવાથી બચવા અને ગેરકાયદેર ખનન થકી કરોડો રૂપિયા કમાવવાની લાહ્યમાં ભૂમાફિયાઓએ માણસો રોકી વ્હોટસએપ થકી 24 કલાક ભૂસ્તર વિભાગ ઉપર નજર રાખવાનું નેટવર્ક તોડવું પોલીસ માટે પણ ચુનોતીથી ઓછું નથી.

આ પણ વાંચો : Driver in Hyderabad Escapes With Jewelry : હૈદરાબાદમાં જ્વેલર્સનો ડ્રાઈવર સાત કરોડના દાગીના લઈને ફરાર

સરકારી તિજોરીને નુકસાન થતું પણ અટકી શકે : જ્યારે માઈન્ડ સુપરવાઇઝર જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમોને આગળથી શંકા હતી કે, ભૂમાફિયાઓ દ્વારા અમારી અધિકારીઓ સહિત સ્ટાફની જાસુસી કરવામાં આવી રહી છે તેથી કચેરીમાં અરજદાર જોડે બે અજાણ્યા ઈસમો અમારી ઓફિસમાં આવતા તેઓ પણ શંકા જતા અમે પૂછ પરછ કરી તેઓના ફોન ચેક કરતા તેઓના મોબાઇલમાંથી ત્રણથી ચાર ગ્રુપો નીકળ્યા હતા. જેમાં અમારા ઓફિસથી તમામ માહિતીઓ આપ લે થતી હતી. તેથી અમે એ બાબતની પોલીસને જાણ કરી હતી અને પોલીસ હાલ તપાસ કરી રહી છે મહત્વની વાત એ છે કે, આ ભૂમફિયાના માણસો ઓફિસ સિવાય પણ અમારી પર્સનલ લાઇફમાં પણ જાસૂસી કરી રહ્યા છે, અમારા પરિવાર પર પણ સતત વોચ રાખી રહ્યા છે તેથી અમને અમારા પરિવારની પણ સતત ચિંતા રહે છે અને એ લોકો તરફથી હુમલો થવાની શક્યતાઓ પણ રહે છે. તેથી પોલીસ આવા ભૂમાફિયાઓ ને નાથવા જિલ્લા વાઈસ કનેક્શન મેળવી તપાસ કરે તો આ મોટું નેટવર્ક ને પકડી શકાય તેમ છે અને સરકારી તિજોરીને નુકસાન થતું પણ અટકી શકે.

આ પણ વાંચો : Acid attack on Minor girl: કર્ણાટકમાં પ્રેમ સંબંધ માટે ઈનકાર કરતા સગીર યુવતી પર એસિડ અટેક

ભુમાફિયાઓ દ્વારા ભૂસ્તરશાસ્ત્રી અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરાવતા હોવાની ચોકાવનારી હકીકત સામે આવી

નવસારી : નવસારી જિલ્લા ભુસ્તાશસ્ત્રી સહિત સર્વેયર, રોયલ્ટી ઇન્સ્પેકટર, માઇન સુપરવાઈઝર, ક્લાર્ક, ગનમેન, સિક્યુરિટી ગાર્ડ તમામની માણસો રોકી અલગ અલગ વ્હોટસએપ ગ્રુપ બનાવી જાસૂસી થાય છે. જેમાં તેઓ કેટલો સમય કચેરીમાં છે, કચેરીથી ક્યારે, કોની સાથે, સરકારી કે ખાનગી વાહનમાં નીકળ્યા, ક્યા રસ્તે, ક્યા ઉભા રહ્યાં એ તમામ પ્રકારની પળે પળની માહિતી માણસો વ્હોટસએપ ગ્રૂપ થકી ખનન માફિયાઓને તેમજ ખનિજ વહન કરતા ટ્રાન્સપોર્ટરને આપે છે.

જાસૂસીનુ એક સુ વ્યવસ્થિત નેટવર્ક : ભૂસ્તર વિભાગ અનુસાર ખનીજના સરકારી ભાવ અને રોયલ્ટી જોઈએ તો રેતીના પ્રતિ ટન 240 રૂપિયા અને 40 રૂપિયા રોયલ્ટી, માટી પ્રતિ ટન 175 રૂપિયા અને 25 રૂપિયા રોયલ્ટી અને કપચી પ્રતિ ટન 360 રૂપિયા અને રોયલ્ટી 45 રૂપિયા હોય છે. જેને આધારે નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગ વર્ષે દિવસે અંદાજે 100 કરોડ રૂપિયાની આવક રાજ્ય સરકારને આપે છે. પરંતુ ગેરકાયદેસર ખનન અને ઓવર લોડ વાહનો જે ખનિજ ચોરી કરે છે, એને ગણવામાં આવે તો નવસારીની ભૂસ્તર વિભાગની આવક દોઢી થવાની શક્યતા છે. પરંતુ ભૂમાફિયાઓ દ્વારા નવસારી સહિત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આ રીતે માણસો રોકી, વ્હોટસએપ ગ્રુપ દ્વારા જાસૂસીનુ એક સુ વ્યવસ્થિત નેટવર્ક બનાવવામાં આવ્યું છે. સરકારને રોયલ્ટી આપવાથી બચવા અને ગેરકાયદેર ખનન થકી કરોડો રૂપિયા કમાવવાની લાહ્યમાં ભૂમાફિયાઓએ માણસો રોકી વ્હોટસએપ થકી 24 કલાક ભૂસ્તર વિભાગ ઉપર નજર રાખવાનું નેટવર્ક તોડવું પોલીસ માટે પણ ચુનોતીથી ઓછું નથી.

આ પણ વાંચો : Driver in Hyderabad Escapes With Jewelry : હૈદરાબાદમાં જ્વેલર્સનો ડ્રાઈવર સાત કરોડના દાગીના લઈને ફરાર

સરકારી તિજોરીને નુકસાન થતું પણ અટકી શકે : જ્યારે માઈન્ડ સુપરવાઇઝર જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમોને આગળથી શંકા હતી કે, ભૂમાફિયાઓ દ્વારા અમારી અધિકારીઓ સહિત સ્ટાફની જાસુસી કરવામાં આવી રહી છે તેથી કચેરીમાં અરજદાર જોડે બે અજાણ્યા ઈસમો અમારી ઓફિસમાં આવતા તેઓ પણ શંકા જતા અમે પૂછ પરછ કરી તેઓના ફોન ચેક કરતા તેઓના મોબાઇલમાંથી ત્રણથી ચાર ગ્રુપો નીકળ્યા હતા. જેમાં અમારા ઓફિસથી તમામ માહિતીઓ આપ લે થતી હતી. તેથી અમે એ બાબતની પોલીસને જાણ કરી હતી અને પોલીસ હાલ તપાસ કરી રહી છે મહત્વની વાત એ છે કે, આ ભૂમફિયાના માણસો ઓફિસ સિવાય પણ અમારી પર્સનલ લાઇફમાં પણ જાસૂસી કરી રહ્યા છે, અમારા પરિવાર પર પણ સતત વોચ રાખી રહ્યા છે તેથી અમને અમારા પરિવારની પણ સતત ચિંતા રહે છે અને એ લોકો તરફથી હુમલો થવાની શક્યતાઓ પણ રહે છે. તેથી પોલીસ આવા ભૂમાફિયાઓ ને નાથવા જિલ્લા વાઈસ કનેક્શન મેળવી તપાસ કરે તો આ મોટું નેટવર્ક ને પકડી શકાય તેમ છે અને સરકારી તિજોરીને નુકસાન થતું પણ અટકી શકે.

આ પણ વાંચો : Acid attack on Minor girl: કર્ણાટકમાં પ્રેમ સંબંધ માટે ઈનકાર કરતા સગીર યુવતી પર એસિડ અટેક

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.