- જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1108 થઈ
- જિલ્લામાં આજે મંગળવારે 139 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે આજે મંગળવારે 5 કોરોના દર્દીઓના મોત નોંધાયા
- જિલ્લામાં કુલ 3,148 લોકોએ કોરોના સામેની જંગ જીતી
નવસારીઃ જિલ્લામાં દિવસે દિવસે કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. જેમાં આજે મંગળવારે જિલ્લામાં કુલ 160 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 1,108 પહોંચી છે. બીજી તરફ આજે મંગળવારે 139 દર્દીઓએ કોરોનાને માત આપી હતી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ચીખલીમાં 3, ખેરગામમાં 1 અને નવસારીમાં એક મળી કુલ પાંચ કોરોના દર્દીઓના મોત નોંધાયા છે.
![આરોગ્ય વિભાગના ચોપડે આજે મંગળવારે 5 કોરોના દર્દીઓના મોત નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-corona-update-photo-gj10031_04052021213006_0405f_1620144006_27.jpg)
આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં મંગળવારે વધુ 128 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
જિલ્લામાં કુલ 4,377 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા
નવસારી જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં હાલના દિવસોમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,377 લોકો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 3148 કોરોના દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગના ચોપડે કુલ 121 કોરોના દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચોઃ નવસારી કોરોના અપડેટ - 135 પોઝિટિવ કેસ નોંધાયા