જિલ્લાના ગુરુમંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભીડ ઉમટી છે. ગુરુ દ્વારા જીવનમાં ધર્મનું સિંચન કરાય છે. આજે ભક્તો ગુરુ પાસેથી વંદન કરી ગુરુમંત્ર અને આશિષ મેળવતા હોય છે. વિસનગરના સદુથલા ગામે ગુરુ ઉમેદપુરીના મંદિરે મંગળવારે વિશેષ મહિમા હોય છે. બ્રહ્મલીન ઉમેદપુરી બાપુના મંદિરે મેળાનો માહોલ વચ્ચે ભક્તો સંઘો લઇ ગુરુસ્થાનક પહોંચ્યા હતા.
કેસરી ધજાઓ અને તાંબા પિત્તળના ગરબા લઈ ભક્તોએ પદયાત્રા કરી અનેક શ્રદ્ધા અને ગુરુ પર આસ્થા સાથે ભક્તોએ કર્યા ગુરૂવંદન વિસનગરના નાથજી પંથના આશ્રમ રામદેવપીર મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી આ મંદિર સાથે આદિત્યનાથ યોગી પણ નાતો જોડાયેલો છે. સામાન્ય રીતે આજે સમગ્ર દેશમાં હિન્દૂ ધર્મના મહાપર્વ કહી શકાય એવા ગુરુપુર્ણિમાના ધાર્મિક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સંતો મહંતોની જન્મભૂમિ વિસનગર ખાતે આવેલા નાથજી પંથના આશ્રમ રામદેવપીર મંદિર , શુન્સી સાધના આશ્રમ, બાજીપૂરા ગુરુઆશ્રમ, અને સદુથલા ઉમેદપુરી મહારાજના મંદિરે આજે ભવ્યાતિભવ્ય ગુરુપુર્ણિમાનો ઉત્સવ ઉજવાયો છે.
વહેલી સવારથી ગુરુ દર્શને ભક્તો દોડી આવ્યા છે. તો કેટલાક ભક્તો ભાવ અને શ્રદ્ધા પૂર્વ દંડવત પ્રણામ કરતા, તો ક્યાંક પદયાત્રા અને સંઘમાં જોડાઈ ગુરુ દર્શને પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજના આ દિવસે હજારોની સંખ્યામાં ધજાઓ તો, ક્યાંક માથે તાંબા અને પિત્તળના ગરબા લઈ ભક્તો દર્શને જઈ રહ્યા છે. ત્યાં રસ્તાઓ પર પણ આજે ધર્મ પર્વની ઉજવણીનો અનેરો મહિમા છવાયેલો જોવા મળી રહ્યો છે.