- ભુજની મહિલાએ KBCમાં 25 લાખ રૂપિયા જીત્યા
- 50 લાખના સવાલ પર એક લાઇફલાઇન બાકી હતી, છતાં ગેમ ક્વિટ કરી
- જીતેલી ધનરાશિથી બર્ફીલા પ્રદેશમાં ફરવા જશે
કચ્છ: કોન બનેગા કરોડપતિ (kaun banega crorepati 2021)ના ગુરૂવારના એપિસોડમાં પોતાના પ્રિય અભિનેતા (Amitabh Bachchan) સામે હોટ સીટ પર બેસવામાં સફળ થનારા ભુજના (woman from Bhuj) જયશ્રી (Jayashreeba) ગોહિલે 7 લેવલ પાર કરીને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રી પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને અમિતાભ (Amitabh Bachchan)ને પણ નવાઈ લાગી હતી.
મહાનાયક અમિતાભ બચ્ચનને કચ્છ આવવા આમંત્રણ પણ આપ્યું
ભુજમાં મહેસુલ તંત્રમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયશ્રીબા (Jayashreeba)એ બિગ- બીના સવાલોના સમજી વિચારીને જવાબ આપવા સાથે ગીત ગાઈને સૌને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત કચ્છના જલેબી, ફાફડાં, ગાંઠીયા તો વખણાય છે પરંતુ દાબેલી પણ ભુજ (woman from Bhuj) વાસીઓને મનગમતી વાનગી છે તેવું કહેતાં જયશ્રીબાએ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ (Amitabh Bachchan)ને ગુજરાતમાં ભુજમાં આવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: President of Gujarat congress: પ્રભારી રઘુ શર્મા કરી શકે છે જાહેરાત
14મો પ્રશ્નનો સાચો જવાબ ખબર ન હોતા ગેમ ક્વિટ કરી
જયશ્રીબાએ સાડા બાર લાખ રૂપિયા માટે ગુજરાતના સમર્થ સર્જક મનુભાઈ પંચોળી (દર્શક) અંગે પ્રશ્ન પર તેમને પૂછવામાં આવ્યો હતો. ઉપરાંત 14મો પ્રશ્ન ભારતના સૌથી મોટા પતંગિયાનું નામ શું છે? તે પૂછવામાં આવ્યું હતું પરંતુ તે એક જવાબ માટે નિશ્ચિત ન હતા. કારણ કે જુલાઈ માસમાં નવું પતંગિયુ શોધાયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં આવ્યા 37 પોઝિટિવ કેસ
સાચો જવાબ ખબર જ ન હોવાથી તેમણે ગેમ ક્વિટ કરી
આ 14મો સવાલ 50 લાખ રૂપિયાનો હતો અને તેમની પાસે એક લાઇફલાઇન (lifeline) પણ હતી. 50 લાખના સવાલનો સાચો જવાબ આપીને તેઓ સરળતાથી 15મા સવાલ સુધી પહોંચી શકતાં હતાં. જયશ્રીબાએ 14મો સવાલ ક્વિટ કર્યો હતો. આ સમયે તેમની પાસે '50-50 લાઇફલાઇન' પણ હતી. તો આ લાઇફલાઇનનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયા જીતી શક્યાં હોત. તેમને સાચો જવાબ ખબર જ ન હોવાથી તેમણે ગેમ ક્વિટ કરી હતી.
હોમ લોન પણ આ ધનરાશિમાંથી ચૂકવશે
Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જયશ્રીબા (Jayashreeba) એ જણાવ્યું હતું કેે, કોન બનેગા કરોડપતિ (kaun banega crorepati 2021)માં જીતેલી 25 લાખ રૂપિયાની ધનરાશિનો ઉપયોગ તેઓ પુત્ર સાથે બર્ફીલા પ્રદેશમાં બહાર ફરવા જઈને સમય ગાળીને કરશે તથા હોમ લોન પણ આ ધનરાશિમાંથી ચૂકવશે તેવું જણાવ્યું હતું.