ETV Bharat / state

કચ્છમાં ધીમા વરસાદ સાથે ખેડૂતોએ કરી વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર

author img

By

Published : Jul 25, 2019, 7:24 PM IST

કચ્છ: જિલ્લામાં સારા એવા પ્રમાણમાં ખેતીને અનુસર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ચાર દિવસથી પડી રહેલા ધીમા વરસાદ બાદ વધુ વરસાદ થવાની આશાએ અમુક જગ્યાએ પિયત પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર થઇ રહ્યું છે. ખેડૂતોને આશા બંધાતા 1,32,497 હેક્ટરમાં પાકનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ કપાસ, ઘાસચારો, મગફળી અને ગુવારનો સમાવેશ થાય છે.

કચ્છમાં ધીમા વરસાદ સાથે ખેડુતોએ કરી વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર

વરસાદની ઋતુમાં સૌથી વધુ જો કોઇ ખુશ થતા હોય છે તો એ છે ખેડૂત. જેના થકી લોકોને ભોજનની ઉપલબ્ધિ થાય છે. ત્યારે કચ્છમાં ધીમો ધીમો વરસાદ વરસતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા પિયત પાકોનું વાવેતર થઇ રહ્યું છે.

kutch cotton plantation
કચ્છમાં ધીમા વરસાદ સાથે ખેડુતોએ કરી વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર

વધુમાં જણાવીએ તો,જિલ્લા ખેતીવાડી વિભાગના કહેવા મુજબ કચ્છમાં હાલ 47,600 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ અબડાસામાં 9,404, નખત્રાણા 8,484, ભુજ 6,968, અંજાર 8,140, રાપર 5,425, માંડવી 5,294, મુંદરા 1,912 અને લખપતમાં 150 તથા સૌથી ઓછું ગાંધીધામમાં 65 હેક્ટરનો સમાવેશ થાય છે.

જ્યારે હાલની પરિસ્થિતિમાં સૌથી જેની વધારે જરૂર છે, તેવા મકાઇ, જુવાર, રજકો અને રજકા બાજરીના ઘાસચારાનું 20,301 હેક્ટરમાં વાવેતર કર્યું છે. તો પિયત ખેતી કરતા ખેડૂતોએ જિલ્લામાં 10,275 હેક્ટરે મગફળીનું વાવેતર કર્યું છે. અન્ય પાકો પર નજર કરીએ તો જિલ્લામાં ગુવાર 18,248, બાજરી 10,762, મગ 9,282, દિવેલા 5,849, મઠ 3,000, તલ 2,728, જુવાર 1,100 અને મિંઢિયાવળ 305 તથા શેરડીનું 30 હેક્ટરમાં વાવેતર થયું છે. આગામી સમયમાં વરસાદ સારો થાય તો જિલ્લામાં મગ અને દિવેલાનું વાવેતર વધી શકે તેમ છે.

વરસાદની ઋતુમાં સૌથી વધુ જો કોઇ ખુશ થતા હોય છે તો એ છે ખેડૂત. જેના થકી લોકોને ભોજનની ઉપલબ્ધિ થાય છે. ત્યારે કચ્છમાં ધીમો ધીમો વરસાદ વરસતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા પિયત પાકોનું વાવેતર થઇ રહ્યું છે.

kutch cotton plantation
કચ્છમાં ધીમા વરસાદ સાથે ખેડુતોએ કરી વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર

વધુમાં જણાવીએ તો,જિલ્લા ખેતીવાડી વિભાગના કહેવા મુજબ કચ્છમાં હાલ 47,600 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ અબડાસામાં 9,404, નખત્રાણા 8,484, ભુજ 6,968, અંજાર 8,140, રાપર 5,425, માંડવી 5,294, મુંદરા 1,912 અને લખપતમાં 150 તથા સૌથી ઓછું ગાંધીધામમાં 65 હેક્ટરનો સમાવેશ થાય છે.

જ્યારે હાલની પરિસ્થિતિમાં સૌથી જેની વધારે જરૂર છે, તેવા મકાઇ, જુવાર, રજકો અને રજકા બાજરીના ઘાસચારાનું 20,301 હેક્ટરમાં વાવેતર કર્યું છે. તો પિયત ખેતી કરતા ખેડૂતોએ જિલ્લામાં 10,275 હેક્ટરે મગફળીનું વાવેતર કર્યું છે. અન્ય પાકો પર નજર કરીએ તો જિલ્લામાં ગુવાર 18,248, બાજરી 10,762, મગ 9,282, દિવેલા 5,849, મઠ 3,000, તલ 2,728, જુવાર 1,100 અને મિંઢિયાવળ 305 તથા શેરડીનું 30 હેક્ટરમાં વાવેતર થયું છે. આગામી સમયમાં વરસાદ સારો થાય તો જિલ્લામાં મગ અને દિવેલાનું વાવેતર વધી શકે તેમ છે.

Intro:કચ્છ જિલ્લામાં ચારેક દિવસથી પડી રહેલા ધીમા વરસાદ બાદ વધુ વરસાદ થવાની આશાએ તેમજ અમુક જગ્યાએ પિયત પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર થઇ રહ્યું છે. ખેડૂતોને આશા બંધાતાં 1,32,497 હેક્ટરમાં વાવેતર કરાયું છે જેમાં સૌથી વધુ કપાસ, ઘાસચારો, મગફળી અને ગુવારનો સમાવેશ થાય છે.
Body:જિલ્લા ખેતીવાડી વિભાગના કહેવા મુજબ કચ્છમાં હાલ 47,600 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે જેમાં સૌથી વધુ અબડાસામાં 9404, નખત્રાણા 8484, ભુજ 6968, અંજાર 8140, રાપર 5425, માંડવી 5294, મુંદરા 1912 અને લખપતમાં 150 તથા સૌથી ઓછું ગાંધીધામમાં 65 હેક્ટરનો સમાવેશ થાય છે. જ્યારે હાલની પરિસ્થિતિમાં સૌથી જેની વધારે જરૂર છે તેવા મકાઇ, જુવાર, રંજકો અને રંજકા બાજરીના ઘાસચારાનું 20301 હેક્ટરમાં વાવેતર કર્યું છે. તો પિયત ખેતી કરતા ખેડૂતોએ જિલ્લામાં 10275 હેક્ટરે મગફળીનું વાવેતર કર્યું છે. અન્ય પાકો પર નજર કરીએ તો જિલ્લામાં ગુવાર 18248, બાજરી 10762, મગ 9282, દિવેલા 5849, મઠ 3000, તલ 2728, જુવાર 1100 અને મિંઢિયાવળ 305 તથા શેરડીનું 30 હેક્ટરમાં વાવેતર થયું છે. આગામી સમયમાં વરસાદ સારો થાય તો જિલ્લામાં મગ અને દિવેલાનું વાવેતર વધી શકે તેમ છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.