ETV Bharat / state

maru gam corona mukt gam - ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ-3Tના અભિગમ થકી વિરાણીયા કોરોના મુક્ત ગામ બન્યું - કોરોના મુક્ત ગામ

રાજ્ય સરકારના 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન ખરેખર ખૂબ જ અસરકારક સાબિત થયું છે, જે થકી અનેક ગામડાઓએ જાગૃતિ દાખવી કોરોના મુક્ત થઇ રહ્યા છે. જેમાં એક ગામનો વધારો થયો છે. કચ્છમાં મુન્દ્રા તાલુકાનું વિરાણીયા ગામ જાગૃતિ અને સમજદારી દાખવીને કોરોના મુક્ત થયું છે.

maru gam corona mukt gam
maru gam corona mukt gam
author img

By

Published : May 31, 2021, 10:32 PM IST

  • વિરાણીયામાં સરપંચનો જુસ્સો અને જહેમત તેમજ જનભાગીદારી રંગ લાવી
  • ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ - 3Tના અભિગમથી વિરાણીયા ગામ બન્યું કોરોના મુક્ત ગામ
  • ટૂંક સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયું

કચ્છ : મુન્દ્રા તાલુકાનું 1,000 જેટલી વસ્તી ધરાવતું નાનકડું વિરાણીયા ગામ અને અહીંના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે હંમેશાથી સતર્ક હતા. અનેક પ્રતિબંધ અને મહેનત છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો અને એક સમય એવો પણ આવ્યો કે, ગામમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થઈ ગઈ હતી. ત્યારે સરપંચ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કોરોનાને નાથવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયુ છે.

maru gam corona mukt gam
ટૂંક સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયું

ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન કરાવાયું હતું. ગામમાં લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર તેમજ ગામમાં કોઇપણ ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા હતો. આ ઉપરાંત ગામના લોકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર માસ્ક વિતરણ, સેનિટાઈઝ કરવું, ઉકાળાનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

maru gam corona mukt gam
ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ - 3Tના અભિગમથી વિરાણીયા ગામ બન્યું કોરોના મુક્ત ગામ

આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા

ગામના કોરોનાનો પગ પેસારો થતા જ આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા હતા. જેમાં થર્મલ ગન દ્વારા તાપમાન અને ઓક્સિમીટર દ્વારા ઑક્સિજનનું લેવલ માપવામાં આવ્યું હતું. શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોના રેપિડ ટેસ્ટ અને જરૂર પડે તો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

maru gam corona mukt gam
ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ-3Tના અભિગમ થકી વિરાણીયા કોરોના મુક્ત ગામ બન્યું

ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ એમ 3T અભિગમથી લોકો સ્વસ્થ બન્યા

જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને ટ્રેસ કરી ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન કરીને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા અપનાવેલા ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ 3T અભિગમથી તમામ લોકો સ્વસ્થ બન્યા હતા. કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડી કે નથી કોરોનાના કારણે કોઇ જાનહાનિ થઈ નથી.

જાણો શું કહ્યું સરપંચે?

આ અંગે યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા જણાવે છે કે, અમારા નાનકડા ગામમાં 27 વ્યક્તિ સંક્રમિત થવા એ અમારા માટે આફત સમાન હતું. જો કે, ગ્રામ પંચાયતે જે ત્વરિત પગલાં લીધા અને ગ્રામજનોએ પણ જે જાગૃતિ અને હિંમત દાખવી તે થકી જ કોરોનાને મ્હાત આપવી શક્ય બની છે. વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. બસ આમ તમામના સહિયારા પ્રયાસથી કોરોના સામનો આ જંગ જીતી શકાયો અને વિરાણીયા ગામ કોરોના મુક્ત બન્યું છે.

આ પણ વાંચો -

  • વિરાણીયામાં સરપંચનો જુસ્સો અને જહેમત તેમજ જનભાગીદારી રંગ લાવી
  • ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ - 3Tના અભિગમથી વિરાણીયા ગામ બન્યું કોરોના મુક્ત ગામ
  • ટૂંક સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયું

કચ્છ : મુન્દ્રા તાલુકાનું 1,000 જેટલી વસ્તી ધરાવતું નાનકડું વિરાણીયા ગામ અને અહીંના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે હંમેશાથી સતર્ક હતા. અનેક પ્રતિબંધ અને મહેનત છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો અને એક સમય એવો પણ આવ્યો કે, ગામમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થઈ ગઈ હતી. ત્યારે સરપંચ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કોરોનાને નાથવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયુ છે.

maru gam corona mukt gam
ટૂંક સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયું

ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન કરાવાયું હતું. ગામમાં લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર તેમજ ગામમાં કોઇપણ ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા હતો. આ ઉપરાંત ગામના લોકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર માસ્ક વિતરણ, સેનિટાઈઝ કરવું, ઉકાળાનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

maru gam corona mukt gam
ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ - 3Tના અભિગમથી વિરાણીયા ગામ બન્યું કોરોના મુક્ત ગામ

આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા

ગામના કોરોનાનો પગ પેસારો થતા જ આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા હતા. જેમાં થર્મલ ગન દ્વારા તાપમાન અને ઓક્સિમીટર દ્વારા ઑક્સિજનનું લેવલ માપવામાં આવ્યું હતું. શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોના રેપિડ ટેસ્ટ અને જરૂર પડે તો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

maru gam corona mukt gam
ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ-3Tના અભિગમ થકી વિરાણીયા કોરોના મુક્ત ગામ બન્યું

ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ એમ 3T અભિગમથી લોકો સ્વસ્થ બન્યા

જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને ટ્રેસ કરી ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન કરીને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા અપનાવેલા ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ 3T અભિગમથી તમામ લોકો સ્વસ્થ બન્યા હતા. કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડી કે નથી કોરોનાના કારણે કોઇ જાનહાનિ થઈ નથી.

જાણો શું કહ્યું સરપંચે?

આ અંગે યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા જણાવે છે કે, અમારા નાનકડા ગામમાં 27 વ્યક્તિ સંક્રમિત થવા એ અમારા માટે આફત સમાન હતું. જો કે, ગ્રામ પંચાયતે જે ત્વરિત પગલાં લીધા અને ગ્રામજનોએ પણ જે જાગૃતિ અને હિંમત દાખવી તે થકી જ કોરોનાને મ્હાત આપવી શક્ય બની છે. વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. બસ આમ તમામના સહિયારા પ્રયાસથી કોરોના સામનો આ જંગ જીતી શકાયો અને વિરાણીયા ગામ કોરોના મુક્ત બન્યું છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.