- વિરાણીયામાં સરપંચનો જુસ્સો અને જહેમત તેમજ જનભાગીદારી રંગ લાવી
- ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ - 3Tના અભિગમથી વિરાણીયા ગામ બન્યું કોરોના મુક્ત ગામ
- ટૂંક સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયું
કચ્છ : મુન્દ્રા તાલુકાનું 1,000 જેટલી વસ્તી ધરાવતું નાનકડું વિરાણીયા ગામ અને અહીંના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે હંમેશાથી સતર્ક હતા. અનેક પ્રતિબંધ અને મહેનત છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો અને એક સમય એવો પણ આવ્યો કે, ગામમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થઈ ગઈ હતી. ત્યારે સરપંચ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કોરોનાને નાથવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયુ છે.
ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો
કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન કરાવાયું હતું. ગામમાં લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર તેમજ ગામમાં કોઇપણ ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા હતો. આ ઉપરાંત ગામના લોકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર માસ્ક વિતરણ, સેનિટાઈઝ કરવું, ઉકાળાનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા
ગામના કોરોનાનો પગ પેસારો થતા જ આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા હતા. જેમાં થર્મલ ગન દ્વારા તાપમાન અને ઓક્સિમીટર દ્વારા ઑક્સિજનનું લેવલ માપવામાં આવ્યું હતું. શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોના રેપિડ ટેસ્ટ અને જરૂર પડે તો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ એમ 3T અભિગમથી લોકો સ્વસ્થ બન્યા
જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને ટ્રેસ કરી ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન કરીને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા અપનાવેલા ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ 3T અભિગમથી તમામ લોકો સ્વસ્થ બન્યા હતા. કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડી કે નથી કોરોનાના કારણે કોઇ જાનહાનિ થઈ નથી.
જાણો શું કહ્યું સરપંચે?
આ અંગે યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા જણાવે છે કે, અમારા નાનકડા ગામમાં 27 વ્યક્તિ સંક્રમિત થવા એ અમારા માટે આફત સમાન હતું. જો કે, ગ્રામ પંચાયતે જે ત્વરિત પગલાં લીધા અને ગ્રામજનોએ પણ જે જાગૃતિ અને હિંમત દાખવી તે થકી જ કોરોનાને મ્હાત આપવી શક્ય બની છે. વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. બસ આમ તમામના સહિયારા પ્રયાસથી કોરોના સામનો આ જંગ જીતી શકાયો અને વિરાણીયા ગામ કોરોના મુક્ત બન્યું છે.
આ પણ વાંચો -
- maru gam corona mukt gam - ધોકડવા ગામની ગીરગૂંજન વિદ્યાલયમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
- maru gam corona mukt gam - વિઠોડા ગામના યુવાનો દ્વારા નવતર પ્રયોગ, આ રીતે કરી રહ્યા છે ગામને કોરોનામુક્ત
- maru gam corona mukt gam - શંખેશ્વર તાલુકાનું નવી કુંવર ગામ સ્વયંશિસ્તથી કોરોના મુક્ત બન્યું
- maru gam corona mukt gam - ખેડાના ચુણેલ ગામમાં કોરોના સંક્રમણ સામે સહિયારા પ્રયાસો
- maru gam corona mukt gam - કુનરીયા ગામમાં 15 દિવસનું આયોજન કરી ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી
- 'મારું ગામ, કોરોના મુક્ત ગામ' બાદ 'મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ'ની જાહેરાત, રવિવારથી થશે શરૂ
- maru gam corona mukt gam - વડોદરા કરજણ તાલુકાનું ઉરદ ગામ કોરોના મુક્ત ગામ
- maru gam corona mukt gam - બાલાસિનોરનું ગઢના મુવાડા ગામ આદર્શ ગામ, કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
- maru gam corona mukt gam - ધોલેરા તાલુકાનું ગાંફ ગામ બન્યુ કોરોના મુક્ત ગામ
- maru gam corona mukt gam - વાડલામાં સરકારની ઉદાસીનતા આવી સામે