કચ્છના ઇતિહાસમાં અષાઢી બીજ અત્યંત મહત્ત્વ ધરાવે છે. જેની શરૂઆત સાથે ઐતિહાસિકથી લોકકથાઓ સાથે જોડાયેલી છે. જેમાં લોકમુખે ચર્ચાતી અનેક વાતો પ્રસિદ્ધ થઈ છે. ખેંગારજી પહેલાએ કચ્છ રાજ્યની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ ૫ના રોજ કરી હોવાવી લોકવાયકા છે. કહેવાય છે કે, ખમીરવંતા કચ્છીમાંડુએ મોટો ઉથલપાથલ જોયા છે. જેમાં ગોઝારો ભૂકંપ હોય કે પછી પૂર હોનારત. આવા કપરા સંજોગામાં પણ હિંમતવાન કચ્છમાડુ ધીરજથી ચાલ્યાં છે.
કચ્છના ઇતિહાસમાં અનેક વિચારવંતો થઈ ગયા. જેમાંથી એક હતો કેરાકોટમાં રાજધાની ફેરવી નાંખનાર જામ લાખો ફુલાણી. રહસ્યોનો તાગ મેળવવા નીકળેલો જામ લાખો ફુલાણીનો દુનિયાનો અંત જાણવાનો પ્રયાસ કહે છે કે, સફળ તો ન થયો અને અમુક સમય બાદ પરત ફર્યો. આ સમય હતો અષાઢ મહિનાનો. આ મહિનામાં કચ્છની ધીંગી ધરાએ લીલી ચાદર ઓઢી હતી,ત્યારે પોતાની ધરતીને આ રૂપમાં જોઈ જામા લાખા ફુલાણી અત્યંત ખુશ થયો અને અષાઢી બીજને જ કચ્છના નવા વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરી દીધી.
સમગ્ર કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઊજવવાનાં ફરમાન થયાં. આ સાથે શરૂઆતી ઉજવણી સમગ્ર પંથકમાં કાયમ રહી, અષાઢી બીજના નગરજનો કચ્છના રાજાને શુભેચ્છાઓ પાઠવતા હતાં. કહેવાય છે કે, આજના દિવસે કચ્છી દરબાર ભરાતો અને કચેરીમાં કચ્છ રાજ્યના નામાંકિત લોકોનું સન્માન કરવામાં આવતું હતું. વર્ષો પૂર્વે શરૂ થયેલી આ નવા વર્ષની ઉજવણી આજે પણ કાયમ છે.
આજનું કચ્છ:
આજનો દિવસ અત્યંત કચ્છી લોકો માટે શુભ માનવામાં આવે છે. આમ, લાખ ઝંજાવતો છતાં કચ્છ મહેકતું રહ્યું છે. આજે માંડવીના વિજય વિલાસનો વૈભવી વિલાસ ચોતરફો ફેલાયો છે. માં આશાપુરા લોકોની માનતાઓ પુરી કરનાર શક્તિ સાબિત થયાં છે. ભૂજીયો ડુંગર આજે પણ અડિખમ ઉભો છે. વિશ્વમાં પ્રસિદ્ધ થયેલું કચ્છનું વાઈટ રણ આજના કચ્છની નવી ઓળખ બન્યું છે. સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતું કચ્છ આજે ધોળાવીરાના અવષેશોથી જાણીતું છે. ઝંજાવોતો જેલનાર કચ્છ આજે ઔદ્યોગિક રીતે સદ્ધર બન્યું છે. જેની ઓળખ આજનું કંડલા અને મુન્દ્રા બંદર બન્યાં છે. આમ જ કચ્છીભરત હવે વિદેશોમાં જાણીતું થયું છે.
છેલ્લે છેલ્લે એટલું જ કહીશ કે, આજે કચ્છ ભલે પાણી તરસતું હોય પણ કચ્છીમાડુઓએ કચ્છની ધરા પર જનાર કોઈ ગુજરાતીને ન તો ભૂખ્યો રાખ્યો છે, ન તો તરસ્યો...