ETV Bharat / state

કોરોના કહેર: કચ્છમાં એક માસનું મકાન ભાડું ન વસુલવા આદેશ, પગાર કપાત વગર આપવા હુકમ - કોરોના વાયરસના કારણે લોકોના મોોોત

કોવીડ-૧૯ના ફેલાવાના અટકાવવાના ભાગરૂપે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે કચ્છમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ આદેશ સાથે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અન્વયે ઉધોગો, વ્યાપારિક, વાણિજયક સંસ્થાઓ, દુકાનો, કોન્ટ્રાકટરો તેમના શ્રમિકોને બળપૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકશે તેવી સુચના આપી છે.

etv Bharat
કચ્છમાં એક માસનું મકાન ભાડું ન વસુલવા આદેશ, પગાર કપાત વગર આપવા હુકમ
author img

By

Published : Mar 31, 2020, 12:40 AM IST

કચ્છ: કામદારો/શ્રમિકો અને સ્થળાંતર થતાં લોકો સહિત કે જે ભાડાથી રહે છે. તેમના રહેઠાણ/મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડું માગવાનું રહેશે નહીં. જો આ લોકોને તેમજ ભાડે રહેતાં વિધાર્થીઓને તેમની જગ્યા છોડવાનું કહેવામાં આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે તેવુ સ્પષ્ટ જણાવામાં આવ્યું છે.

etv Bharat
કચ્છમાં એક માસનું મકાન ભાડું ન વસુલવા આદેશ, પગાર કપાત વગર આપવા હુકમ

આ ઉપરાંત તમામ રોજગાર પુરો પાડતાં ઉધોગ, વ્યાપારિક, વાણિજિયક સંસ્થા, દુકાનો, કોન્ટ્રાકટરોએ તમામ પ્રકારના કામદારોને લોકડાઉન સમય દરમ્યાન તેમના કામકાજ બંધ રહયા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત કરેલી તારીખે સમયસર કોઇપણ પ્રકારના કપાત વગર પુરેપુરું ચૂકવવાનું રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તેમ એક યાદીમાં જણાવાયું હતું.

કચ્છ: કામદારો/શ્રમિકો અને સ્થળાંતર થતાં લોકો સહિત કે જે ભાડાથી રહે છે. તેમના રહેઠાણ/મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડું માગવાનું રહેશે નહીં. જો આ લોકોને તેમજ ભાડે રહેતાં વિધાર્થીઓને તેમની જગ્યા છોડવાનું કહેવામાં આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે તેવુ સ્પષ્ટ જણાવામાં આવ્યું છે.

etv Bharat
કચ્છમાં એક માસનું મકાન ભાડું ન વસુલવા આદેશ, પગાર કપાત વગર આપવા હુકમ

આ ઉપરાંત તમામ રોજગાર પુરો પાડતાં ઉધોગ, વ્યાપારિક, વાણિજિયક સંસ્થા, દુકાનો, કોન્ટ્રાકટરોએ તમામ પ્રકારના કામદારોને લોકડાઉન સમય દરમ્યાન તેમના કામકાજ બંધ રહયા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત કરેલી તારીખે સમયસર કોઇપણ પ્રકારના કપાત વગર પુરેપુરું ચૂકવવાનું રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તેમ એક યાદીમાં જણાવાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.