ETV Bharat / state

ખેડા જિલ્લાના વણાકબોરી ડેમ છલકાતા જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી - kheda

ખેડા : જિલ્લાનો મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ છલોછલ થતાં જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી ફેલાવા હતી. ડેમમાં નવા નીર આવતા મોટી સંખ્યામાં સહેલાણીઓ ડેમ જોવા ઊમટ્યા હતા. તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ હતી.

etv bharat kheda
author img

By

Published : Aug 13, 2019, 4:40 AM IST

ખેડા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ ભરાયો છે. વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ હતી.ડેમની ક્ષમતા 221 મીટરની છે.જ્યારે હાલની સપાટી 221.25 મીટર છે.જેને લઈ ડેમ છલકાયો છે. ડેમ છલોછલ થતાં ડેમમાંથી હાલ 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ખેડા જિલ્લાના વણાકબોરી ડેમ છલકાતા જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી

જો વરસાદ થતાં ડેમમાં નવા પાણીની આવક થાય તો ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવશે.મહત્વનું છે કે, સમગ્ર ખેડા જીલ્લો સિંચાઈ માટે મહીસાગર નદી પર આધારિત છે.ત્યારે વણાકબોરી ડેમ છલકાતા જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

ખેડા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ ભરાયો છે. વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ હતી.ડેમની ક્ષમતા 221 મીટરની છે.જ્યારે હાલની સપાટી 221.25 મીટર છે.જેને લઈ ડેમ છલકાયો છે. ડેમ છલોછલ થતાં ડેમમાંથી હાલ 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ખેડા જિલ્લાના વણાકબોરી ડેમ છલકાતા જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી

જો વરસાદ થતાં ડેમમાં નવા પાણીની આવક થાય તો ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવશે.મહત્વનું છે કે, સમગ્ર ખેડા જીલ્લો સિંચાઈ માટે મહીસાગર નદી પર આધારિત છે.ત્યારે વણાકબોરી ડેમ છલકાતા જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

Intro:ખેડા જિલ્લાનો મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ
છલોછલ થતાં જીલ્લાવાસીઓમાં આનંદ ની લાગણી ફેલાવા પામી છે. ડેમ તેની ક્ષમતા સુધી છલકાઇ જતા ખેડૂતો સહિત જિલ્લાવાસીઓમાં પણ આનંદ છલકાઈ જવા પામ્યો છે.


Body:ખેડા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ પૂર્ણરૂપે ભરાઈ જવા પામ્યો છે.વરસાદને પગલે ડેમમાં ભારે માત્રામાં નવા પાણીની આવક થવા પામી છે.જેને લઈ ડેમને તેની ક્ષમતા સુધીની સપાટી હાંસલ થઈ છે.ડેમની ક્ષમતા 221 મીટરની છે,જ્યારે હાલ ની સપાટી 221.25 મીટર છે.જેને લઈ ડેમ છલકાઈ ગયો છે. છલોછલ થતાં ડેમમાંથી હાલ 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હવે જો વરસાદ થતાં ડેમમાં નવા પાણીની આવક થાય તો ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવશે.
મહત્વનું છે કે સમગ્ર ખેડા જીલ્લો સિંચાઈ માટે મહીસાગર નદી પર આધારિત છે.ત્યારે વણાકબોરી ડેમ છલકાતા જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી છલકાવા પામી છે.
બાઈટ-1 મણીભાઈ પરમાર, ડેમ ઈન્ચાર્જ
બાઈટ-2 બિપિનભાઈ,ખેડૂત


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.