ETV Bharat / state

નડિયાદથી રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

author img

By

Published : Feb 7, 2020, 11:53 PM IST

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાંથી રૂપિયા 500ના દરની નકલી ચલણી નોટો છાપતા LCBએ 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ઈસમો પાસેથી રૂપિયા 17.66 લાખની નકલી ચલણી નોટો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

3 accused arrested with 17.66 lac rupees fake currency in nadiad
રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

ખેડાઃ નડિયાદ પવન ચક્કી રોડ ઉપર આવેલા આશીર્વાદ રો-હાઉસ ના મકાન નં-8માં ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને SOG પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રૂપિયા 17.66 લાખ ઉપરાંતની બનાવતી નોટો સાથે 3 શખ્સોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

સાક્ષર નગરી નડિયાદમાંથી બનાવતી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા આશિર્વાદ રો-હાઉસ નં-8માં રહેતા રાજુભાઇ શંકરભાઇ પરમારના મકાનમાં તેઓ શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારની મદદથી બનાવતી ડુપ્લીકેટ નોટો છાપતા હતા. આ નોટો નડિયાદનાં મેળામાં ફરતી કરવાના છે.

3 accused arrested with 17.66 lac rupees fake currency in nadiad
રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

મળેલી બાતમીના આધારે ICB PSI એ. જે. અંસારી અને કનકસિંહ તથા સ્ટાફના જવાનો ,એસઓજીના PI એન. આર. વાઘેલા તથા FSLના અધિકારી સાથે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે રેડ કરી હતી. પોલીસે મકાનમાંથી રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારને ઝડપી લઈને મકાનની તલાશી લેતા એક ખૂણામાં મીણીયાની કોથળીમાં 500ના દરના બંડલો મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતા આ નોટ બનાવટી હોવાનું ખુલ્યું હતું. તમામ નોટો ગણી જોતા કુલ 1,940 નોટો 9.70 લાખની કિંમતની હતી. આ બનાવટી નોટો સંદર્ભે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ કલર પ્રિન્ટરથી આ નોટો છાપેલી હોવાનું જણાવ્યું હતું.

3 accused arrested with 17.66 lac rupees fake currency in nadiad
રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

પોલીસે રસોડાના નીચેના ભાગેથી કલર મશીન તેમજ નોટો છાપવામાં વપરાતા કટર, ફૂટપટ્ટી, કલર વગેરે મળી આવ્યું હતું. બંન્નેની બીજી નોટો સંદર્ભે પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મેં અને રાજુએ આ સિવાયની બીજી 500ના દરની બનાવટી ચલણી નોટો છાપી હતી. જે નોટો ગત રાતે બે વાગ્યાની આસપાસ શૈલેન્દ્રસિંહ તથા રવિની સાથે મળીને એક પ્લાસ્ટીકની થેલીમાં ભરીને વાસુદેવભાઈ ગોવિંદભાઇ ભીમાણીને આપી હતી. જે બાબતે પૈસાની લેવડ-દેવડ બાબતે નડિયાદ કોર્ટેમાં કેસ કર્યો હતો. તેમની સાથે થયેલા મનદુઃખને કારણે તેમને ફસાવવા માટે તેમના ઘરની પાછળના ભાગે વરંડાની દિવાલે અડીને લાકડાના ભંગારના ઓથે મૂકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસની ટીમ શૈલેન્દ્રસિંહને વાસુદેવભાઈના ઘરે પહોંચી ગઈ હતી. આ ઘટનાની તપાસ કરતા એક કોથળીમાંથી 500ના દરની કુલ 1,593 બનાવટી નોટો મળી આવી હતી. આમ કુલ 17,66,500ની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવા પોલીસ હાલ તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ખેડાઃ નડિયાદ પવન ચક્કી રોડ ઉપર આવેલા આશીર્વાદ રો-હાઉસ ના મકાન નં-8માં ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને SOG પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રૂપિયા 17.66 લાખ ઉપરાંતની બનાવતી નોટો સાથે 3 શખ્સોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

સાક્ષર નગરી નડિયાદમાંથી બનાવતી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા આશિર્વાદ રો-હાઉસ નં-8માં રહેતા રાજુભાઇ શંકરભાઇ પરમારના મકાનમાં તેઓ શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારની મદદથી બનાવતી ડુપ્લીકેટ નોટો છાપતા હતા. આ નોટો નડિયાદનાં મેળામાં ફરતી કરવાના છે.

3 accused arrested with 17.66 lac rupees fake currency in nadiad
રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

મળેલી બાતમીના આધારે ICB PSI એ. જે. અંસારી અને કનકસિંહ તથા સ્ટાફના જવાનો ,એસઓજીના PI એન. આર. વાઘેલા તથા FSLના અધિકારી સાથે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે રેડ કરી હતી. પોલીસે મકાનમાંથી રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારને ઝડપી લઈને મકાનની તલાશી લેતા એક ખૂણામાં મીણીયાની કોથળીમાં 500ના દરના બંડલો મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતા આ નોટ બનાવટી હોવાનું ખુલ્યું હતું. તમામ નોટો ગણી જોતા કુલ 1,940 નોટો 9.70 લાખની કિંમતની હતી. આ બનાવટી નોટો સંદર્ભે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ કલર પ્રિન્ટરથી આ નોટો છાપેલી હોવાનું જણાવ્યું હતું.

3 accused arrested with 17.66 lac rupees fake currency in nadiad
રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

પોલીસે રસોડાના નીચેના ભાગેથી કલર મશીન તેમજ નોટો છાપવામાં વપરાતા કટર, ફૂટપટ્ટી, કલર વગેરે મળી આવ્યું હતું. બંન્નેની બીજી નોટો સંદર્ભે પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મેં અને રાજુએ આ સિવાયની બીજી 500ના દરની બનાવટી ચલણી નોટો છાપી હતી. જે નોટો ગત રાતે બે વાગ્યાની આસપાસ શૈલેન્દ્રસિંહ તથા રવિની સાથે મળીને એક પ્લાસ્ટીકની થેલીમાં ભરીને વાસુદેવભાઈ ગોવિંદભાઇ ભીમાણીને આપી હતી. જે બાબતે પૈસાની લેવડ-દેવડ બાબતે નડિયાદ કોર્ટેમાં કેસ કર્યો હતો. તેમની સાથે થયેલા મનદુઃખને કારણે તેમને ફસાવવા માટે તેમના ઘરની પાછળના ભાગે વરંડાની દિવાલે અડીને લાકડાના ભંગારના ઓથે મૂકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસની ટીમ શૈલેન્દ્રસિંહને વાસુદેવભાઈના ઘરે પહોંચી ગઈ હતી. આ ઘટનાની તપાસ કરતા એક કોથળીમાંથી 500ના દરની કુલ 1,593 બનાવટી નોટો મળી આવી હતી. આમ કુલ 17,66,500ની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવા પોલીસ હાલ તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Intro:ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીઆદ માંથી રૂપિયા 500 ના દર ની ડુપ્લીકેટ નોટો છાપતા LCB એ ૩ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.ઝડપાયેલા ઈસમો પાસેથી રૂ.૧૭.૬૬ લાખની ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.Body: નડીઆદ પવન ચક્કી રોડ ઉપર આવેલ આશીર્વાદ રો-હાઉસ ના મકાન નં.8 માં ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને SOG પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં રૂ.17.66 લાખ ઉપરાંતની બનાવતી નોટો સાથે ૩ શખ્સોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
સાક્ષર નગરી નડીઆદમાંથી બનાવતી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.નડીઆદ પશ્ચિમ વિસ્તાર માં આવેલ આશીર્વાદ રો-હાઉસ નં 8 માં રહેતા રાજુભાઇ શંકરભાઇ પરમારના મકાનમાં તેઓ શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારની મદદથી બનાવતી ડુપ્લીકેટ નોટો છાપે છે અને આ નોટો નડીઆદ માં મેળા ફરતી કરવાના છે.જેના આધારે lcb પીએસઆઇ એ.જે.અસારી અને કનકસિંહ તથા સ્ટાફના જવાનો ,એસઓજી ના પીઆઈ એન.આર.વાઘેલા તથા FSL ના અધિકારી સાથે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે ત્રાટકયા હતા. પોલીસે મકાનમાંથી રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારને ઝડપી પાડીને મકાનની તલાશી લેતાં એક ખૂણામાં મીણીયાની કોથળીમાં 500 ના દર ના બંડલો મળી આવ્યા હતા.જેની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતું.તમામ નોટો ગણી જોતા કુલ 1940 નોટો 9.70 લાખની થવા પામી હતી. આ બનાવટી નોટો સંદર્ભે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ કલર પ્રિન્ટરથી છાપેલાનું જણાવ્યું હતું.પોલીસે રસોડાના નીચેના ભાગેથી કલર મશીન તેમજ નોટો છાપવામાં વપરાતા કટર , ફૂટપટ્ટી,કલર વગેરે મળી આવ્યું હતું.બંન્નેની બીજી નોટો સંદર્ભે પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે,મેં તથા રાજુભાઇએ આ સિવાયની બીજી 500 ના દરની બનાવટી ચલણી નોટો છાપી હતી અને તે ગતરાતેના બેથી સવા બેના ગાળામાં શૈલેન્દ્રસિંહ તથા રવિભાઈ રાજુભાઇ પરમારની સાથે એક પ્લાસ્ટીકની થેલીમાં ભરીને બાઇક પર જઈને વાસુદેવભાઈ ગોવિંદભાઇ ભીમાણીના ઓએ પૈસા ની લેવડ - દેવડ બાબતે નડીઆદ કોર્ટે માં કેસ કર્યો હોઈ તેમની સાથે થયેલ મનદુઃખ ને કારણે તેમને ફસાવવા માટે તેમના ઘરની પાછળના ભાગે વરંડાની દીવાલે અડીને લાકડાના ભંગારના ઓથે મૂકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસની ટિમ શૈલેન્દ્રસિંહને વાસુદેવભાઈના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં એક કોથળીમાંથી 500 ના દરની કુલ 1593 બનાવટી નોટો મળી આવી હતી આમ કુલ 17.66.500 ની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી અને આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
બાઈટ : જી.એસ.શ્યાન,ડીવાયએસપી,ખેડા-નડિયાદ ડિવિઝનConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.