જૂનાગઢઃ સોમવારથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો અનુસાર દેશની સાથે રાજ્યના મંદિરો ધાર્મિક સ્થાનો અને દેવાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ વધતા જતા કોરોનાના ખતરાને લઈને જૂનાગઢમાં આવેલા ભવનાથ વિસ્તારના મોટાભાગના ધાર્મિક સ્થાનો આગામી 22 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.
છેલ્લા સિત્તેર કરતા વધુ દિવસોથી સમગ્ર દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. ચાર તબક્કાના લોકડાઉન બાદ અમલમાં આવેલા પ્રથમ તબક્કાના અનલોક સમયગાળામાં આજથી દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો કેટલીક શરતોને આધીન શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી છે, પરંતુ જૂનાગઢમાં આવેલા મોટાભાગના હિન્દુ ધાર્મિક સ્થાનો અને મંદિરો હજુ પણ બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.
જૂનાગઢના ભક્તોને હજુ પણ જોવી પડશે પ્રભુના દર્શન માટે રાહ - જૂનાગઢમાં મંદિરો ખુલ્યા નથી
કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશ સહિત રાજ્યમાં 8 જુનથી મંદિરો ખોલવામાં આવશે તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જણાવ્યું હતું. જે માટે દિશા-નિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે રાજ્યના મોટા ભાગના સ્થળોએ મંદિરોને ખોલવામાં આવ્યા છે, પરંતુ જૂનાગઢમાં હજૂ પણ ભક્તોએ પ્રભુના દર્શન માટે રાહ જોવી પડશે.

જૂનાગઢઃ સોમવારથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો અનુસાર દેશની સાથે રાજ્યના મંદિરો ધાર્મિક સ્થાનો અને દેવાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ વધતા જતા કોરોનાના ખતરાને લઈને જૂનાગઢમાં આવેલા ભવનાથ વિસ્તારના મોટાભાગના ધાર્મિક સ્થાનો આગામી 22 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.
છેલ્લા સિત્તેર કરતા વધુ દિવસોથી સમગ્ર દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. ચાર તબક્કાના લોકડાઉન બાદ અમલમાં આવેલા પ્રથમ તબક્કાના અનલોક સમયગાળામાં આજથી દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો કેટલીક શરતોને આધીન શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી છે, પરંતુ જૂનાગઢમાં આવેલા મોટાભાગના હિન્દુ ધાર્મિક સ્થાનો અને મંદિરો હજુ પણ બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.