કેશોદની જૂની મેનબજારમાં આગ લાગવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાથી ગોડાઉનમાં રાખવામા આવેલ છત્રી તથા માલ સામાનમાં નુકસાન થયું હોવાનું ગોડાઉન માલિકે જણાવ્યું હતું.
છત્રીના ગોડાઉનમાં લાઈટ કનેકશન ન હોવા છતાં આગ લાગવા બાબતે અનેક ચર્ચાઓ થઈ રહી છે અને રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આજુબાજુના રહેવાસીઓ દુકાનદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામા ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજું અકબંધ છે.