જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં નયનાબેન સંચાણીયા છેલ્લા 14 વર્ષથી ગરબા બનાવે છે. જામનગરમાં તેમણે બનાવેલાં ગરબાની ભારે માગ જોવા મળે છે. તેઓ આભલાં, નંગ અને સુંદર રંગોની વિવિધ ડીઝાઈન બનાવીને સુંદર ગરબા તૈયાર કરે છે.
નયનાબેન ગરબા બનાવટ અંગે જણાવ્યું હતું કે, "તેમને ચિત્ર દોરવાનો ઘણો શોખ હતો. એટલે કળાને જીવતી રાખવા માટે ગરબાને સુશોભિત કરવાનું શરૂ કર્યુ હતું. હાલ, તેઓ પાટુડી, કાંગરી, ઘડતરિયા અને ગાગરી જેવા વિવિધ પ્રકારના ગરબા બનાવે છે. જામનગર અને ભાવનગર સહિત અનેક જગ્યાએથી લોકો તેમના ગરબા લેવા માટે આવે છે. નવરાત્રીમાં તો ખાસ લોકો વિશેષ અને સુંદર ગરબાની માગ કરે છે. જેથી લોકોની પસંદ અને ગરબાની ગરીમાને જાળવીને સુંદર ગરબા બનાવવાનો પ્રયત્ન કરે છે."
આમ, નવલા નોરતાના દિવસો આંગળીને ટેરવે ગણાઈ રહ્યાં છે, ત્યારે બજારમાં ખૈલેયાઓની ભીડનો ધસારો જોવા મળી રહ્યો છે. સુંદર ગરબા, ચણીયા ચોળી અને માઁ અંબાના શૃંગાર તેમજ પૂજા સામગ્રીની માગ વધી રહી છે. વરસાદી વાતારણમાં પણ લોકોમાં નવરાત્રીના રમવાના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરથી લોકો બમણાં ઉત્સાહની ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે.