ETV Bharat / state

Jamnagar: સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અલીયાબાડામાં થતા બાળલગ્ન અટકાવાયા

જામનગર(Jamnagar)માં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા 5 જુલાઇના રોજ એક બાળલગ્ન (CHILD MARRIAGE) થતા પહેલા જ અટકાવવામાં આવ્યા છે. જામનગરના અલીયાબાડા ગામમાં સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા 5 જુલાઇના રોજ થનારા બાળલગ્ન(CHILD MARRIAGE) ની તૈયારીઓ ચાલતી હોવાથી થનારા બાળલગ્ન 3 જુલાઇના રોજ અટકાવી બાળકોના જીવનને બચાવવામાં આવ્યા હતા.

author img

By

Published : Jul 10, 2021, 7:08 AM IST

સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અલીયાબાડામાં થતા બાળલગ્ન અટકાવાયા
સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અલીયાબાડામાં થતા બાળલગ્ન અટકાવાયા
  • જુન મહિનામાં જામનગરમાં ૩ બાળલગ્નો અટકાવી બાળકોના જીવનને બચાવાયા
  • બાળલગ્ન થયા તે પહેલા સમાજ સુરક્ષાની ટીમ પહોંચી
  • સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે

જામનગરઃ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગે એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળલગ્ન(CHILD MARRIAGE) થતા અટકાવ્યા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરીકે ચાઈલ્ડ લાઈનને જામનગર(Jamnagar)ના અલીયાબાડા ગામમાં 5 જુલાઇના રોજ યોજાનારા લગ્ન બાળલગ્ન (CHILD MARRIAGE) હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષાની ટીમ સાથે રાખીને અલીયાબાડા ખાતે 3 જુલાઇના રોજ પહોંચી ગઈ હતી.

સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અલીયાબાડામાં થતા બાળલગ્ન અટકાવાયા
સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અલીયાબાડામાં થતા બાળલગ્ન અટકાવાયા

આ પણ વાંચોઃ જામનગરમાં વુલનમીલ વિસ્તારમાં બાળલગ્ન અટકાવાયા

યુવતીના માતા પિતાને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓએ સમજાવ્યા

ઘટના સ્થળે 21 વર્ષથી નીચેની સગીરના લગ્નનું 5 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અંદાજે 20 વર્ષના સગીર અને તેમના માતા-પિતાને 3 જુલાઇના રોજ સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને જેનું ઉલ્લંઘન કરવાથી કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

યુવકના માતા-પિતા માની ગયા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું

જામનગર(Jamnagar)ના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી પ્રાર્થના શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીર પોરેચા અને લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સના હરણના સમજાવ્યા બાદ સગીર યુવકના માતા-પિતા માની ગયા હતા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. યુવકની ઉંમર જ્યારે 21 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. ત્યારબાદ લગ્ન યોજનાર પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળલગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળલગ્ન(CHILD MARRIAGE) ના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં તેમને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

બાળલગ્ન કરવાએ ગુનો છે

આ સાથે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની 21 વર્ષ થાય પછી જ લગ્ન કરાવવાનું કહ્યું હતુ. આમ જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસથી બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, જુન 2021 મહિનામાં પણ કુલ 03 બાળલગ્ન અટકાવવાની કામગીરી કરવામાં આવી હતી.
બાળલગ્ન(CHILD MARRIAGE) એ ગંભીર અપરાધ છે. બાળલગ્ન કાયદા વિરુદ્ધ છે. જે સાથે બાળલગ્નથી બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકી સમાજ ગંભીર તકલીફો અને પ્રશ્નો તરફ બાળજીવનને દોરી જાય છે.

બાળલગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો, સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક-યુવતી સહિત તેમના માતાપિતા કે વાલી, મદદ કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્ન(CHILD MARRIAGE) માં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ કરનાર વગેરે તમામને આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બાળલગ્ન કરાવવાના ગુનામાં ગુજરાત હાઈકોર્ટે માતાપિતાને 30 હજારનો દંડ ફટકાર્યો

બાળલગ્ન થતા અટકાવવા શું કરવું?

સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપણા વિસ્તાર અને સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળલગ્ન(CHILD MARRIAGE) થવાના છે અથવા થાય છે. તેવી જાણ થાય તો તે બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2570306), જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2571098), ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર લેખિત, ટેલીફોનીક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળલગ્ન(CHILD MARRIAGE) નાબુદ કરવા માટે સહીયારો પ્રયાસ અને કામગીરી થઇ શકે.

  • જુન મહિનામાં જામનગરમાં ૩ બાળલગ્નો અટકાવી બાળકોના જીવનને બચાવાયા
  • બાળલગ્ન થયા તે પહેલા સમાજ સુરક્ષાની ટીમ પહોંચી
  • સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે

જામનગરઃ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગે એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળલગ્ન(CHILD MARRIAGE) થતા અટકાવ્યા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરીકે ચાઈલ્ડ લાઈનને જામનગર(Jamnagar)ના અલીયાબાડા ગામમાં 5 જુલાઇના રોજ યોજાનારા લગ્ન બાળલગ્ન (CHILD MARRIAGE) હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષાની ટીમ સાથે રાખીને અલીયાબાડા ખાતે 3 જુલાઇના રોજ પહોંચી ગઈ હતી.

સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અલીયાબાડામાં થતા બાળલગ્ન અટકાવાયા
સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અલીયાબાડામાં થતા બાળલગ્ન અટકાવાયા

આ પણ વાંચોઃ જામનગરમાં વુલનમીલ વિસ્તારમાં બાળલગ્ન અટકાવાયા

યુવતીના માતા પિતાને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓએ સમજાવ્યા

ઘટના સ્થળે 21 વર્ષથી નીચેની સગીરના લગ્નનું 5 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અંદાજે 20 વર્ષના સગીર અને તેમના માતા-પિતાને 3 જુલાઇના રોજ સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને જેનું ઉલ્લંઘન કરવાથી કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

યુવકના માતા-પિતા માની ગયા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું

જામનગર(Jamnagar)ના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી પ્રાર્થના શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીર પોરેચા અને લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સના હરણના સમજાવ્યા બાદ સગીર યુવકના માતા-પિતા માની ગયા હતા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. યુવકની ઉંમર જ્યારે 21 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. ત્યારબાદ લગ્ન યોજનાર પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળલગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળલગ્ન(CHILD MARRIAGE) ના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં તેમને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

બાળલગ્ન કરવાએ ગુનો છે

આ સાથે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની 21 વર્ષ થાય પછી જ લગ્ન કરાવવાનું કહ્યું હતુ. આમ જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસથી બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, જુન 2021 મહિનામાં પણ કુલ 03 બાળલગ્ન અટકાવવાની કામગીરી કરવામાં આવી હતી.
બાળલગ્ન(CHILD MARRIAGE) એ ગંભીર અપરાધ છે. બાળલગ્ન કાયદા વિરુદ્ધ છે. જે સાથે બાળલગ્નથી બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકી સમાજ ગંભીર તકલીફો અને પ્રશ્નો તરફ બાળજીવનને દોરી જાય છે.

બાળલગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો, સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક-યુવતી સહિત તેમના માતાપિતા કે વાલી, મદદ કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્ન(CHILD MARRIAGE) માં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ કરનાર વગેરે તમામને આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બાળલગ્ન કરાવવાના ગુનામાં ગુજરાત હાઈકોર્ટે માતાપિતાને 30 હજારનો દંડ ફટકાર્યો

બાળલગ્ન થતા અટકાવવા શું કરવું?

સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપણા વિસ્તાર અને સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળલગ્ન(CHILD MARRIAGE) થવાના છે અથવા થાય છે. તેવી જાણ થાય તો તે બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2570306), જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2571098), ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર લેખિત, ટેલીફોનીક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળલગ્ન(CHILD MARRIAGE) નાબુદ કરવા માટે સહીયારો પ્રયાસ અને કામગીરી થઇ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.