ETV Bharat / state

વિશેષ ટ્રેન દરરોજના બદલે હવે અઠવાડિયામાં 3 દિવસ ચાલશે

author img

By

Published : Apr 27, 2021, 10:21 AM IST

તાજેતરમાં જ શરૂ થયેલી વેરાવળ-બાંદ્રા-વેરાવળ અને ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેન કે જે દરરોજ દોડતી હતી. જેમાં પ્રવાસીઓ ઓછા મળતા હોવાના કારણે હવેથી અઠવાડીયામાં 3 જ દિવસ દોડાવવાનો નિર્ણય રેલ વિભાગે કર્યો છે.

ઓછા પ્રવાસીઓ મળતા હોવાથી રેલવે વિભાગે કર્યો નિર્ણય
ઓછા પ્રવાસીઓ મળતા હોવાથી રેલવે વિભાગે કર્યો નિર્ણય
  • ઓછા પ્રવાસીઓ મળતા હોવાથી રેલવે વિભાગે કર્યો નિર્ણય
  • દરરોજના બદલે 3 દિવસ જ ચાલશે ટ્રેન
  • ટ્રેનની વિસ્તૃત માહિતી રેલવેની વેબસાઇટ પર જોઇ શકાશે

ગીર સોમનાથ: આ અંગે રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવેલું કે, ઓછા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્ર દ્વારા વેરાવળ-બાંદ્રા-વેરાવળ અને ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેનો અઠવાડિયામાં 3 દિવસ ચલાવવાનું નક્કી કરાયું છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે. ટ્રેન નં.02972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 28 એપ્રિલથી 14મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (સોમવાર, બુધવાર અને શુક્રવાર) અને ટ્રેન નં.02971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 1 મેથી 17 મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (ગુરુવાર, શનિવાર અને સોમવાર) દોડશે.

દરરોજના બદલે 3 દિવસ જ ચાલશે ટ્રેન
દરરોજના બદલે 3 દિવસ જ ચાલશે ટ્રેન

આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં પેસેન્જર ટ્રેનના આગમનથી સ્થાનિકોમાં ખુશી

વિશેષ ટ્રેનો અઠવાડિયામાં 3 દિવસ ચાલશે

ટ્રેન નં.09217 બાંદ્રા-વેરાવળ સ્પેશિયલ 29 એપ્રિલથી 15મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) અને ટ્રેન નં.09218 વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ 30 એપ્રિલથી 16મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (બુધવાર, શુક્રવાર અને રવિવાર) દોડશે. યાત્રિઓ આ ટ્રેનની વિસ્તૃત માહિતી રેલવેની વેબસાઇટ પર જોઇ શકશે.

આ પણ વાંચો: અમદાવાદ-વેરાવળ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન કરાઇ બંધ

  • ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે રવિવારે જિલ્લામાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે અમદાવાદ-વેરાવળ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન આજે સોમવારથી પ્રવાસીઓની અછતના કારણે બંધ કરવામાં આવી છે.

  • ઓછા પ્રવાસીઓ મળતા હોવાથી રેલવે વિભાગે કર્યો નિર્ણય
  • દરરોજના બદલે 3 દિવસ જ ચાલશે ટ્રેન
  • ટ્રેનની વિસ્તૃત માહિતી રેલવેની વેબસાઇટ પર જોઇ શકાશે

ગીર સોમનાથ: આ અંગે રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવેલું કે, ઓછા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્ર દ્વારા વેરાવળ-બાંદ્રા-વેરાવળ અને ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેનો અઠવાડિયામાં 3 દિવસ ચલાવવાનું નક્કી કરાયું છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે. ટ્રેન નં.02972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 28 એપ્રિલથી 14મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (સોમવાર, બુધવાર અને શુક્રવાર) અને ટ્રેન નં.02971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 1 મેથી 17 મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (ગુરુવાર, શનિવાર અને સોમવાર) દોડશે.

દરરોજના બદલે 3 દિવસ જ ચાલશે ટ્રેન
દરરોજના બદલે 3 દિવસ જ ચાલશે ટ્રેન

આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં પેસેન્જર ટ્રેનના આગમનથી સ્થાનિકોમાં ખુશી

વિશેષ ટ્રેનો અઠવાડિયામાં 3 દિવસ ચાલશે

ટ્રેન નં.09217 બાંદ્રા-વેરાવળ સ્પેશિયલ 29 એપ્રિલથી 15મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) અને ટ્રેન નં.09218 વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ 30 એપ્રિલથી 16મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (બુધવાર, શુક્રવાર અને રવિવાર) દોડશે. યાત્રિઓ આ ટ્રેનની વિસ્તૃત માહિતી રેલવેની વેબસાઇટ પર જોઇ શકશે.

આ પણ વાંચો: અમદાવાદ-વેરાવળ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન કરાઇ બંધ

  • ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે રવિવારે જિલ્લામાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે અમદાવાદ-વેરાવળ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન આજે સોમવારથી પ્રવાસીઓની અછતના કારણે બંધ કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.