ગીર સોમનાથ: મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે રાજ્યભરમાં ટુરીઝમ વિકાસના કામો રૂા. 125 કરોડના ખર્ચે તૈયાર થયેલા જુદા-જુદા વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ ગુજરાતમાં વિકાસની રફતાર અવિરત કાર્યરત છે. આપત્તિને અવસરમા પલટાવી જુદા-જુદા વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનું લોકાર્પણ કરી યાત્રી સુવિધા વધારો કરાયો છે.
આ ઉપરાંત 500 ટુ વ્હિલર, 756 કાર અને 81 બસની મર્યાદા ધરાવતુ વિશાળ પાર્કિંગ, કોમ્યુનીટી કિચન, સોમનાથ મ્યુઝિયમ, ઓડીટોરીયમ અને કેફેટેરીયા સહિતની સુવિધા ચાર્જેબલ રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.