છેલ્લા 2 વર્ષનુ ખેડૂતોએ પાક ધિરાણ લિધું છે, જેમાં ગામ એકમ કે તાલુકા એકમ મુજબ પાકવિમો મંજૂર થયો છે, પરંતુ બેંકની ભુલના કારણે ખેડૂતોને પાકવિમાથી વંચિત રહેવું પડયું છે. તેવા ખેડૂતોનો ચાલુ વર્ષે માટે પાકવિમો ફરજીયાત કરવામાં આવ્યો છે. જેનુ વિમા પ્રિમિયમ ઉતારવાની જવાબદારી બેંકની છે, તો ઓનલાઈન અરજી કરવાની જવાબદારી ખેડૂતોની કેવી રીતે ? આ ન સમજાય તેવી બાબત છે જેને લઈ રજૂઆત કરશે.
આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે પોતાનો એક દિવસ બગાડવો પડે છે, અને જે તે કોમ્પ્યુટર વાળાને 100 થી 150 રુપિયા આપવા પડે છે. બેંકોએ પોતે કરવાની કામગીરી ખેડૂતો પર નાખી પ્રત્યેક ખેડૂતદિઠ 500થી 600 રુપિયાની નુકસાની ખેડૂતે ભોગવવી પડે છે. ત્યારે રાજ્યના કૃષિ નિયામક સમક્ષ રજૂઆત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર આવી પહોંચ્યા છે.