ETV Bharat / state

કોરોના કહેરઃ ગુજરાતમાં 16થી 29 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થા રહેશે બંધ, બોર્ડની પરીક્ષા યથાવત - All educational institutions across the state will remain closed from 16th to 29th March.

વિશ્વભરમાં વકરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 16 થી 29 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમા હૉલ સહિત અનેક સંસ્થાઓ બંધ રાખાવાનું જાહેર કર્યુ છે.

Corona virusકોરોના કહેરઃ
Corona virusકોરોના કહેરઃ
author img

By

Published : Mar 15, 2020, 4:44 PM IST

Updated : Mar 15, 2020, 5:22 PM IST

ગાંધીનગરઃ કાળ બનેલા કોરોના સામે લડવા માટેની સતર્કતા દાખવતા ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. 16 થી 29 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમા હૉલ સહિત અનેક સંસ્થાઓ બંધ રાખાવા જણાવ્યું છે. પરંતુ બોર્ડની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

કોરોના કહેરઃ ગુજરાતમાં 16થી 29 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થા રહેશે બંધ, બોર્ડની પરીક્ષા યથાવત

મળતી માહિતી પ્રમાણે, લોકહિતને ધ્યાનમાં રાખીને રાજ્યસરકારે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બેઠક યોજી હતી. જેમાં ભારતમાં પગપેસારો કરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. શાળા-કૉલેજોને બંધ કરવાનો નિર્યણ લેવાયો છે. સાથે લોકોને સ્વાસ્થ્ય અંગે જાગ્રત રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન સહિત શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે રાજ્યના અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે આ પરીક્ષા અંગે શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું હતું કે, "30 તારીખ બાદ જ શાળા-કોલેજોમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પરંતુ ક્યારે લેવાશે તે અંગે તારીખ જાહેર કરાઈ નથી."

ગાંધીનગરઃ કાળ બનેલા કોરોના સામે લડવા માટેની સતર્કતા દાખવતા ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. 16 થી 29 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમા હૉલ સહિત અનેક સંસ્થાઓ બંધ રાખાવા જણાવ્યું છે. પરંતુ બોર્ડની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

કોરોના કહેરઃ ગુજરાતમાં 16થી 29 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થા રહેશે બંધ, બોર્ડની પરીક્ષા યથાવત

મળતી માહિતી પ્રમાણે, લોકહિતને ધ્યાનમાં રાખીને રાજ્યસરકારે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બેઠક યોજી હતી. જેમાં ભારતમાં પગપેસારો કરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. શાળા-કૉલેજોને બંધ કરવાનો નિર્યણ લેવાયો છે. સાથે લોકોને સ્વાસ્થ્ય અંગે જાગ્રત રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન સહિત શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે રાજ્યના અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે આ પરીક્ષા અંગે શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું હતું કે, "30 તારીખ બાદ જ શાળા-કોલેજોમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પરંતુ ક્યારે લેવાશે તે અંગે તારીખ જાહેર કરાઈ નથી."

Last Updated : Mar 15, 2020, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.