ETV Bharat / state

અનેકવાર રજૂઆત છતાં આકારણી પત્રક નહીં મળતા 7 ગામના લોકોની કલેક્ટરને રજૂઆત - gujarati news

ગાંધીનગરઃ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ સાત ગામના રહીશો દ્વારા આકારણી પત્રક આપવાની માગ કરવામાં આવી છે. સાત-સાત વખત રજૂઆત કરવા છતાં અધિકારીઓના બહેરા કાને વાત ન પડતા સોમવારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે 200 કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા.

gandhinagar news
author img

By

Published : Sep 23, 2019, 9:33 PM IST

ગાંધીનગર શહેર વસાહત અસરગ્રસ્ત મહામંડળના ભરતસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ગામમાં રહેતા તમામ અસરગ્રસ્ત વસાહતીઓની મિલકતો કાયદેસરની છે અને સરકારી ચોપડે નોંધાયેલી છે, પરંતુ આકારણી પત્રક આપવામાં આવતું નથી. જેથી અમે ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગરની આજૂ-બાજૂમાં આવેલા ગામડાઓના અનેક ખેડૂતોએ પોતાના કાળજાના ટુકડા સમાન જમીનો સરકારને આપી દીધી હતી. સરકાર દ્વારા જે તે સમયે વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી આ ગામડા શહેર જેવી સુવિધા મળતી નથી. અનેક વખતે રજૂઆતો કરવા છતાં રાજ્યભરમાંથી આવતા નેતાઓ સુખ અને શાંતિ ગાંધીનગરમાં આવીને મેળવે છે, પરંતુ ગાંધીનગરને વસાવવામાં જમીન આપનાર ખેડૂતો શાંતિ મેળવી શક્યા નથી. જેથી ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ આદીવાડા, બોરીજ, ધોળાકુવા, ઈન્દ્રોડા, બાસણ, પાલજ અને ફતેપુરા ગામના રહીશો કલેક્ટર કચેરીએ આકારણી પત્રક આપવાની માગ સાથે ઉમટી પડ્યા હતા.

7 વખત રજૂઆત છતાં આકારણી પત્રક નહીં મળતા 7 ગામના લોકોની કલેક્ટર કચેરી પર ચડાઈ

બિહોલાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી ગામોમાં હાલમાં સીટી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગના મિલકતધારકોને નોટિસ ફાળવામાં આવી છે. જેમાં માલિકીના પુરાવા સાથે આકારણી પત્રક આપવાનું છે, પરંતુ મોટાભાગના અસરગ્રસ્ત ખેડૂતો પાસે આકારણી પત્રક નથી. સરકારમાં અગાઉ 7 વખત રજૂઆત કરી હોવા છતાં આકારણી પત્રક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 50 વર્ષ પહેલા તમામ ખેડૂતો દ્વારા જમીન આપવામાં આવી હતી ત્યારે હાલમાં સરકાર પાસે અમારી માગ છે કે, આ ખેડૂતોને આકારણી પત્રક આપવામાં આવે. જો આગામી સમયમાં અમારી આ માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તમામ ગામના ખેડૂતો વિધાનસભા ઉપર ચડાઈ કરવામાં પણ સહેજ પણ વિચાર કરશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગર શહેર વસાહત અસરગ્રસ્ત મહામંડળના ભરતસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ગામમાં રહેતા તમામ અસરગ્રસ્ત વસાહતીઓની મિલકતો કાયદેસરની છે અને સરકારી ચોપડે નોંધાયેલી છે, પરંતુ આકારણી પત્રક આપવામાં આવતું નથી. જેથી અમે ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગરની આજૂ-બાજૂમાં આવેલા ગામડાઓના અનેક ખેડૂતોએ પોતાના કાળજાના ટુકડા સમાન જમીનો સરકારને આપી દીધી હતી. સરકાર દ્વારા જે તે સમયે વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી આ ગામડા શહેર જેવી સુવિધા મળતી નથી. અનેક વખતે રજૂઆતો કરવા છતાં રાજ્યભરમાંથી આવતા નેતાઓ સુખ અને શાંતિ ગાંધીનગરમાં આવીને મેળવે છે, પરંતુ ગાંધીનગરને વસાવવામાં જમીન આપનાર ખેડૂતો શાંતિ મેળવી શક્યા નથી. જેથી ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ આદીવાડા, બોરીજ, ધોળાકુવા, ઈન્દ્રોડા, બાસણ, પાલજ અને ફતેપુરા ગામના રહીશો કલેક્ટર કચેરીએ આકારણી પત્રક આપવાની માગ સાથે ઉમટી પડ્યા હતા.

7 વખત રજૂઆત છતાં આકારણી પત્રક નહીં મળતા 7 ગામના લોકોની કલેક્ટર કચેરી પર ચડાઈ

બિહોલાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી ગામોમાં હાલમાં સીટી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગના મિલકતધારકોને નોટિસ ફાળવામાં આવી છે. જેમાં માલિકીના પુરાવા સાથે આકારણી પત્રક આપવાનું છે, પરંતુ મોટાભાગના અસરગ્રસ્ત ખેડૂતો પાસે આકારણી પત્રક નથી. સરકારમાં અગાઉ 7 વખત રજૂઆત કરી હોવા છતાં આકારણી પત્રક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 50 વર્ષ પહેલા તમામ ખેડૂતો દ્વારા જમીન આપવામાં આવી હતી ત્યારે હાલમાં સરકાર પાસે અમારી માગ છે કે, આ ખેડૂતોને આકારણી પત્રક આપવામાં આવે. જો આગામી સમયમાં અમારી આ માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તમામ ગામના ખેડૂતો વિધાનસભા ઉપર ચડાઈ કરવામાં પણ સહેજ પણ વિચાર કરશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે.

Intro:હેડલાઈન) 7 વાર રજૂઆત છતાં આકારણી પત્રક નહીં મળતા પાલિકાના સાત ગામના લોકોની કલેક્ટર કચેરી પર ચડાઈ

ગાંધીનગર,
ગાંધીનગર મહાપાલિકામાં સમાવિષ્ટ સાત ગામના રહીશો દ્વારા આકારણી પત્રક આપવાની માંગ કરવામાં આવી છે. સાત સાત વખત રજૂઆત કરવા છતાં અધિકારીઓના બહેરા કાને વાત નહિ પડતા આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે 200 કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા. ગાંધીનગર શહેર વસાહત અસરગ્રસ્ત મહામંડળના ભરતસિંહ બિહોલાએ કહ્યું કે, ગામોમાં રહેતા તમામ અસરગ્રસ્ત વસાહતીઓની મિલકતો કાયદેસરની છે. સરકારી ચોપડે નોંધાયેલી છે પરંતુ આકારણી પત્રક આપવામાં આવતું નથી, જેને લઇને ગાંધીનગર કલેકટર રજૂઆત કરવામાં આવી છે.Body:રાજ્યનું પાટનગર ગાંધીનગર આજુબાજુમાં આવેલા ગામડાના ભોગ બનાવવામાં આવ્યું છે. અનેક ખેડૂતોએ પોતાના કાળજાના ટુકડા સમાન જમીનો સરકારને આપી દીધી હતી. સરકાર દ્વારા જે તે સમયે વળતર આપવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી આ ગામડા શહેર જેવી સુવિધા મળતી નથી. અનેક વખતે રજૂઆતો કરવા છતાં રાજ્યભરમાંથી આવતા નેતાઓ સુખ અને શાંતિ ગાંધીનગરમાં આવીને મેળવે છે. પરંતુ ગાંધીનગરની વસાવવામાં જમીન આપનાર ખેડૂતો શાંતિ મેળવી શક્યા નથી. ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ આદીવાડા, બોરીજ, ધોળાકુવા, ઇન્દ્રોડા, બાસણ, પાલજ અને ફતેપુરા ગામના રહીશો કલેકટર કચેરીએ આકારણી પત્રક આપવાની માંગ સાથે ઉમટી પડ્યા હતા.Conclusion:ગાંધીનગર શહેર વસાહત અસરગ્રસ્ત મહામંડળના ભરતસિંહ બિહોલાએ કહ્યું કે, શહેરી ગામોમાં હાલમાં સીટી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગના મિલકતદારો ધારકોને નોટિસ બજાવવામાં આવી છે. ત્યારે માલિકીના પુરાવા સાથે વિગતો સરકારમાં જમા કરાવવાની છે. જેમાં માલિકીના પુરાવા માટે આકારણી પત્રક આપવાનું છે. પરંતુ મોટાભાગના અસરગ્રસ્ત ખેડૂતો પાસે આકારણી પત્રક નથી. સરકારમાં અગાઉ સાત વખત રજૂઆત કરી છે. પરંતુ આકારણી પત્રક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. 50 વર્ષ પહેલા તમામ ખેડૂતો દ્વારા જમીન આપવામાં આવી હતી ત્યારે હાલમાં સરકાર પાસે અમારી માંગ છે કે, એમણે આકારણી પત્રક આપવામાં આવે જો આગામી સમયમાં અમારી મહારાજને સ્વીકાર કરવામાં નહીં આવે તો તમામ ગામના ખેડૂતો વિધાનસભા ઉપર ચડાઈ કરવામાં પણ સહેજ પણ વિચાર કરશે નહીં.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.