ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડતાં કાકી, ભત્રીજીના મોત

author img

By

Published : Jun 30, 2020, 7:54 PM IST

જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે વીજળી પડતાં કાકી અને ભત્રીજીના મોત નિપજ્યા હતાં.

દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડતાં કાકી, ભત્રીજીના મોત
દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડતાં કાકી, ભત્રીજીના મોત

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા તાલુકાના વિરમદળ ગામે કાકી અને ભત્રીજા પર વીજળી પડતાં બંનેને વધુ સારવાર અર્થે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન બનેનું મોત નિપજ્યાં હતાં.

દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડતાં કાકી, ભત્રીજીના મોત
મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામા ભારે ગાજ વીજ સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયા નજીકના 132 કે.વી. સબ સ્ટેશનનાં વાયર ઉપર વીજળી પડતા અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ કરવામાં આવતા લોકો પરેશાન થયા હતા.

વીજળી પડવાની રાજ્ય સહિત દેશની ઘટનાઓ :

અરવલ્લી : રાજ્યમાં ભારે વરસાદના આગાહી બાદ વરસાદનું ધીમી ધારે આગમન શરૂ થયું છે. જેમાં રાજ્યમાં અનેક બનાવો પણ સામે આવ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં એક ઝાડ પર વિજળી પડી હતી.

જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકામાં એક મકાન પર વિજળી પડી હતી. જેના પગલે મકાનમાં નુકસાન પહોંચ્યું છે.

રાજ્ય : દેશમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિજળી પડતા 110 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ વચ્ચે મુખ્ય પ્રધાને ઘટનામાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા તાલુકાના વિરમદળ ગામે કાકી અને ભત્રીજા પર વીજળી પડતાં બંનેને વધુ સારવાર અર્થે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન બનેનું મોત નિપજ્યાં હતાં.

દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડતાં કાકી, ભત્રીજીના મોત
મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામા ભારે ગાજ વીજ સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયા નજીકના 132 કે.વી. સબ સ્ટેશનનાં વાયર ઉપર વીજળી પડતા અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ કરવામાં આવતા લોકો પરેશાન થયા હતા.

વીજળી પડવાની રાજ્ય સહિત દેશની ઘટનાઓ :

અરવલ્લી : રાજ્યમાં ભારે વરસાદના આગાહી બાદ વરસાદનું ધીમી ધારે આગમન શરૂ થયું છે. જેમાં રાજ્યમાં અનેક બનાવો પણ સામે આવ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં એક ઝાડ પર વિજળી પડી હતી.

જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકામાં એક મકાન પર વિજળી પડી હતી. જેના પગલે મકાનમાં નુકસાન પહોંચ્યું છે.

રાજ્ય : દેશમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિજળી પડતા 110 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ વચ્ચે મુખ્ય પ્રધાને ઘટનામાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.