દેવભૂમિ દ્વારકાઃ કોરોના મહામારી ચિંતામાંથી મૂક્ત થયા બાદ ભગવાન દ્વારકાધીશ ઉપર અખૂટ શ્રધ્ધા ધરાવતા શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે દ્વારકા તરફ આવતા થયા છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8982294_a.png)
ભગવાન દ્વારકાધીશ ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના વૈશાલીબેન ગુપ્તા કોરોના કાળ દરમિયાનન ખૂબ ચિંતિંત બન્યા હતા અને મનમાં નક્કી કર્યું હતું કે, આ મહામારી ઓછી થાય ત્યારબાદ પોતાના જન્મદિવસ ઉપર તેઓ પોતાના પરિવાર સાથે દ્વારકા આવશે અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવી ભગવાન દ્વારકાધીશને મુખ્ય શિખર ઉપર ધજા ચડાવીને ભગવાન દ્વારકાધીશને અતિપ્રિય મોર પંખનો સોનાથી મઢેલો ચાંદીનો મુકુટ અર્પણ કરશે. જેથી મંગળવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વૈશાલીબેન પોતાના પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સોનાથી મઢેલો ચાંદીનો મુગટ અર્પણ કર્યો હતો.