પ્રાથમિક માહિતી મુજબ અરમાનને તેના પિતા રજાકે શાળાએ જવાનુ કહેતા અરમાનને શાળાએ જવાનુ પસંદ ન હતુ. જેથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા વરવાળા જેવા નાના ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
અરમાનના પિતા વરવાળા નજીક રુપેણબંદર ઉપર માછીમારીનો ધંધો કરે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માત્ર 13 વર્ષના અરમાને સામાન્ય કારણો સર આવું પગલુ ભરી લેતા તેના પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.