ETV Bharat / state

અમદાવાદના કોરોના વોરિયરના નિધન પર દાહોદ પોલીસની શ્રદ્ધાંજલિ

author img

By

Published : May 19, 2020, 9:52 PM IST

અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાઈરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

tribute of Dahod police for the death of corona Warrior of Ahmedabad
અમદાવાદના કોરોના વોરિયરના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ

દાહોદઃ અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાઈરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

tribute of Dahod police for the death of corona Warrior of Ahmedabad
અમદાવાદના કોરોના વોરિયરના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ સોમાભાઇને લોકડાઉનની ફરજ દરમિયાન ઘાતક કોરોના વાઈરસ લાગુ પડ્યો હતો અને તેમના માટે આ વાઈરસ જીવલેણ નીવડ્યો હતો. કોરોના વાયરસ સામે લડતા અવસાન પામેલા સ્વર્ગસ્થ ભરતભાઇના પરિવાર સાથે સમગ્ર ગુજરાત પોલીસ તંત્ર પડખે ઉભું રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ એમા જોડાયું હતું.
tribute of Dahod police for the death of corona Warrior of Ahmedabad
અમદાવાદના કોરોના વોરિયરના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ

દાહોદ જિલ્લા પોલીસ વડાની કચેરીના પટાંગણમાં તમામ પોલીસકર્મીઓ સામાજિક અંતરના નિયમોના પાલન સાથે એકત્ર થયા હતા અને બે મિનિટનું મૌન પાળીને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભાનું નેતૃત્વ એસપી હિતેશ જોયસરે કર્યું હતું. તેમણે સ્વર્ગસ્થના બલિદાનને બિરદાવી શોક વ્યક્ત કર્યો હતો.

દાહોદઃ અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાઈરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

tribute of Dahod police for the death of corona Warrior of Ahmedabad
અમદાવાદના કોરોના વોરિયરના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ સોમાભાઇને લોકડાઉનની ફરજ દરમિયાન ઘાતક કોરોના વાઈરસ લાગુ પડ્યો હતો અને તેમના માટે આ વાઈરસ જીવલેણ નીવડ્યો હતો. કોરોના વાયરસ સામે લડતા અવસાન પામેલા સ્વર્ગસ્થ ભરતભાઇના પરિવાર સાથે સમગ્ર ગુજરાત પોલીસ તંત્ર પડખે ઉભું રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ એમા જોડાયું હતું.
tribute of Dahod police for the death of corona Warrior of Ahmedabad
અમદાવાદના કોરોના વોરિયરના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ

દાહોદ જિલ્લા પોલીસ વડાની કચેરીના પટાંગણમાં તમામ પોલીસકર્મીઓ સામાજિક અંતરના નિયમોના પાલન સાથે એકત્ર થયા હતા અને બે મિનિટનું મૌન પાળીને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભાનું નેતૃત્વ એસપી હિતેશ જોયસરે કર્યું હતું. તેમણે સ્વર્ગસ્થના બલિદાનને બિરદાવી શોક વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.