ETV Bharat / state

દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ

author img

By

Published : May 30, 2020, 8:25 PM IST

દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખેતીવાડી સહિત વિભાગના તાલુકા મથકના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

preparation against locust attack
દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ

દાહોદઃ દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખેતીવાડી સહિત વિભાગના તાલુકા મથકના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

preparation against locust attack
દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ


ખેડૂતનો સૌથી જૂનો દુશ્મન પર્ણભક્ષી તીડ જ્યારે એકલદોકલ હોય ત્યારે સામાન્ય તીતીઘોડાની જેમ વ્યવહાર કરે છે. તેને એકલ અવસ્થા કહેવામાં આવે છે. પણ જ્યારે સમૂહ બનાવી હુમલો કરે ત્યારે પાક અને વૃક્ષોને બહુ જ નુકસાન કરે છે.

આ રણતીડની ઉત્પતિ રણ પ્રદેશમાં થાય છે. જેમ કે, આફ્રિકાનંં રણ, મધ્યપૂર્વેના દેશો, એશિયા ખંડના અન્ય રણમાં તેની ઉત્પત્તિ થાય છે. તીડ પોતાના શરીરના બંધારણમાં ઝડપથી ફરેફાર કરી શકે છે. આ પહેલા જ્યારે, ગુજરાતમાં તીડનું આક્રમણ થયું ત્યારે હજારોના સમૂહમાં આક્રમણ થયું હતું. આ વખતે ખરીફ પાકમાં પણ તીડના ત્રાસની શક્યતા રહેલી છે. કારણ કે, મીડઇસ્ટના દેશોમાં તીડના ઇંડાની કોલોની જોવા મળી છે. તીડના ટોળા દિવસ દરમિયાન ઉડતા રહે છે. સાંજ પડતા ઝાડ, ઝાડીઓ તથા ખેતીના પાકો ઉપર રોકાણ કરે છે. આથી તીડના ઝૂંડને શોધવા માટે ખાસ સાંજનો સમય અનુકૂળ છે. કારણ કે સૂરજ ઉગતા જ તીડ ઉડવા માંડે છે.

અત્યાર સુધી ખેડૂતો પરંપરાગત રીતે ચાલી આવતી પદ્ધતિ પ્રમાણે તીડને ઉડાડતા આવ્યા છે. જેમાં થાળી, ઢોલ પીટીને અવાજ દ્વારા તીડને ઉડાડવામાં આવે છે. હવે, તંત્ર દ્વારા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર દ્વારા દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ખરીફ મોસમમાં તીડના આક્રમણને રોકવા માટે ગ્રામકક્ષાએ લોકોને જાગૃત કરવા, કમિટિ બનાવવી ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ કમિટિ બનાવી કન્ટ્રોલ રૂમ ખોલવામાં આવશે.

દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામવાર માહિતી એકત્ર કરવામાં આવશે. જેથી તીડના આક્રમણ વખતે સમયસર પગલાં લઇ શકાય. ટ્રેક્ટર સંચાલિત પાવર સ્પ્રેયર, પાણીના ટેન્કરો, જંતુનાશક દવાના વિક્રેતાની યાદી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી જિતેન્દ્ર સુથાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

દાહોદઃ દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખેતીવાડી સહિત વિભાગના તાલુકા મથકના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

preparation against locust attack
દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ


ખેડૂતનો સૌથી જૂનો દુશ્મન પર્ણભક્ષી તીડ જ્યારે એકલદોકલ હોય ત્યારે સામાન્ય તીતીઘોડાની જેમ વ્યવહાર કરે છે. તેને એકલ અવસ્થા કહેવામાં આવે છે. પણ જ્યારે સમૂહ બનાવી હુમલો કરે ત્યારે પાક અને વૃક્ષોને બહુ જ નુકસાન કરે છે.

આ રણતીડની ઉત્પતિ રણ પ્રદેશમાં થાય છે. જેમ કે, આફ્રિકાનંં રણ, મધ્યપૂર્વેના દેશો, એશિયા ખંડના અન્ય રણમાં તેની ઉત્પત્તિ થાય છે. તીડ પોતાના શરીરના બંધારણમાં ઝડપથી ફરેફાર કરી શકે છે. આ પહેલા જ્યારે, ગુજરાતમાં તીડનું આક્રમણ થયું ત્યારે હજારોના સમૂહમાં આક્રમણ થયું હતું. આ વખતે ખરીફ પાકમાં પણ તીડના ત્રાસની શક્યતા રહેલી છે. કારણ કે, મીડઇસ્ટના દેશોમાં તીડના ઇંડાની કોલોની જોવા મળી છે. તીડના ટોળા દિવસ દરમિયાન ઉડતા રહે છે. સાંજ પડતા ઝાડ, ઝાડીઓ તથા ખેતીના પાકો ઉપર રોકાણ કરે છે. આથી તીડના ઝૂંડને શોધવા માટે ખાસ સાંજનો સમય અનુકૂળ છે. કારણ કે સૂરજ ઉગતા જ તીડ ઉડવા માંડે છે.

અત્યાર સુધી ખેડૂતો પરંપરાગત રીતે ચાલી આવતી પદ્ધતિ પ્રમાણે તીડને ઉડાડતા આવ્યા છે. જેમાં થાળી, ઢોલ પીટીને અવાજ દ્વારા તીડને ઉડાડવામાં આવે છે. હવે, તંત્ર દ્વારા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર દ્વારા દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ખરીફ મોસમમાં તીડના આક્રમણને રોકવા માટે ગ્રામકક્ષાએ લોકોને જાગૃત કરવા, કમિટિ બનાવવી ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ કમિટિ બનાવી કન્ટ્રોલ રૂમ ખોલવામાં આવશે.

દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામવાર માહિતી એકત્ર કરવામાં આવશે. જેથી તીડના આક્રમણ વખતે સમયસર પગલાં લઇ શકાય. ટ્રેક્ટર સંચાલિત પાવર સ્પ્રેયર, પાણીના ટેન્કરો, જંતુનાશક દવાના વિક્રેતાની યાદી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી જિતેન્દ્ર સુથાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.