ETV Bharat / state

દહોદમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલાં બે પરિવાર પુત્રનો મૃતદેહ લઈ પરત ફર્યા - two people die

દાહોદ: તાલુકામાં હર્ષોલ્લાસથી દશામાની વિદાય કરવા નીકળેલો પરિવાર શોકના આંસુ સાથે પરત ફર્યો. જાબુનગર ગામ અને ગરબાડા ગામના બે યુવકના નદીમાં ડૂબવાથી મોત થયાં છે. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે એક દિવસ પહેલાં પરિવારમાં જોવા મળતો હર્ષોલ્લાસ શોકમાં ફેરવાયો છે.

દહોદમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલાં બે પરિવાર પુત્રનો મૃતદેહ લઈ પરત ફર્યા
author img

By

Published : Aug 12, 2019, 3:54 AM IST

દશામાનું મૂર્તિ વિસર્જન હોય કે, ગણેશ વિસર્જન. આ બંને તહેવારોમાં નદીમાં ડૂબવાથી થતાં મોત જાણે સામન્ય થઈ ગયા છે. આવા કિસ્સાઓમાં લોકો પ્રશાસનનો વાંક કાઢે છે પણ દરેક વખતે પ્રશાસની જ ભૂલ હોય તે જરૂરી નથી. કેટલીક વખતે લોકોએ સાવચેત રહેવાની જરૂર હોય છે.

રવિવારના રોજ દશામની મૂર્તિ વિર્સજન કરાયું હતું. ત્યારે પણ આ મોતનો સિલસિલો જોવા મળ્યો હતો. જિલ્લાના ગરબાડા ગામે અતુલભાઈ ભાભોરનું ખોડવા નદીમાં ડૂબવાથી અને ધાનપુર તાલુકાના જાબુનગર ગામમાં સંજય બારીયાનું ગરનાળામાં ડૂબવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શોધખોળ ચાલું કરવામાં આવી હતી.

દહોદમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલાં બે પરિવાર પુત્રનો મૃતદેહ લઈ પરત ફર્યા

દર વર્ષે આવી અનેક ઘટનાઓ બને છે. જિલ્લાવાર પાણી ડૂબવાથી થતાં મોતના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે તંત્ર એનું કામ અને લોકો શોક વ્યક્ત કરીને ઘટનાને ભૂલી જાય છે. આ રીતે આવી ઘટનાઓ અવિરત પણ ચાલતી રહે છે. પણ કોઈ તેની પાછળના કારણને તપાસવાની કે સમજવાની તસ્દી લેતું નથી. મોટાભાગે આવી ઘટનાઓમાં તંત્રની બેદરકારી માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં છે. જો કે, કેટલાંક કિસ્સાઓમાં તંત્રની બેજવાબદારી જોવા પણ મળે છે. પણ દરેક વખતે તંત્રને જ જવાબદાર ગણવું પણ યોગ્ય નથી.

મૂર્તિ વિસર્જનને લઈ લોકોમાં એવી લોકમાન્યતા છે કે, મૂર્તિને ઊંડા પાણીમાં પધરાવવી. જેથી મૂર્તિ ખંડિત થયા વિના વહેણમાં વહી જાય. એટલે લોકો નદીના ઊંડાણવાળા ભાગમાં જઈને મૂર્તિ ડૂબાડવા જાય છે. જેમાં મોટાભાગના લોકો મોતને ભેટે છે. છતાં આ પરિસ્થિતિમાં કે માન્યતામાં કોઈ પરિવર્તન આવતું નથી.

કેટલાંક નદી,તળાવ અને નહેરોમાં તરૈયાઓ પણ કમાણી કરવા માટે ઊંડાણવાળા પાણીમાં મૂર્તિ ડૂબાડવાના પૈસા લઈ રોજગારી મેળવે છે. પણ ઘણીવાર પાણીના જોરમાં તરૈયાઓના પણ ડૂબવાના કિસ્સાઓ સામે આવતાં રહે છે. એટલે પરિસ્થિતિમાં દુ:ખ વ્યક્ત કરવાની સાથે થોડા તાર્કિક કારણો વિશે પણ વિચારવું જરૂરી બને છે. આવી ઘટનાઓમાં તંત્ર સાથે લોકોને પણ જવાબદાર બનાવાની જરૂર છે. જેથી આવા આકસ્મિક બનાવોને ટાળી શકાય.

દશામાનું મૂર્તિ વિસર્જન હોય કે, ગણેશ વિસર્જન. આ બંને તહેવારોમાં નદીમાં ડૂબવાથી થતાં મોત જાણે સામન્ય થઈ ગયા છે. આવા કિસ્સાઓમાં લોકો પ્રશાસનનો વાંક કાઢે છે પણ દરેક વખતે પ્રશાસની જ ભૂલ હોય તે જરૂરી નથી. કેટલીક વખતે લોકોએ સાવચેત રહેવાની જરૂર હોય છે.

રવિવારના રોજ દશામની મૂર્તિ વિર્સજન કરાયું હતું. ત્યારે પણ આ મોતનો સિલસિલો જોવા મળ્યો હતો. જિલ્લાના ગરબાડા ગામે અતુલભાઈ ભાભોરનું ખોડવા નદીમાં ડૂબવાથી અને ધાનપુર તાલુકાના જાબુનગર ગામમાં સંજય બારીયાનું ગરનાળામાં ડૂબવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શોધખોળ ચાલું કરવામાં આવી હતી.

દહોદમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલાં બે પરિવાર પુત્રનો મૃતદેહ લઈ પરત ફર્યા

દર વર્ષે આવી અનેક ઘટનાઓ બને છે. જિલ્લાવાર પાણી ડૂબવાથી થતાં મોતના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે તંત્ર એનું કામ અને લોકો શોક વ્યક્ત કરીને ઘટનાને ભૂલી જાય છે. આ રીતે આવી ઘટનાઓ અવિરત પણ ચાલતી રહે છે. પણ કોઈ તેની પાછળના કારણને તપાસવાની કે સમજવાની તસ્દી લેતું નથી. મોટાભાગે આવી ઘટનાઓમાં તંત્રની બેદરકારી માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં છે. જો કે, કેટલાંક કિસ્સાઓમાં તંત્રની બેજવાબદારી જોવા પણ મળે છે. પણ દરેક વખતે તંત્રને જ જવાબદાર ગણવું પણ યોગ્ય નથી.

મૂર્તિ વિસર્જનને લઈ લોકોમાં એવી લોકમાન્યતા છે કે, મૂર્તિને ઊંડા પાણીમાં પધરાવવી. જેથી મૂર્તિ ખંડિત થયા વિના વહેણમાં વહી જાય. એટલે લોકો નદીના ઊંડાણવાળા ભાગમાં જઈને મૂર્તિ ડૂબાડવા જાય છે. જેમાં મોટાભાગના લોકો મોતને ભેટે છે. છતાં આ પરિસ્થિતિમાં કે માન્યતામાં કોઈ પરિવર્તન આવતું નથી.

કેટલાંક નદી,તળાવ અને નહેરોમાં તરૈયાઓ પણ કમાણી કરવા માટે ઊંડાણવાળા પાણીમાં મૂર્તિ ડૂબાડવાના પૈસા લઈ રોજગારી મેળવે છે. પણ ઘણીવાર પાણીના જોરમાં તરૈયાઓના પણ ડૂબવાના કિસ્સાઓ સામે આવતાં રહે છે. એટલે પરિસ્થિતિમાં દુ:ખ વ્યક્ત કરવાની સાથે થોડા તાર્કિક કારણો વિશે પણ વિચારવું જરૂરી બને છે. આવી ઘટનાઓમાં તંત્ર સાથે લોકોને પણ જવાબદાર બનાવાની જરૂર છે. જેથી આવા આકસ્મિક બનાવોને ટાળી શકાય.

Intro:દશામાની મૂર્તિના વિસર્જન ટાણે ગરબાડા અને ઝાબુ ગામે ડૂબી જતા બે ના મોત , પરિવારમાં માતમ છવાયો

દાહોદ ,ભાવિક ભક્તો દ્વારા નવ દિવસ દશામાની ઘરે સ્થાપના કર્યા બાદ દસમા દિવસે ધામધૂમપૂર્વક તળાવો અને નદીઓમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું દશામાની મૂર્તિના વિસર્જન ઉત્સવ દરમિયાન ગરબાડા અને ધાનપુર ના જાબુગામ એ યુવક ડૂબી જવાના કારણે પરિવારમાં ઉત્સાહ ની જગ્યા પર માતમ છવાઇ જવા પામ્યો છે પરિવારના લાડકવાયા ડૂબી મોતને ભેટતા તેમના પર આભ તૂટી પડયું હતું
Body:
દાહોદ જિલ્લામાં દિવાસાના દિવસથી દશામાની પ્રતિમાની સ્થાપના કરી ભાવિક ભક્તો દ્વારા આનંદ ઉત્સાહ સાથે તહેવાર મનાવવામાં આવતો હોય છે દસમા દિવસે દશામાં ની સ્થાપના કરેલ પ્રતિમાને તળાવ તેમજ નદીઓમાં ધામધૂમપૂર્વક લઈ જઈને વિસર્જન કરવામાં આવ્યું હતું વહેલી સવારે દશામાની મૂર્તિનું વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે જિલ્લાના ગરબાડા મુકામે મૂર્તિનું વિસર્જન કરી રહેલા અતુલભાઇ ઉદેશીંગ ભાઈ ભાભોર ખોડવા નદીના ઉંડા નીરમાં ગરકાવ થઇ જતા પાણી પી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા ઉત્સવ વચ્ચે નદીના પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામેલા અતુલના પરિવારજ માતમ છવાઇ જવા પામ્યો હતો જ્યારે બીજી ઘટના ધાનપુર તાલુકાના ઝાબુ ગામે બનવા પામી હતી ગામમાં રહેતા સંજયભાઈ રૂપસિંહભાઇ બારીયા પરિવારજનો જ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગામ ના તળાવ માં સવારે પહોંચ્યા હતા પરિવાર સાથે દશામાની મૂર્તિ નો ઊંડા પાણીમાં વિસર્જન ઉત્સવ મનાવવા અંદર ઉતર્યા ત્યારે તેઓ પાણીમાં ડૂબી ગયા જવાની ઘટના બની હતી શોધખોળ બાદ પણ સંજયભાઈ નો મૃત્યુ નહીં મળતા તાલુકાની આપદા ટીમ દ્વારા ભારે જહેમત બાદ સંજયભાઈ નો મૃતદેહને બહાર કાઢી લાવવામાં આવ્યો હતો આમ જિલ્લામાં દશામાની મૂર્તિનું વિસર્જન સમયે બે યુવાનનું મૃત્યુ થતા તેમના પરિવારમાં પોતાની જગ્યા પર શોકનો માહોલ સર્જાયો છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.