ETV Bharat / state

દાહોદ જિલ્લામાં સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સામેલ થનારા લોકોમાં કોરોના પોઝિટિવ થવાનું પ્રમાણ સૌથી વધુ: જિલ્લા કલેક્ટર

author img

By

Published : Sep 11, 2020, 8:01 PM IST

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. છતાં જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા પખવાડિયાના કેસો ચકાસવામાં આવ્યા હતા. જેમાં વેપારીવર્ગ વધુ સંક્રમિત થયા છે. તેમજ સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં સામેલ થનારા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે હોવાનું બહાર આવ્યું છે. જેથી નવા કેસના તારણો બાદ કલેક્ટરે લોકોનું ધ્યાન દોરવા સાથે તકેદારી રાખવા સૂચન કર્યું છે.

etv bharat
સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સામેલ થનારા લોકો સૌથી વધુ કોરોના સંક્રમિત - કલેક્ટર વિજય ખરાડી

દાહોદ: વૈશ્વિક કોરોના મહામારીએ જિલ્લામાં જમાવેલી પકડને નાબૂદ કરવા માટે આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.તે છતાં પણ કોરનાને સંપૂર્ણ નાબૂદ કરી શકાયું નથી. આ કોરોના મહામારીને નાથવા માટે જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા એક પખવાડિયામાં નવા નોંધાયેલા કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો બાદ જિલ્લા કલેક્ટરને કેટલીક બાબતો જે ખૂબ સંવેદનશીલ જણાતા જિલ્લા વાસીઓને તકેદારી રાખવાની અપીલ કરતા જણાવ્યું કે, દુકાનમાં ખરીદી વખતે સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે. ઘણાં વેપારીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. માટે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે છ ફૂટનું અંતર રાખવું જોઇએ અને માસ્ક ફરજીયાતપણે બંન્ને પક્ષે પહેરેલા હોય તે પણ એટલું જ આવશ્યક છે. વેપારીઓ પણ આ પ્રકારની વ્યવસ્થા કરે તે જરૂરી છે.

સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સામેલ થનારા લોકોમાં કોરોના પોઝિટિવ થવાનું પ્રમાણ સૌથી વધુ

તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત સામાજિક પ્રસંગોમાં, મરણ પ્રસંગે કે સામુહિક મેળાવડાઓમાં પણ જવાનું ટાળવું જોઇએ. કોરોના સંક્રમણના કેસોમાં એવા કેસો ઘણા જોવા મળી રહ્યાં છે જેઓ બે-ત્રણ દિવસ અગાઉ કોઇ સામાજિક-ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને ત્યાર બાદ તે કોરોના સંક્રમિત થયા હોય.જેથી આ મહામારીમાં પ્રસંગોમાં જવું ટાળવું જ જોઇએ.

આ પણ વાંચો - દાહોદમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા

તેમણે ઉમેર્યું કે, અનલોકના તબક્કામાં આંતરરાજય અવરજવર વધી છે. લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરી રહ્યાં છે. ત્યારે આવી મુસાફરી કરનારને જો કોઇ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. કોરોના સંક્રમણ બાબતે સાવચેતી એ જ સલાલતી છે.

દાહોદ: વૈશ્વિક કોરોના મહામારીએ જિલ્લામાં જમાવેલી પકડને નાબૂદ કરવા માટે આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.તે છતાં પણ કોરનાને સંપૂર્ણ નાબૂદ કરી શકાયું નથી. આ કોરોના મહામારીને નાથવા માટે જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા એક પખવાડિયામાં નવા નોંધાયેલા કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો બાદ જિલ્લા કલેક્ટરને કેટલીક બાબતો જે ખૂબ સંવેદનશીલ જણાતા જિલ્લા વાસીઓને તકેદારી રાખવાની અપીલ કરતા જણાવ્યું કે, દુકાનમાં ખરીદી વખતે સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે. ઘણાં વેપારીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. માટે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે છ ફૂટનું અંતર રાખવું જોઇએ અને માસ્ક ફરજીયાતપણે બંન્ને પક્ષે પહેરેલા હોય તે પણ એટલું જ આવશ્યક છે. વેપારીઓ પણ આ પ્રકારની વ્યવસ્થા કરે તે જરૂરી છે.

સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સામેલ થનારા લોકોમાં કોરોના પોઝિટિવ થવાનું પ્રમાણ સૌથી વધુ

તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત સામાજિક પ્રસંગોમાં, મરણ પ્રસંગે કે સામુહિક મેળાવડાઓમાં પણ જવાનું ટાળવું જોઇએ. કોરોના સંક્રમણના કેસોમાં એવા કેસો ઘણા જોવા મળી રહ્યાં છે જેઓ બે-ત્રણ દિવસ અગાઉ કોઇ સામાજિક-ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને ત્યાર બાદ તે કોરોના સંક્રમિત થયા હોય.જેથી આ મહામારીમાં પ્રસંગોમાં જવું ટાળવું જ જોઇએ.

આ પણ વાંચો - દાહોદમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા

તેમણે ઉમેર્યું કે, અનલોકના તબક્કામાં આંતરરાજય અવરજવર વધી છે. લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરી રહ્યાં છે. ત્યારે આવી મુસાફરી કરનારને જો કોઇ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. કોરોના સંક્રમણ બાબતે સાવચેતી એ જ સલાલતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.