શ્રીવાસ્તવ વડોદરાનાં વાઘોળીયાથી 6 વાર ધારાસભ્ય પદ પર રહી ચૂક્યા છે. તેમનુ કહેવુ છે કે, તેઓ પોતાનુ બલિદાન આપવા માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે, ધારાસભ્ય પણ દેશના પ્રત્તિનિધિ છે. જો પાકિસ્તાન 45 જવાનોને શહીદ કરી શકે છે તો, તો મારામાં 500 લોકોને મારવાની તાકત છે. જો સરકાર મને આદેશ આપે તો, હું મારુ વિમાન પાકિસ્તાનમાં ઉતારી ક્રેશ કરી દઈશ.
