ETV Bharat / state

પાળીયાદની વિસમનબાપુની સંસ્થામાં 125 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ

author img

By

Published : Sep 22, 2020, 1:08 PM IST

સૌરાષ્ટ્રમાં પ્રથમ એવી સંસ્થા હશે કે સામેથી આરોગ્યની ટીમને બોલાવી સંસ્થામાં કોરોના ટેસ્ટ કરાવે છે. પાળીયાદ શ્રી વિસામણબાપુની જગ્યા ખાતે 125 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Corona reports
Corona reports

બોટાદ : કોરોના વેશ્વિક મહામારી દિવસેને દિવસે વધી રહી છે. તો સતત કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે, અને ધંનવતરી રથ મૂકીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ ધાર્મિક સ્થાનો પણ ખુલ્લી રહ્યા છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે.

ત્યારે સૌરાષ્ટ્રની પ્રખ્યાત પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા છે. કાર્યરત વોર રૂમ ખાતેના જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.રાકેશ ચૌહાણ તેમજ મેડિકલ અધિકારી ડો.હિતેન્દ્ર ગોસ્વામી અને ડો.રાજેશ ઝાંખણીયા અને તેમની ટીમને પાળીયાદ જગ્યાના ગાદીપતિ મહંત શ્રી શ્રી1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક ભાઈશ્રી ભયલુબાપુ આરોગ્ય વિભાગની ટીમને બોલાવી હતી.

સંસ્થામાં સેવા કરતા કર્મચારીઓ , ચોકીદાર , પૂજારી , કામદાર , ગૌશાળા વિભાગના કામદારો , ખેતીવાડી વિભાગના મજૂરો , રસોડા વિભાગ ચા પાણી વિભાગ તમામ સ્ટાફ , સાફ-સફાઈ કર્મચારી તેમજ પુ.બા શ્રી પોતાનો અને ઠાકર પરીવારના તમામ સભ્યો ડ્રાઈવર , માળી મળીને કુલ ૧૨૫ લોકોનો covid-19 કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તમામ 125 લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યાં માણસો વધુ કામ કરતા હોય છે ત્યાં મહામારીનું સંક્રમણ ઘણું વધી રહ્યું છે. ત્યારે પોતાની અને પોતાની સંસ્થાના લોકો માટે જવાબદારી સમજીને આ કાર્ય કરવું જોઈએ એવું પુ.બા શ્રી અને ભાઈશ્રી ભયલુબાપુ નું સૂચન છે.કોરોના મહામારીની બીમારી થી ડરવાની જરૂર નથી. નિયમ પ્રમાણે ધ્યાન રાખી તેની સામે લડવાની જરૂર છે.

બોટાદ : કોરોના વેશ્વિક મહામારી દિવસેને દિવસે વધી રહી છે. તો સતત કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે, અને ધંનવતરી રથ મૂકીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ ધાર્મિક સ્થાનો પણ ખુલ્લી રહ્યા છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે.

ત્યારે સૌરાષ્ટ્રની પ્રખ્યાત પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા છે. કાર્યરત વોર રૂમ ખાતેના જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.રાકેશ ચૌહાણ તેમજ મેડિકલ અધિકારી ડો.હિતેન્દ્ર ગોસ્વામી અને ડો.રાજેશ ઝાંખણીયા અને તેમની ટીમને પાળીયાદ જગ્યાના ગાદીપતિ મહંત શ્રી શ્રી1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક ભાઈશ્રી ભયલુબાપુ આરોગ્ય વિભાગની ટીમને બોલાવી હતી.

સંસ્થામાં સેવા કરતા કર્મચારીઓ , ચોકીદાર , પૂજારી , કામદાર , ગૌશાળા વિભાગના કામદારો , ખેતીવાડી વિભાગના મજૂરો , રસોડા વિભાગ ચા પાણી વિભાગ તમામ સ્ટાફ , સાફ-સફાઈ કર્મચારી તેમજ પુ.બા શ્રી પોતાનો અને ઠાકર પરીવારના તમામ સભ્યો ડ્રાઈવર , માળી મળીને કુલ ૧૨૫ લોકોનો covid-19 કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તમામ 125 લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યાં માણસો વધુ કામ કરતા હોય છે ત્યાં મહામારીનું સંક્રમણ ઘણું વધી રહ્યું છે. ત્યારે પોતાની અને પોતાની સંસ્થાના લોકો માટે જવાબદારી સમજીને આ કાર્ય કરવું જોઈએ એવું પુ.બા શ્રી અને ભાઈશ્રી ભયલુબાપુ નું સૂચન છે.કોરોના મહામારીની બીમારી થી ડરવાની જરૂર નથી. નિયમ પ્રમાણે ધ્યાન રાખી તેની સામે લડવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.