ETV Bharat / state

ભાવનગરના અપહરણ અને એક કરોડની ખંડણી પ્રકરણમાં ત્રણની ધરપકડ - અપહરણ

ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી જવેલર્સની દુકાનના એજન્ટ મેનેજરનું અપહરણ એક માસ પૂર્વે થયું અને પોલીસના આશ્વાસન બાદ હિંમત કરી ફરિયાદ દાખલ કરી હતી. એક કરોડ આપી દેનાર વેપારીને ફરિયાદ બાદ સફળતા મળી છે કારણ કે પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી છે અને મુદ્દામાલ પણ થોડો ઘણો પરત મેળવ્યો છે પરંતુ હજુ બે આરોપી ફરાર છે જેમાં માસ્ટર માઈન્ડ પણ છે અને મોટી રકમ તેની પાસે છે.

એક માસ પૂર્વે અપહરણ અને એક કરોડની ખંડણી તો એક માસ બાદ ફરિયાદ અને આરોપી ઝડપાયા
એક માસ પૂર્વે અપહરણ અને એક કરોડની ખંડણી તો એક માસ બાદ ફરિયાદ અને આરોપી ઝડપાયા
author img

By

Published : Feb 27, 2020, 1:23 AM IST

ભાવનગરઃ શહેરના તનિષ્ક જવેલર્સ શોરૂમના મેનેજમેન્ટ એજન્ટનું એક માસ પૂર્વે અપહરણ કરી અને એક કરોડની ખંડણી લઈ છુટકારો કર્યા બાદ 29 દિવસે પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે આ ઘટનાના ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે હજુ આ ઘટનાનો માસ્ટર માઈન્ડ સહિત બે આરોપીઓ હજુ ફરાર છે, જો કે મહત્વની બાબત આ કેસમાં એ છે કે આ ઘટના અંગે પોલીસે ખાતરી આપ્યા બાદ વેપારીએ હિંમત એકઠી કરી 29 દિવસ બાદ ફરિયાદ કરી છે.

એક માસ પૂર્વે અપહરણ અને એક કરોડની ખંડણી તો એક માસ બાદ ફરિયાદ અને આરોપી ઝડપાયા
ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ ટાટા તનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ રાકેશભાઈ છત્રુલાલા જોધવાણીને ગત.29.1.2019ના રોજ હિલદ્રાઈવ વિસ્તારમાં આવેલ રહેણાંક નજીકથી કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમોએ અપહરણ કરી અને તેને અજાણી જગ્યાએ લઇ જય ગોંધી રાખેલ હતા, જે ઘટના બાદ તેની પાસે પાંચ લાખની ખંડણી માંગવામાં આવેલ, જો કે બાદમાં 50 લાખ રોકડા અને 50 લાખના દાગીના લઇ અને તેનો છુટકારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બે દિવસ પહેલા સમગ્ર ઘટના અંગે પોલીસે ખાતરી આપી બાદમાં વેપારીએ હિંમત ઝૂંટવી અને આ અંગેની ફરિયાદ નોંધવી હતી.
આરોપી ઝડપાયા
આરોપી ઝડપાયા
ભોગ બનનાર રાકેશભાઈ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ ભાવનગર રેન્જ આઈજી દ્વારા કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી, જેમાં ભાવનગર એલસીબી, એસઓજી સહિતના અધિકરીઓ દ્વારા તપાસ આરંભતા આ ઘટના ના ત્રણ આરોપીઓ ને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના કુંભરવાડા માં રહેતા રોહિત માસા કોતર, યશપાલસિંહ નરેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ શક્તિસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાને ઝડપી લીધા છે, તેમજ હજુ આ ઘટનાના બે આરોપીઓ પોલીસ સકંજાની બહાર છે, પોલીસે આ આરોપીઓ પાસેથી 12.10 લાખ રોકડા તેમજ બે એપલ ફોન બે કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ફરાર બે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ભાવનગરઃ શહેરના તનિષ્ક જવેલર્સ શોરૂમના મેનેજમેન્ટ એજન્ટનું એક માસ પૂર્વે અપહરણ કરી અને એક કરોડની ખંડણી લઈ છુટકારો કર્યા બાદ 29 દિવસે પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે આ ઘટનાના ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે હજુ આ ઘટનાનો માસ્ટર માઈન્ડ સહિત બે આરોપીઓ હજુ ફરાર છે, જો કે મહત્વની બાબત આ કેસમાં એ છે કે આ ઘટના અંગે પોલીસે ખાતરી આપ્યા બાદ વેપારીએ હિંમત એકઠી કરી 29 દિવસ બાદ ફરિયાદ કરી છે.

એક માસ પૂર્વે અપહરણ અને એક કરોડની ખંડણી તો એક માસ બાદ ફરિયાદ અને આરોપી ઝડપાયા
ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ ટાટા તનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ રાકેશભાઈ છત્રુલાલા જોધવાણીને ગત.29.1.2019ના રોજ હિલદ્રાઈવ વિસ્તારમાં આવેલ રહેણાંક નજીકથી કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમોએ અપહરણ કરી અને તેને અજાણી જગ્યાએ લઇ જય ગોંધી રાખેલ હતા, જે ઘટના બાદ તેની પાસે પાંચ લાખની ખંડણી માંગવામાં આવેલ, જો કે બાદમાં 50 લાખ રોકડા અને 50 લાખના દાગીના લઇ અને તેનો છુટકારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બે દિવસ પહેલા સમગ્ર ઘટના અંગે પોલીસે ખાતરી આપી બાદમાં વેપારીએ હિંમત ઝૂંટવી અને આ અંગેની ફરિયાદ નોંધવી હતી.
આરોપી ઝડપાયા
આરોપી ઝડપાયા
ભોગ બનનાર રાકેશભાઈ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ ભાવનગર રેન્જ આઈજી દ્વારા કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી, જેમાં ભાવનગર એલસીબી, એસઓજી સહિતના અધિકરીઓ દ્વારા તપાસ આરંભતા આ ઘટના ના ત્રણ આરોપીઓ ને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના કુંભરવાડા માં રહેતા રોહિત માસા કોતર, યશપાલસિંહ નરેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ શક્તિસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાને ઝડપી લીધા છે, તેમજ હજુ આ ઘટનાના બે આરોપીઓ પોલીસ સકંજાની બહાર છે, પોલીસે આ આરોપીઓ પાસેથી 12.10 લાખ રોકડા તેમજ બે એપલ ફોન બે કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ફરાર બે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.