ETV Bharat / state

Bhavnagar News: પવનચક્કીના પ્રોજેક્ટ સામે ખેડૂતોએ બાંયો ચડાવી, ધમકી દીધાનો આક્ષેપ

author img

By

Published : Aug 9, 2023, 10:29 AM IST

Updated : Aug 9, 2023, 12:19 PM IST

ભાવનગર દરિયાઈ પટ્ટી ઉપર પવનચક્કી નાખવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ દરમિયાન સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકારી તંત્ર કંપનીઓને છાવરી રહી હોય અને ખેડૂતોને ધમકાવવામાં આવે છે. ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી 7 દિવસ અલ્ટીમેટમ આપ્યું છે.

Bhavnagar News: પવનચક્કીના પ્રોજેક્ટ સામે ખેડૂતોએ બાયો ચડાવી, ધરતીપુત્રોને ધમકી દીધાનો આક્ષેપ
Bhavnagar News: પવનચક્કીના પ્રોજેક્ટ સામે ખેડૂતોએ બાયો ચડાવી, ધરતીપુત્રોને ધમકી દીધાનો આક્ષેપ
પવનચક્કીના પ્રોજેક્ટ સામે ખેડૂતોએ બાયો ચડાવી

ભાવનગર: જિલ્લાના બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા પવનચક્કી નાખવામાં આવી રહી છે. કંપનીમાં આવતા માલસામાન ટ્રકો મારફત આવે છે. આ ટ્રકો હાઇવે ઉપર ખડકાયેલા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ખડકાયેલા વાહનો અને પવનચક્કીની કંપનીઓની દાદાગીરીને પગલે કલેકટરને લેખિત આવેદનપત્ર અપાયું છે. ખેડૂત અગ્રણી સાત દિવસમાં નિકાલ નહિ આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

ધરતીપુત્રોને ધમકી દીધાનો આક્ષેપ
ધરતીપુત્રોને ધમકી દીધાનો આક્ષેપ

'ખેડૂતો કોઈ વિરોધ કરે તો પોલીસ તેમને યેનકેન પ્રકારે પોલીસ સ્ટેશન લઈ જઈને ધમકાવે છે. કંપની માથાભારે માણસો રાખી ખેડૂતોને દબાવે છે. છેલ્લા ત્રણ મહિનાથી ભાવનગર નેશનલ હાઇવે ઉપર પવનચક્કીઓના સામાન લાવતા ટ્રકો બેફામ ખડકાયેલા છે. નેશનલ હાઇવે ઓથોરિટી સામે સવાલ ઉભો થયો છે. જો કે નેશનલ હાઇવે પર ઉભેલા ટ્રકોમાં પવનચક્કીનો સામાન પણ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે થી 20 થી 25 km નજીક દરિયા કાંઠો આવે છે.આથી અહીંયા પવનને પગલે પવનચક્કી નાખવાનો પ્રારંભ થયો હતો.' -ભરતસિંહ વાળા, ખેડૂત આગેવાન, ભાવનગર

શુ છે સમસ્યા:ખેડૂતોની અને રસ્તા પરની ભાવનગર જિલ્લાના તરેડી ગામના ભરતસિંહ વાળાએ સામાજિક કાર્યકર અને જિલ્લા ખેડૂત આગેવાન હોવાથી કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે પવનચક્કી કંપની દ્વારા માથાભારે માણસોને રાખીને ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાં પવનચક્કી ઉભી કરવામાં આવી રહી છે. જ્યારે સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોરડા નજીક માલ સામાન સાથેના વાહનો હાઇવે ઉપર ખડકી દેવામાં આવ્યા છે. આથી ગંભીર અકસ્માત થવાની શક્યતા છે. બંને સમસ્યાનો સાત દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'તમે જે વાત કરો છો તે અમારી પાસે એક લેખિત રજુઆત ઇનવર્ટ કરાય છે. મારા ધ્યાને હાલમાં આવી અને મેં વાંચી છે. કોઈના ખાનગી માલિકીની જમીનમાં એમ કોઈ પવનચક્કીઓ નાખી શકે નહીં અને જો એવું થતું હોય તો કાનૂની કાર્યવાહી જે તે વ્યક્તિ કરી શકે છે. નેશનલ હાઇવે બાબતે વાહન જો રાખવામાં આવ્યા હોય તો નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીને કાર્યવાહી કરવા જાણ કરશું.' -આર કે મહેતા, કલેકટર,ભાવનગર

ખેડૂતોને ધમકાવતી હોવાના આક્ષેપ: જો કે નેશનલ હાઇવે પર ઉભેલા ટ્રકોમાં પવનચક્કીનો સામાન પણ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવેથી 20 થી 25 km નજીક દરિયા કાંઠો આવે છે.આથી અહીંયા પવનને પગલે પવનચક્કી નાખવાનો પ્રારંભ થયો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ધમકી આપવામાં આવી હતી.તો બીજી બાજુ ભાવનગર કલેકટરનું કહેવું છે કે કોઈના ખાનગી માલિકીની જમીનમાં એમ કોઈ પવનચક્કીઓ નાખી શકે નહીં અને જો એવું થતું હોય તો કાનૂની કાર્યવાહી જે તે વ્યક્તિ કરી શકે છે.

  1. Bhavnagar News : 24 વર્ષથી લગ્ન થઈ ગયા પણ સાસરે નોહતી આવી, છૂટી થઈને હવે આવીશ - ફેર બદલી કેમ્પમાં શિક્ષકનો આનંદ
  2. Bhavnagar News : લવ મેરેજમાં માતા-પિતાની મંજૂરીના નિવેદન પર ભાવનગરની યુવતીઓએ આપી આ પ્રકારની પ્રક્રિયા

પવનચક્કીના પ્રોજેક્ટ સામે ખેડૂતોએ બાયો ચડાવી

ભાવનગર: જિલ્લાના બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા પવનચક્કી નાખવામાં આવી રહી છે. કંપનીમાં આવતા માલસામાન ટ્રકો મારફત આવે છે. આ ટ્રકો હાઇવે ઉપર ખડકાયેલા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ખડકાયેલા વાહનો અને પવનચક્કીની કંપનીઓની દાદાગીરીને પગલે કલેકટરને લેખિત આવેદનપત્ર અપાયું છે. ખેડૂત અગ્રણી સાત દિવસમાં નિકાલ નહિ આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

ધરતીપુત્રોને ધમકી દીધાનો આક્ષેપ
ધરતીપુત્રોને ધમકી દીધાનો આક્ષેપ

'ખેડૂતો કોઈ વિરોધ કરે તો પોલીસ તેમને યેનકેન પ્રકારે પોલીસ સ્ટેશન લઈ જઈને ધમકાવે છે. કંપની માથાભારે માણસો રાખી ખેડૂતોને દબાવે છે. છેલ્લા ત્રણ મહિનાથી ભાવનગર નેશનલ હાઇવે ઉપર પવનચક્કીઓના સામાન લાવતા ટ્રકો બેફામ ખડકાયેલા છે. નેશનલ હાઇવે ઓથોરિટી સામે સવાલ ઉભો થયો છે. જો કે નેશનલ હાઇવે પર ઉભેલા ટ્રકોમાં પવનચક્કીનો સામાન પણ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે થી 20 થી 25 km નજીક દરિયા કાંઠો આવે છે.આથી અહીંયા પવનને પગલે પવનચક્કી નાખવાનો પ્રારંભ થયો હતો.' -ભરતસિંહ વાળા, ખેડૂત આગેવાન, ભાવનગર

શુ છે સમસ્યા:ખેડૂતોની અને રસ્તા પરની ભાવનગર જિલ્લાના તરેડી ગામના ભરતસિંહ વાળાએ સામાજિક કાર્યકર અને જિલ્લા ખેડૂત આગેવાન હોવાથી કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે પવનચક્કી કંપની દ્વારા માથાભારે માણસોને રાખીને ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાં પવનચક્કી ઉભી કરવામાં આવી રહી છે. જ્યારે સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોરડા નજીક માલ સામાન સાથેના વાહનો હાઇવે ઉપર ખડકી દેવામાં આવ્યા છે. આથી ગંભીર અકસ્માત થવાની શક્યતા છે. બંને સમસ્યાનો સાત દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'તમે જે વાત કરો છો તે અમારી પાસે એક લેખિત રજુઆત ઇનવર્ટ કરાય છે. મારા ધ્યાને હાલમાં આવી અને મેં વાંચી છે. કોઈના ખાનગી માલિકીની જમીનમાં એમ કોઈ પવનચક્કીઓ નાખી શકે નહીં અને જો એવું થતું હોય તો કાનૂની કાર્યવાહી જે તે વ્યક્તિ કરી શકે છે. નેશનલ હાઇવે બાબતે વાહન જો રાખવામાં આવ્યા હોય તો નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીને કાર્યવાહી કરવા જાણ કરશું.' -આર કે મહેતા, કલેકટર,ભાવનગર

ખેડૂતોને ધમકાવતી હોવાના આક્ષેપ: જો કે નેશનલ હાઇવે પર ઉભેલા ટ્રકોમાં પવનચક્કીનો સામાન પણ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવેથી 20 થી 25 km નજીક દરિયા કાંઠો આવે છે.આથી અહીંયા પવનને પગલે પવનચક્કી નાખવાનો પ્રારંભ થયો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ધમકી આપવામાં આવી હતી.તો બીજી બાજુ ભાવનગર કલેકટરનું કહેવું છે કે કોઈના ખાનગી માલિકીની જમીનમાં એમ કોઈ પવનચક્કીઓ નાખી શકે નહીં અને જો એવું થતું હોય તો કાનૂની કાર્યવાહી જે તે વ્યક્તિ કરી શકે છે.

  1. Bhavnagar News : 24 વર્ષથી લગ્ન થઈ ગયા પણ સાસરે નોહતી આવી, છૂટી થઈને હવે આવીશ - ફેર બદલી કેમ્પમાં શિક્ષકનો આનંદ
  2. Bhavnagar News : લવ મેરેજમાં માતા-પિતાની મંજૂરીના નિવેદન પર ભાવનગરની યુવતીઓએ આપી આ પ્રકારની પ્રક્રિયા
Last Updated : Aug 9, 2023, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.