ETV Bharat / state

ભરૂચમાં જનજીવન ખોરવાયું, નર્મદા ડેમમાં 8 લાખ ક્યુસેક પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ

author img

By

Published : Sep 11, 2019, 1:18 PM IST

ભરૂચઃ જિલ્લાભરમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. ઠેર-ઠેર પાણી ભરાવવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલાં વરસાદના કારણે નર્મદાની જળસપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ભરૂચમાં જનજીવન ખોરવાયું, નર્મદા ડેમમાં 8 લાખ ક્યુસેક પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ

ધોધમાર વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ઉત્તરોત્તર વધી થઈ રહ્યો છે. બુધવારના રોજ નદીની સપાટી 24 ફૂટથી 32 ફૂટ સુઘી પહોંચી છે, ત્યારે શહેરના દાંડિયા બજાર, ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. તેમજ દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વેપાર રોજગારને વ્યાપક અસર પહોંચી હતી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભરૂચમાં જનજીવન ખોરવાયું, નર્મદા ડેમમાં 8 લાખ ક્યુસેક પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ

આમ, છેલ્લા બે દિવસથી વરસી રહેલાં ધોધમાર વરસાદના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. આમ, લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ધોધમાર વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ઉત્તરોત્તર વધી થઈ રહ્યો છે. બુધવારના રોજ નદીની સપાટી 24 ફૂટથી 32 ફૂટ સુઘી પહોંચી છે, ત્યારે શહેરના દાંડિયા બજાર, ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. તેમજ દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વેપાર રોજગારને વ્યાપક અસર પહોંચી હતી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભરૂચમાં જનજીવન ખોરવાયું, નર્મદા ડેમમાં 8 લાખ ક્યુસેક પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ

આમ, છેલ્લા બે દિવસથી વરસી રહેલાં ધોધમાર વરસાદના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. આમ, લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Intro:ભરૂચમાં સતત બીજા દિવસે પણ પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં હજુ પણ ગરકાવ છે


Body:ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટી 32 ફૂટને પાર પહોંચી છે ત્યારે સતત બીજા દિવસે પણ ભરૂચમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે


Conclusion:સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડતા ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તર ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.આજે નદી તેની ભયજનક સપાટી 24 ફૂટથી 8 ફૂટ ઉપર 32 ફૂટે પહોંચી હતી ત્યારે શહેરના દાંડિયા બજાર, ફુરજા સહિતના વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતા વેપાર રોજગારને વ્યાપક અસર થઈ હતી તો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જિલ્લામાં અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે તો NDRF અને SDRFની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.