ETV Bharat / state

લોકડાઉનમાં દારૂની હોમ ડિલીવરી માટે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોળાની માગ

author img

By

Published : Apr 12, 2020, 12:25 AM IST

લોકડાઉનના સમયમાં હેલ્થ પરમીટ ધારકોને લીકર (દારૂ)ની હોમ ડીલીવરી થાય એવી વ્યવસ્થા ગોઠવવા ભરૂચ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોળા દ્વારા માંગ કરવામાં આવી છે અને આ બાબતે તેઓએ રાજ્યના નશાબંધી વિભાગના નિયામકને પત્ર લખ્યો છે.

લોકડાઉનમાં હેલ્થ પરમીટ ધારકોને લીકરની ઘરે હોમ ડીલીવરી થાય એવી વ્યવસ્થા ગોઠવવા ભરૂચ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોળાની માંગ
લોકડાઉનમાં હેલ્થ પરમીટ ધારકોને લીકરની ઘરે હોમ ડીલીવરી થાય એવી વ્યવસ્થા ગોઠવવા ભરૂચ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોળાની માંગ

ભરૂચઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા 21 દિવસનું લોક ડાઉન ચાલી રહ્યું છે, જેમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુની દુકાન સિવાય તમામ વસ્તુઓ બંધ છે. તો આ તરફ ભરૂચ કોંગ્રેસના નેતા સંદીપ માંગરોળા દ્વારા લીકર પરમીટ ધારકોને લોકડાઉનનાં સમયમાં પણ લીકર મળી રહે એવી માંગ કરવામાં આવી છે.

ભરૂચ કોંગ્રેસના આગેવાન અને વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોળા દ્વારા રાજ્યના નશાબંધી વિભાગના નિયામકને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે લોક ડાઉનના સમયમાં દરેક શોપ બંધ છે એ આવકાર્ય છે, પરંતુ જે લોકો હેલ્થ ગ્રાઉન્ડ પર લીકર પરમીટ ધરાવે છે એ લોકો માટે નશાબાંધી વિભાગ દ્વારા ઓનલાઇન ઓર્ડર પોર્ટલ સેવા ચાલુ કરવી જોઈએ અને પરમીટ ધારકોએ ઓર્ડર આપેલા લીકરની હોમ ડીલીવરી થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ભરૂચ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોળાની માંગ
ભરૂચ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોળાની માંગ

સંદીપ માંગરોળાની માંગને ભરૂચના પરમીટ ધારકોએ પણ સમર્થન આપ્યું છે. પરમીટ ધારકોને હેલ્થ ગ્રાઉન્ડ પર દારૂ પીવાનો પરવાનો આપવામાં આવ્યો હોય ત્યારે તેઓને શારીરિક રીતે સ્વસ્થ રહેવા નિર્ધારિત માત્રામાં શરાબની જરૂરીયાત હોય છે, ત્યારે સરકાર હોમ ડીલીવરીની વ્યવસ્થા કરે એવી માંગ કરવામાં આવી છે.

લોકડાઉનાં પગલે વિવિધ ગામોમાં હલકી ગુણવત્તાનો દારૂ વેચાઈ રહ્યો છે, જેના કારણે લઠ્ઠાકાંડ થવાની શક્યતા છે. ત્યારે સરકાર પરમીટ ધારકોને રાહત આપતો નિર્ણય લે એવી પણ સંદીપ માંગરોળા દ્વારા માંગ કરવામાં આવી છે.

ભરૂચઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા 21 દિવસનું લોક ડાઉન ચાલી રહ્યું છે, જેમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુની દુકાન સિવાય તમામ વસ્તુઓ બંધ છે. તો આ તરફ ભરૂચ કોંગ્રેસના નેતા સંદીપ માંગરોળા દ્વારા લીકર પરમીટ ધારકોને લોકડાઉનનાં સમયમાં પણ લીકર મળી રહે એવી માંગ કરવામાં આવી છે.

ભરૂચ કોંગ્રેસના આગેવાન અને વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોળા દ્વારા રાજ્યના નશાબંધી વિભાગના નિયામકને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે લોક ડાઉનના સમયમાં દરેક શોપ બંધ છે એ આવકાર્ય છે, પરંતુ જે લોકો હેલ્થ ગ્રાઉન્ડ પર લીકર પરમીટ ધરાવે છે એ લોકો માટે નશાબાંધી વિભાગ દ્વારા ઓનલાઇન ઓર્ડર પોર્ટલ સેવા ચાલુ કરવી જોઈએ અને પરમીટ ધારકોએ ઓર્ડર આપેલા લીકરની હોમ ડીલીવરી થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ભરૂચ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોળાની માંગ
ભરૂચ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોળાની માંગ

સંદીપ માંગરોળાની માંગને ભરૂચના પરમીટ ધારકોએ પણ સમર્થન આપ્યું છે. પરમીટ ધારકોને હેલ્થ ગ્રાઉન્ડ પર દારૂ પીવાનો પરવાનો આપવામાં આવ્યો હોય ત્યારે તેઓને શારીરિક રીતે સ્વસ્થ રહેવા નિર્ધારિત માત્રામાં શરાબની જરૂરીયાત હોય છે, ત્યારે સરકાર હોમ ડીલીવરીની વ્યવસ્થા કરે એવી માંગ કરવામાં આવી છે.

લોકડાઉનાં પગલે વિવિધ ગામોમાં હલકી ગુણવત્તાનો દારૂ વેચાઈ રહ્યો છે, જેના કારણે લઠ્ઠાકાંડ થવાની શક્યતા છે. ત્યારે સરકાર પરમીટ ધારકોને રાહત આપતો નિર્ણય લે એવી પણ સંદીપ માંગરોળા દ્વારા માંગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.