ETV Bharat / state

અંબાજીમાં વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ

author img

By

Published : Mar 17, 2021, 7:59 PM IST

હાલના સમયમાં મહિલા કે બાળકીઓ ઘરની બહાર નીકળે ત્યારે તેમના વાલીઓ ભારે ચિંતા અનુભવતા હોય છે. આવા વાલીઓને ચિંતામુક્ત કરવા માટે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યાત્રાધામ અંબાજીમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી 422 વિદ્યાર્થીનીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ હેઠળ 15 દિવસની કરાટે કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થતા વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

અંબાજીમાં વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ
અંબાજીમાં વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ
  • બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત કરાટે કોચિંગ
  • 15 દિવસની કરાટે તાલીમ પૂર્ણ કરવામાં આવી
  • સ્વરક્ષણ માટે ચાલુ કરાયો હતો કરાટે કોચિંગ કેમ્પ

અંબાજી: કોઈક કારણોસર ઘરની બહાર નીકળેલી મહિલાઓ તેમજ યુવતીઓ સાથે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થાય ત્યારે વિદ્યાર્થીનીઓ જાતે પોતાનું રક્ષણ કરી શકે તે માટે ચાલતા કરાટે કોચિંગ કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તાલીમના અંતિમ દિવસે શાળાના પ્રાંગણમાં તાલીમ મેળવી ચુકેલી વિધ્યાર્થીનીઓ દ્વારા કરાટેના વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, તાલીમાર્થી કન્યાઓને અંબાજી પોલીસ મથકના પોલીસ ઈન્સપેકટર દ્વારા તાલીમ સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા.

અંબાજીમાં વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ

પરીક્ષાઓ બાદ અન્ય વિદ્યાર્થીનીઓની તાલીમ શરૂ કરાશે

પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને કરાટેની તાલીમનો ઉપયોગ સ્વબચાવ માટે કરવા માટે અપીલ કરી હતી. તાલીમાર્થી કન્યાઓએ પણ કરાટેની તાલીમ મેળવીને ખુશી વ્યક્ત કરી હતી અને પોતે હેરાનગતિ કરનારા તત્વો સામે લડવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું હતું. હાલમાં પરીક્ષાઓ આવનારી હોવાથી પરીક્ષાઓ બાદ બીજા તબક્કાની તાલીમ શરુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું છે.

  • બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત કરાટે કોચિંગ
  • 15 દિવસની કરાટે તાલીમ પૂર્ણ કરવામાં આવી
  • સ્વરક્ષણ માટે ચાલુ કરાયો હતો કરાટે કોચિંગ કેમ્પ

અંબાજી: કોઈક કારણોસર ઘરની બહાર નીકળેલી મહિલાઓ તેમજ યુવતીઓ સાથે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થાય ત્યારે વિદ્યાર્થીનીઓ જાતે પોતાનું રક્ષણ કરી શકે તે માટે ચાલતા કરાટે કોચિંગ કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તાલીમના અંતિમ દિવસે શાળાના પ્રાંગણમાં તાલીમ મેળવી ચુકેલી વિધ્યાર્થીનીઓ દ્વારા કરાટેના વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, તાલીમાર્થી કન્યાઓને અંબાજી પોલીસ મથકના પોલીસ ઈન્સપેકટર દ્વારા તાલીમ સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા.

અંબાજીમાં વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ

પરીક્ષાઓ બાદ અન્ય વિદ્યાર્થીનીઓની તાલીમ શરૂ કરાશે

પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને કરાટેની તાલીમનો ઉપયોગ સ્વબચાવ માટે કરવા માટે અપીલ કરી હતી. તાલીમાર્થી કન્યાઓએ પણ કરાટેની તાલીમ મેળવીને ખુશી વ્યક્ત કરી હતી અને પોતે હેરાનગતિ કરનારા તત્વો સામે લડવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું હતું. હાલમાં પરીક્ષાઓ આવનારી હોવાથી પરીક્ષાઓ બાદ બીજા તબક્કાની તાલીમ શરુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.