ETV Bharat / state

અગમ્ય કારણોસર નહેરમાં માતા-પુુત્રીએ લગાવી છલાંગ, પુત્રીએ ગુમાવ્યો જીવ - Tharad

બનાસકાંઠા: જિલ્લાના દૂધસીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં પોતાનું જીવન ટૂંકાવાના ઇરાદે માતા-પુત્રીએ મોતની છલાંગ લગાવી હતી. નહેરમાં જંપલાવતા માતા-પુત્રીને આજુબાજુના લોકોએ જોઇ જતા તેને બચાવાના પ્રયાસ કર્યા હતા.

નર્મદા નહેરમાં માતા પુત્રીની મોતની છલાંગ, માતાનો થયો આકસ્મિક બચાવ
author img

By

Published : Jul 22, 2019, 7:24 PM IST

બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા નિગમની નહેર હવે મોતની નહેર સાબિત થઈ રહી છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં છેલ્લા 2થી 4મહિનામાં અનેક લોકોએ આ નહેરમાં પડી મોતને વ્હાલું કર્યું છે. ત્યારે આવો જ એક વધુ બનાવ થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં બન્યો હતો.

નર્મદા નહેરમાં માતા પુત્રીની મોતની છલાંગ, માતાનો થયો આકસ્મિક બચાવ

આ બનાવની વાત કરવામાં આવે તો, સુઇગામ તાલુકાના ભરડવા ગામે રહેતા ચંપાબેન જગદીશભાઈ બઢીયા અને તેમની 20 વર્ષીય પુત્રી ઘરેથી કંઈપણ કહ્યા વગર સવારે નીકળી ગયા હતા. જે બાદ માતા અને પુત્રી થરાદ પાસે દૂધસીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા નહેર પાસે પહોંચ્યા હતા.

બંનેએ સાથે મળી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. પરંતુ માતા અને પુત્રીને નહેરમાં પડતા આજુબાજુના લોકો જોઈ જતા તાત્કાલિક માતા અને પુત્રીને બચાવવા માટે નહેરમાં પડ્યા હતા. જેમાં માતાને બચાવી લીધી હતી. પરંતુ પુત્રીનો કંઇ પતો ન લાગતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ લાંબો સમય થઈ જતા પુત્રીની મૃત્યુ પામેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે થરાદ પોલીસે હાલ પુત્રીના મૃતદેહને PM અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા નિગમની નહેર હવે મોતની નહેર સાબિત થઈ રહી છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં છેલ્લા 2થી 4મહિનામાં અનેક લોકોએ આ નહેરમાં પડી મોતને વ્હાલું કર્યું છે. ત્યારે આવો જ એક વધુ બનાવ થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં બન્યો હતો.

નર્મદા નહેરમાં માતા પુત્રીની મોતની છલાંગ, માતાનો થયો આકસ્મિક બચાવ

આ બનાવની વાત કરવામાં આવે તો, સુઇગામ તાલુકાના ભરડવા ગામે રહેતા ચંપાબેન જગદીશભાઈ બઢીયા અને તેમની 20 વર્ષીય પુત્રી ઘરેથી કંઈપણ કહ્યા વગર સવારે નીકળી ગયા હતા. જે બાદ માતા અને પુત્રી થરાદ પાસે દૂધસીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા નહેર પાસે પહોંચ્યા હતા.

બંનેએ સાથે મળી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. પરંતુ માતા અને પુત્રીને નહેરમાં પડતા આજુબાજુના લોકો જોઈ જતા તાત્કાલિક માતા અને પુત્રીને બચાવવા માટે નહેરમાં પડ્યા હતા. જેમાં માતાને બચાવી લીધી હતી. પરંતુ પુત્રીનો કંઇ પતો ન લાગતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ લાંબો સમય થઈ જતા પુત્રીની મૃત્યુ પામેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે થરાદ પોલીસે હાલ પુત્રીના મૃતદેહને PM અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:લોકેશન... થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 22 07 2019

સ્લગ....મોતની છલાંગ

એન્કર...બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી દૂધસીત કેન્દ્ર પાસે થી આજે માતા અને તેની પુત્રી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી પરંતુ નહેરમાં પડતા માતા પુત્રીને આજુબાજુ ના લોકો જોઈ જતા માતાનો બચાવ થઈ ગયો હતો જ્યારે 20 વર્ષીય પુત્રીનું નહેરના પાણી માં ડૂબી જતાં મોત થયું હતું.....

Body:વિઓ....બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે થી પસાર થતી નર્મદા નિગમ ની નહેર હવે મોતની નહેર સાબિત થઈ રહી છે. થરાદ પાસે થી પસાર થતી નર્મદા નહેર માં છેલ્લા બે-ચાર મહિનામાં અનેક લોકોએ આ નહેરમાં પડી મોતને વહાલું કર્યું છે. ત્યારે આવો જ એક વધુ બનાવ આજે થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેર માં બન્યો હતો. આ બનાવની વાત કરવામાં આવે તો સુઇગામ તાલુકાના ભરડવા ગામે રહેતા ચંપાબેન જગદીશભાઈ બઢીયા અને તેમની 20 વર્ષીય પુત્રી ઘરેથી કંઈ પણ કીધા વગર સવારે નીકળી ગયા હતા. જે બાદ આ બને માતા અને પુત્રી થરાદ પાસે દૂધસીત કેન્દ્ર પાસે થી પસાર થતી નર્મદા નહેર પાસે પોહચ્યા હતી. અને બંનેએ સાથે મળી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. પરંતુ માતા અને પુત્રીને નહેરમાં પડતા આજુબાજુના લોકો જોઈ જતા તાત્કાલિક આ માતા અને પુત્રીને બચાવવા માટે નહેરમાં પડ્યા હતા જેમાં માતાને બચાવી લીધી હતી જે બાદ પુત્રીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ લાંબો સમય થઈ જતા પુત્રીની મૃત્યુ થયેલી લાશ મળી આવી હતી. આ બાબતે થરાદ પોલીસે હાલ તો પુત્રીની લાશને પી એમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.....

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.