બનાસકાંઠાઃ કોરોના મહામારી ફરજ દરમિયાન પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું મૃત્યુ નિપજતાં મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાયનો ચેક મૃતકના પરિવારને આપવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર હોમગાર્ડઝ યુનિટમાં કોરોના મહામારીમાં ફરજ દરમિયાન હોમગાર્ડઝ જવાન શૈલેષભાઈ શ્રીમાળીનું મોત નિપજતાં મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જ્યારે છાપી યુનિટના મંગાભાઇ કે. રાવળના વારસદારને હોમગાર્ડઝ વેલફેર ફંડમાંથી રૂપિયા 77, 500/- સહાય મંજૂર કરવામાં આવી હતી.
જેથી મંગળવારે જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઇ એમ. પંડયાના હસ્તે બન્ને મૃતક જવાનના પરિવારને સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા કચેરીના હેડ કલાર્ક જે.એન.પરમાર, સબ ઇન્સ્પેક્ટર એલ.એચ.વ્યાસ, સ્ટાફ ઓફીસર મનોજ ઉપાધ્યાય, પાલનપુરના ઓફીસર કમાન્ડીગ પ્રશાંત ગૌસ્વામી, છાપીના ઓફીસર કમાન્ડીગ એચ.જી.બ્રહ્મભટ્ટ સહિત હોમગાર્ડઝ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.