ETV Bharat / state

બનાસકાંઠામાં હજયાત્રા લઈ જવાના નામે 105 લોકો સાથે કરોડોની ઠગાઈ

author img

By

Published : Aug 31, 2019, 10:10 AM IST

પાલનપુરઃ લોકોની આસ્થા સાથે રમવું સરળ થઈ ગયું છે. કારણ કે લોકો ધર્મની વાતમાં આંખ બંધ કરી નિર્ણયો લેતા હોય છે. હજુ ઢબુડીમાં બની છેતરપીંડી કરવાની ઘટનામાં પોલીસ રિપોર્ટની સહી સુકાઈ નથી, ત્યાં હજયાત્રાના નામે હજયાત્રીઓ પાસે કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ઘટનામાં પણ તપાસનો ધમધમાટ બોલાવી છે.

fraud

દરેક મુસ્લિમ બંધુઓ પોતાના જીવન દરમિયાન એકવાર હજયાત્રા કરે તેવી કામના રાખતા હોય છે. તેવામાં વડગામના બસુ ગામમાં 100થી વધારે લોકોએ હજયાત્રા માટે પરસેવાની કમાણી એકત્ર કરી મુંબઈ સ્થિત એન્ટરપ્રાઈઝના સંચાલક નૂરમોહમ્મદ દાઉઆ નામના ટૂર ઓપરેટરને આપી હતી. લોકોને આશા હતી કે પવિત્ર હજયાત્રા કરવાની તેમની ઈચ્છા પૂર્ણ થશે. પરંતુ બધુ સુનિશ્ચિત થઈ ગયા બાદ સંચાલકો મુંબઈ ઓફિસને તાળા મારી ગાયબ થઈ જતાં લોકોને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો છે. જેના પગલે તેમણે પોલીસ મથકે પહોંચી છેતરપીંડીની ઘટના નોંધાવી છે.

બનાસકાંઠામાં હજયાત્રા લઈ જવાના નામે કરોડોની ઠગાઈ, 105 લોકો સાથે 2.50 કરોડથી વધુ લૂંટી આરોપીઓ ફરાર

અગાઉ પણ આલ્ફા એન્ટરપ્રાઈઝ દર વર્ષે હજયાત્રીઓને મક્કા મદીના લઈ જતો હતો, આ વર્ષે પણ વડગામના બસુ ગામે હજયાત્રાએ જવા ઈચ્છુક યાત્રીઓને વિશ્વાસમાં લઈ તેમની પાસે કુલ 2,30,000 પ્રતિ વ્યક્તિદીઠ ઉઘરાવ્યાં હતા. નાણાં આપેલા તમામને 25 જૂને યાત્રાએ લઈ જવાનો વાયદો કર્યો હતો, પરંતુ બાદમાં સમગ્ર ઘટના ઉજાગર થતાં અંતે આ ટોળકીનો ભાંડાફોડ થયો છે.

વડગામના બસુ ગામમાં 105 જેટલા વ્યક્તિ છેતરપીંડીનો ભોગ બન્યા છે. તમામના નાણાંની કિંમત કુલ મળી અઢી કરોડથી વધુ થાય છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં આરોપીઓના નામ નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ, માજ નૂરમહમદ દાઉઆ, મોબીન નૂરમહમદ દાઉઆ, સોહિલ દાઉઆ હોવાનું જણાયું છે.

દરેક મુસ્લિમ બંધુઓ પોતાના જીવન દરમિયાન એકવાર હજયાત્રા કરે તેવી કામના રાખતા હોય છે. તેવામાં વડગામના બસુ ગામમાં 100થી વધારે લોકોએ હજયાત્રા માટે પરસેવાની કમાણી એકત્ર કરી મુંબઈ સ્થિત એન્ટરપ્રાઈઝના સંચાલક નૂરમોહમ્મદ દાઉઆ નામના ટૂર ઓપરેટરને આપી હતી. લોકોને આશા હતી કે પવિત્ર હજયાત્રા કરવાની તેમની ઈચ્છા પૂર્ણ થશે. પરંતુ બધુ સુનિશ્ચિત થઈ ગયા બાદ સંચાલકો મુંબઈ ઓફિસને તાળા મારી ગાયબ થઈ જતાં લોકોને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો છે. જેના પગલે તેમણે પોલીસ મથકે પહોંચી છેતરપીંડીની ઘટના નોંધાવી છે.

બનાસકાંઠામાં હજયાત્રા લઈ જવાના નામે કરોડોની ઠગાઈ, 105 લોકો સાથે 2.50 કરોડથી વધુ લૂંટી આરોપીઓ ફરાર

અગાઉ પણ આલ્ફા એન્ટરપ્રાઈઝ દર વર્ષે હજયાત્રીઓને મક્કા મદીના લઈ જતો હતો, આ વર્ષે પણ વડગામના બસુ ગામે હજયાત્રાએ જવા ઈચ્છુક યાત્રીઓને વિશ્વાસમાં લઈ તેમની પાસે કુલ 2,30,000 પ્રતિ વ્યક્તિદીઠ ઉઘરાવ્યાં હતા. નાણાં આપેલા તમામને 25 જૂને યાત્રાએ લઈ જવાનો વાયદો કર્યો હતો, પરંતુ બાદમાં સમગ્ર ઘટના ઉજાગર થતાં અંતે આ ટોળકીનો ભાંડાફોડ થયો છે.

વડગામના બસુ ગામમાં 105 જેટલા વ્યક્તિ છેતરપીંડીનો ભોગ બન્યા છે. તમામના નાણાંની કિંમત કુલ મળી અઢી કરોડથી વધુ થાય છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં આરોપીઓના નામ નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ, માજ નૂરમહમદ દાઉઆ, મોબીન નૂરમહમદ દાઉઆ, સોહિલ દાઉઆ હોવાનું જણાયું છે.

Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 08 2019


સ્લગ........હજ યાત્રીઓ સાથે ઠગાઈ કરનાર ઝડપાયો...

એન્કર ......એક તરફ સમગ્ર ગુજરાતમાં ઢબુંદી માતા ના નામે લોકોની આસ્થા સાથે ખીલવાડ થઈ રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે બનાસકાંઠા માં પણ હજ યાત્રા ના નામે 100 થી વધારે હજયાત્રીઓ પાસે થી કરોડો રૂપિયા ઉઘરાવી નાસી ગયેલ એક ઠગ ટોળકી નો મુખ્ય સાગરીત ઝડપાઇ ગયો છે અને છાપી પોલીસે આ ઠગ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ..........

Body:વી.ઓ........દરેક મુસ્લિમ પોતાના જીવન દરમ્યાન એકવાર હજ યાત્રા કરે તેવી આશા રાખતો હોય છે. પરંતુ વડગામના બસુ ગામના 100 થી વધારે લોકોએ હજ યાત્રા માટે પોતાના પરસેવા ની કમાણી એકત્ર કરી મુંબઈ સ્થિત આલ્ફા એન્ટરપ્રાઇઝ ના સંચાલક નૂરમોહમદ ઇબ્રાહિમ દાઉઆ નામના ટૂર ઓપરેટર ને આપી હતી. લોકોને આશા હતી કે પવિત્ર હજયાત્રા કરવાની તેમના ખેવના પૂર્ણ થશે. અગાઉ પણ આલ્ફા એન્ટરપ્રાઈઝ દર વર્ષે હજયાત્રી ઓને મક્કા મદીના લઈ જતો હતો. પરંતુ આ વર્ષે વડગામ ના બસુ ગામે આવી હજયાત્રાએ જવા ઇચ્છુક યાત્રીઓનો વિશ્વાસ સંપાદિત કરી એક યાત્રી પાસે કુલ 2,30,000 લેખે ઉઘરાવ્યાં હતા. નાણાં આપેલા તમામને તારીખ 25/06/2019 સુધી માં હજ યાત્રાએ લઈ જશે તેવું કહ્યું હતું. પરંતુ નાણાં ઉઘરાવ્યાં બાદ આલ્ફા એન્ટરપ્રાઈઝ ના તમામ સંચાલકો ના મુંબઈ ઓફીસ ને તાળાં મારી રફુચક્કર થઈ ગયા જેથી હજયાત્રી ઓને પોતાની સાથે છેતરપીંડી થયા નું જણાતા છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.....

બાઈટ .......ગુલામરસુલ પલાસરા , ફરિયાદી

આરોપીઓના નામ ......

(1) નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ ( પિતા )
(2)માજ નૂરમહમદ દાઉઆ ( પુત્ર )
(3) મોબીન નૂરમહમદ દાઉઆ( પુત્ર )
(4) સોહિલ દાઉઆ( જમાઈ )

Conclusion:વી.ઓ..........વડગામ ના બસુ ગામના જ 105 જેટલા વ્યક્તિ ઓ છેતરપીંડી નો ભોગ બન્યા હતા. છેતરપીંડી ની અંદાજીત કિંમત અઢી કરોડ રૂપિયા જેટલી થાય છે. છેતરપીંડી નો ભોગ બનેલા લોકોમાં મજૂરી કરતા લોકો પણ ઠગાઈ નો ભોગ બન્યા છે. જેમને જીવન દરમ્યાન પાઈ પાઈ ભેગી કરી જીવનમાં એકવાર અલ્લાહ ની બંદગી માટે હજયાત્રા કરવાની ખેવના રાખી હતી. પરંતુ આજે તેમની સાથે છેતરપીંડી થતા તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઠગ ટોળકી ના મુખ્ય સાગરીત ની અટકાયત કરી છે આ ઠગ ટોળકી નું મુખ્ય સાગરીત નૂરમોહમ્મદ ઇબ્રાહિમ દાઉઆ ને મુંબઇ થી ટ્રાન્સફર વોરંટ ના આધારે અહીં લાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જ્યારે હજુ પણ ફરાર ત્રણ આરોપીઓ શોધખોળ ચાલુ કરી આરોપીઓ પાસેથી નાણાં ની રિકવરી માટે પ્રયાસ હાથ ધર્યો છે .......

બાઈટ.....એ આર જનકાન્ત, DYSP , પાલનપુર

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.