ખનીજ રોયલ્ટી ઇન્સપેક્ટર રાહુલ મહેશ્વરી અને તેમની ટીમે મોડાસા બાયપાસ રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ડમ્પરને ચેકીંગ અર્થે અટકાવવામાં આવ્યું હતું .
તે દરમિયાન ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ માંગવામાં આવતા તેની પાસે મળી ન શક્યું ન હતું. જેના કારણે અધિકારીએ બે કર્મચારીઓને ડમ્પરમાં બેસાડી વજન કાંટો કરવા મોકલ્યા હતા . જોકે આ દરમિયાન ટ્રકના ડ્રાઇવરે ચાલુ ટ્રકે છલાંગ મારી કર્મચારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. સદનસીબે ઢાળ હોવાના કારણે ટ્રક રિવર્સ જતાં કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. ભૂસ્તરશાસ્ત્રી એન. પી સંઘવીને સાત વર્ષ અગાઉ મહેસાણામાં લીઝ આપવામાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવાના કેસમાં ગુનેગાર જણાતા ગાંધીનગરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.