ETV Bharat / state

સાંસદ જુગલસિંહ ઠાકોર દ્રારા આંગણવાડી મકાનનું લોકાર્પણ કાર્યક્રમ રદ થતાં સન્માન સમારોહ યોજ્યો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

author img

By

Published : Oct 19, 2020, 7:36 AM IST

મોડાસામાં સાંસદ જુગલસિંહ ઠાકોર દ્રારા આંગણવાડી મકાનનું લોકાર્પણ થવાનું હતું પરંતુ આ અંગે ગામના સરપંચને પણ જાણ ન હોવાથી તેમણે કાર્યક્રમ રદ કરાવવા રજૂઆત કરી હતી. જેથી તે કાર્યક્રમને સાંસદના સન્માન સમારોહમાં બદલવામાં આવ્યો હતો. જેમાં સાંસદ દ્વારા સરઘસ કઢાતાં સામાજિક અંતરનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

MP
MP


મોડાસાઃ રાજ્યસભાના સાંસદ અને ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી જુગલસિંહ ઠાકોર રવિવારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાની ઈસરોલ ગામે નિર્માણાધિન આંગણવાડી મકાનનું લોકાર્પણ કરવાના હતા. જેની જાણ આમ જનતાને સોશિયલ મિડીયામાં પોસ્ટર મેસેજ દ્રારા કરવામાં આવી હતી. જોકે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ જ અજાણ હોવાથી આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખવા સરપંચે કલેકટર સહીત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના પગલે લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખી સાંસદનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

લોકાર્પણ કાર્યક્રમ રદ થતાં સન્માન સમારોહ યોજ્યો

કોરોનાના સમયમાં એક બાજુ જ્યારે તહેવારો સાદગીપુર્વક ઉજવવાની ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ નેતાઓ પોતાના કાર્યક્રમના તમામ નિયમો નેવે મુકી કરી રહ્યા છે. જિલ્લાના મોડાસાના નાની ઈસરોલ ગામે નિર્માણાધિન આંગણવાડી મકાનના લોકાર્પણનો કાર્યક્રમ એકાએક ગોઠવી રાજ્ય સભાના સાંસદ જુગલ સિંહ ઠાકોરને લોકાર્પણ માટે આમંત્રિત કરી દેવામાં આવ્યા હતા. જોકે આ અંગે ઈસરોલ ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન અલ્પેશભાઈ પરમારને કોઈ જાણ જ નહોતી. તેથી તેમણે કલેક્ટરને લેખિતમાં આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ રદ કરવા રજૂઆત કરી હતી.

રજૂઆતમાં તેમણે જણાવ્યુ હતું કે મકાનનું કામકાજ પરીપૂર્ણ થયું નથી અને હાલ કોરોનાની મહામારીમાં વરઘોડો કાઢી લોકાર્પણ કરવાના હોવાથી કોરોના સંક્રમણ થવાનો ભય રહેશે. તેથી કાર્યક્રમ રદ કરવામાં આવે.પરંતુ લોકાર્પણ માટે સાસંદ જુગલસિંહ ઠાકોરને આમંત્રણ આપી દીધુ હોવાથી તે ઈસરોલ ગામે પહોંચી ગયા હતાં. માટે લોકાર્પણ કાર્યક્રમ રદ રાખી સાંસદનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

Etv Bharat
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સન્માન સમારોહમાં કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા સાંસદના સન્માન સમારોહમાં કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા હતા. 500થી વધુ લોકો દ્વારા એક જ સ્થળે ભેગા થઇ સાંસદનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સને કિનારે કરી બધા જશ્નમાં મશ્ગુલ જોવા મળ્યા હતાં.


મોડાસાઃ રાજ્યસભાના સાંસદ અને ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી જુગલસિંહ ઠાકોર રવિવારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાની ઈસરોલ ગામે નિર્માણાધિન આંગણવાડી મકાનનું લોકાર્પણ કરવાના હતા. જેની જાણ આમ જનતાને સોશિયલ મિડીયામાં પોસ્ટર મેસેજ દ્રારા કરવામાં આવી હતી. જોકે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ જ અજાણ હોવાથી આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખવા સરપંચે કલેકટર સહીત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના પગલે લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખી સાંસદનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

લોકાર્પણ કાર્યક્રમ રદ થતાં સન્માન સમારોહ યોજ્યો

કોરોનાના સમયમાં એક બાજુ જ્યારે તહેવારો સાદગીપુર્વક ઉજવવાની ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ નેતાઓ પોતાના કાર્યક્રમના તમામ નિયમો નેવે મુકી કરી રહ્યા છે. જિલ્લાના મોડાસાના નાની ઈસરોલ ગામે નિર્માણાધિન આંગણવાડી મકાનના લોકાર્પણનો કાર્યક્રમ એકાએક ગોઠવી રાજ્ય સભાના સાંસદ જુગલ સિંહ ઠાકોરને લોકાર્પણ માટે આમંત્રિત કરી દેવામાં આવ્યા હતા. જોકે આ અંગે ઈસરોલ ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન અલ્પેશભાઈ પરમારને કોઈ જાણ જ નહોતી. તેથી તેમણે કલેક્ટરને લેખિતમાં આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ રદ કરવા રજૂઆત કરી હતી.

રજૂઆતમાં તેમણે જણાવ્યુ હતું કે મકાનનું કામકાજ પરીપૂર્ણ થયું નથી અને હાલ કોરોનાની મહામારીમાં વરઘોડો કાઢી લોકાર્પણ કરવાના હોવાથી કોરોના સંક્રમણ થવાનો ભય રહેશે. તેથી કાર્યક્રમ રદ કરવામાં આવે.પરંતુ લોકાર્પણ માટે સાસંદ જુગલસિંહ ઠાકોરને આમંત્રણ આપી દીધુ હોવાથી તે ઈસરોલ ગામે પહોંચી ગયા હતાં. માટે લોકાર્પણ કાર્યક્રમ રદ રાખી સાંસદનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

Etv Bharat
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સન્માન સમારોહમાં કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા સાંસદના સન્માન સમારોહમાં કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા હતા. 500થી વધુ લોકો દ્વારા એક જ સ્થળે ભેગા થઇ સાંસદનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સને કિનારે કરી બધા જશ્નમાં મશ્ગુલ જોવા મળ્યા હતાં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.