ETV Bharat / state

‘કળિયુગનો કંસ’, પ્રેેમ સંબંધમાં મામાએ ભાણેજની હત્યા નીપજાવી - Anand samachar

આણંદઃ સામાન્ય રીતે મામા ભાણેજનો સબંધ અઢળક પ્રેમથી બંધાયેલો હોય છે. પરંતુ આણંદ જિલ્લાના ભાલેજ પાસે બનેલી ઘટનામાં કૌટુંબિક મામા દ્વારા ભાણેજની હત્યા કરવા આવી હતી.

etv
"કળિયુગ નો કંસ" કુટુંબી મામાએ ભાણીયાની કરી હત્યા
author img

By

Published : Jan 16, 2020, 4:22 PM IST

Updated : Jan 16, 2020, 5:02 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ અમદાવાદનો રહેવાસી ચંદ્રકાંત નટુભાઈ પટેલ જે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેને કામ અર્થે અવારનવાર આણંદ જિલ્લાના મેઘવાં ગામે આવવાનું થતું હતુ. મેઘવામાં રહેતી એક પરણિત મહિલા શીતલ સાથે આ ચંદ્રકાન્તને અવાર નવાર મુલાકાતો થતી હતી. શીતલનો પતિ ગૌતમ પટેલ કે, જે ને ચંદ્રકાન્ત સાથે કૌટુંબિક મામાનો સબંધ થતો હતો.

ચંદ્રકાન્ત અને શિતલની વધતી જતી મુલાકાતોએ ધીરે ધીરે પ્રેમનું રૂપ લઈ બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં, પરંતુ બંનેના આ અનૈતિક સંબંધો વચ્ચે શીતલનો પતિ ગૌરાંગ વચ્ચે આવવાની બીક રાખી આ બનેએ ગૌતમને વચ્ચેથી દુર કરવા કાવતરું ઘડ્યું હતું.

"કળિયુગ નો કંસ" કુટુંબી મામાએ ભાણીયાની કરી હત્યા

મળતી વિગતો અનુસાર 12મી તારીખના રોજ મેઘવા ગામની નાની ખડકીમાં રહેતા ગૌતમ ચંદુભાઈ પટેલનો મૃતદેહ ગામની સીમમાં મળી આવ્યો હતો. વાળંદના કુવા વાળા ખેતર નજીક રોડની ગટર પાસેથી બિનવારસી મળી આવેલા મૃતદેહને પોલીસ દ્વારા કબ્જો લઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોકટર દ્વારા PM કરાવતા મૃતકનું મોત થયા પાછળનું કારણ ગળુ દબાવવાથી થયું હોવાનું ખુલ્યુ હતું.

જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેણે કબૂલ કર્યું હતું કે, તેણીએ ચંદ્રકાંત પટેલ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને અવારનવાર આણંદ અમદાવાદ વગેરે જગ્યાઓએ મળવા જતા હતા.આ પ્રેમ સબંધમાં પતિ ગૌતમ અવરોધરૂપ બનતો હતો. જેથી બંને એકબીજાના પરિવારને ખતમ કરી નાખવાનું કાવતરું રચ્યું હતું, જે અનુસાર પહેલા ગૌતમની હત્યા કર્યા બાદ ચંદ્રકાંત તેની પત્ની પિતા અને ભત્રીજીને પણ મારવાનો હતો અને ત્યારબાદ બંને એક સાથે રહેવાના એકબીજાના સપના પૂરા કરવાના કોલ આપ્યા હતા.

દરમિયાન ગત તારીખ 11 તારીખના રોજ ચંદ્રકાંત એ પ્રેમિકા શીતલ સાથે મોબાઇલ પર સંપર્ક કરીને અમદાવાદથી પોતાની અલ્ટો 800 મારૂતિ કારમાં મહુધા તાલુકાના ભુમસ ગામે રહેતા મિત્ર મહેશ ઉર્ફે જીગા મનુભાઈ પરમાર સાથે પણસોરા ગામની સીમમાં આવેલ વાણંદના કુવા પાસે આવી ગયો હતો. જ્યાંથી તેણે શીતલને ફોન કરીને તેના પતિ ગૌતમ સાથે વાત કરી હતી અને ગૌતમને ઉઘરાણી કરવા માટે જવાનું છે. તેમ જણાવી વાળના કૂંવા પાસે બોલાવ્યો હતો. ગૌતમ પોતાનું બાઇક લઇને ત્યાં જતાં જ ચંદ્રકાંત એને પોતાની ગાડીની પાછળની સીટ પર બેસાડી દીધો હતો અને વાતચીત ચાલુ કરી હતી દરમિયાન એકદમ ચંદ્રકાંત તેનું ગળું પકડી લીધું હતું અને ડ્રાઇવર મહેશ દ્વારા ગૌતમને પકડી રાખીને હત્યા કરવામાં મદદગારી કરવામાં આવી હતી.આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ અમદાવાદનો રહેવાસી ચંદ્રકાંત નટુભાઈ પટેલ જે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેને કામ અર્થે અવારનવાર આણંદ જિલ્લાના મેઘવાં ગામે આવવાનું થતું હતુ. મેઘવામાં રહેતી એક પરણિત મહિલા શીતલ સાથે આ ચંદ્રકાન્તને અવાર નવાર મુલાકાતો થતી હતી. શીતલનો પતિ ગૌતમ પટેલ કે, જે ને ચંદ્રકાન્ત સાથે કૌટુંબિક મામાનો સબંધ થતો હતો.

ચંદ્રકાન્ત અને શિતલની વધતી જતી મુલાકાતોએ ધીરે ધીરે પ્રેમનું રૂપ લઈ બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં, પરંતુ બંનેના આ અનૈતિક સંબંધો વચ્ચે શીતલનો પતિ ગૌરાંગ વચ્ચે આવવાની બીક રાખી આ બનેએ ગૌતમને વચ્ચેથી દુર કરવા કાવતરું ઘડ્યું હતું.

"કળિયુગ નો કંસ" કુટુંબી મામાએ ભાણીયાની કરી હત્યા

મળતી વિગતો અનુસાર 12મી તારીખના રોજ મેઘવા ગામની નાની ખડકીમાં રહેતા ગૌતમ ચંદુભાઈ પટેલનો મૃતદેહ ગામની સીમમાં મળી આવ્યો હતો. વાળંદના કુવા વાળા ખેતર નજીક રોડની ગટર પાસેથી બિનવારસી મળી આવેલા મૃતદેહને પોલીસ દ્વારા કબ્જો લઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોકટર દ્વારા PM કરાવતા મૃતકનું મોત થયા પાછળનું કારણ ગળુ દબાવવાથી થયું હોવાનું ખુલ્યુ હતું.

જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેણે કબૂલ કર્યું હતું કે, તેણીએ ચંદ્રકાંત પટેલ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને અવારનવાર આણંદ અમદાવાદ વગેરે જગ્યાઓએ મળવા જતા હતા.આ પ્રેમ સબંધમાં પતિ ગૌતમ અવરોધરૂપ બનતો હતો. જેથી બંને એકબીજાના પરિવારને ખતમ કરી નાખવાનું કાવતરું રચ્યું હતું, જે અનુસાર પહેલા ગૌતમની હત્યા કર્યા બાદ ચંદ્રકાંત તેની પત્ની પિતા અને ભત્રીજીને પણ મારવાનો હતો અને ત્યારબાદ બંને એક સાથે રહેવાના એકબીજાના સપના પૂરા કરવાના કોલ આપ્યા હતા.

દરમિયાન ગત તારીખ 11 તારીખના રોજ ચંદ્રકાંત એ પ્રેમિકા શીતલ સાથે મોબાઇલ પર સંપર્ક કરીને અમદાવાદથી પોતાની અલ્ટો 800 મારૂતિ કારમાં મહુધા તાલુકાના ભુમસ ગામે રહેતા મિત્ર મહેશ ઉર્ફે જીગા મનુભાઈ પરમાર સાથે પણસોરા ગામની સીમમાં આવેલ વાણંદના કુવા પાસે આવી ગયો હતો. જ્યાંથી તેણે શીતલને ફોન કરીને તેના પતિ ગૌતમ સાથે વાત કરી હતી અને ગૌતમને ઉઘરાણી કરવા માટે જવાનું છે. તેમ જણાવી વાળના કૂંવા પાસે બોલાવ્યો હતો. ગૌતમ પોતાનું બાઇક લઇને ત્યાં જતાં જ ચંદ્રકાંત એને પોતાની ગાડીની પાછળની સીટ પર બેસાડી દીધો હતો અને વાતચીત ચાલુ કરી હતી દરમિયાન એકદમ ચંદ્રકાંત તેનું ગળું પકડી લીધું હતું અને ડ્રાઇવર મહેશ દ્વારા ગૌતમને પકડી રાખીને હત્યા કરવામાં મદદગારી કરવામાં આવી હતી.આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:સામાન્ય રીતે મામા ભાણેજ નો સબંધ અઢળક પ્રેમ થી બંધાયેલો હોય છે પરંતુ આણંદ જિલ્લાના ભાલેજ પાસે બનેલ એક ઘટના માં કૌટુંબિક મામા દ્વારા ભાણા ની ઠંડા કલેજે હત્યા કરવા આવી છે.


Body:પ્રાપ્ત માહિતી મુજબ મૂળ અમદાવાદનો રહેવાસી ચંદ્રકાંત નટુભાઈ પટેલ જે કોન્ટ્રાક્ટર નું કામ કરે છે તેને કામ અર્થે અવારનવાર આણંદ જિલ્લાના ભાલેજ પાસે આવેલ મેઘવાં ગામે આવવાનું થતું મેઘવામાં રહેતી એક પરણિત મહિલા શીતલ સાથે આ ચંદ્રકાન્ત ને અવાર નવાર મુલાકાતો થતી શીતલ નો પતિ ગૌતમ પટેલ કે જે ને ચંદ્રકાન્ત સાથે કૌટુંબિક મામા નો સબંધ થતો.

ચંદ્રકાન્ત અને સિતલ ની વધતી જતી મુલાકાતો એ ધીરે ધીરે પ્રેમ નું રૂપ લઈ બંને એક બીજાના બની બેઠા હતા પરંતુ બંનેના આ અનૈતિક સંબંધો વચ્ચે શીતલ નો પતિ ગૌરાંગ વચ્ચે આવી શકવાની બીક રાખી આ બને એ ગૌતમ ને વચ્ચે થી દુર કરવા કાવતરું ઘડ્યું હતું.

મળતી વિગતો અનુસાર ગત 12મી તારીખ ના રોજ મેઘવા ગામ ની નાની ખડકીમાં રહેતા ગૌતમ ચંદુભાઈ પટેલ ની લાસ ગામની સીમમાં મળી આવે,વાળંદના કુવા વાળા ખેતર નજીક રોડની ગટર પાસેથી બિનવારસી મળી આવેલ લાશને પોલીસ દ્વારા કબજો લઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોકટર દ્વારા પી.એમ કરાવતા મૃતકનું મોત થયા પાછળનું કારણ ગળુ દબાવવા થી થયું હોવાનું ખુલવા પામ્યું હતું જે અંગે મરણ જનાર ની પત્ની અને ઘરના સભ્યોએ ફરિયાદ કરવાનો ઇનકાર કરતાં પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને એવી માહિતી મળી હતી કે મરણ જનાર ગૌતમની પત્ની શીતલ અમદાવાદના ઓઢવમાં રહેતા ચંદ્રકાંત સાથે મોબાઇલ પર અવારનવાર લાંબો સમય વાતચીતો કરતી હતી અને બનાવના દિવસે પણ બંને વચ્ચે વાતચીત થઈ હતી જેથી પોલીસે શંકાના આધારે તેને ઉઠાવીને ભાલેજ પોલીસ મથકે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના કબૂલી હતી અને તેણે જ પોતાના પ્રેમી સાથે કાવતરું રચીને તેના પતિ ગૌતમ ની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો.

જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેણે કબૂલ કર્યું હતું કે તેણીએ ચંદ્રકાંત પટેલ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને અવારનવાર આણંદ અમદાવાદ વગેરે જગ્યાઓએ મળી પ્રેમાલાપ કરતા હતા આ પ્રેમ સબંધ નો પતિ ગૌતમ અવરોધરૂપ બનતો હતો જેથી બંને એકબીજાના પરિવારને ખતમ કરી નાખવાનું કાવતરું રચ્યું હતું જે અનુસાર પહેલા ગૌરાંગ ની હત્યા કર્યા બાદ ચંદ્રકાંત તેની પત્ની પિતા અને ભત્રીજી ને પણ મારવાનો હતો અને ત્યારબાદ બંને એક સાથે રહેવાના એકબીજાના સપના પૂરા કરવાના કોલ આપ્યા હતા દરમિયાન ગત તારીખ 11 તારીખના રોજ ચંદ્રકાંત એ પ્રેમિકા શીતલ સાથે મોબાઇલ પર સંપર્ક કરીને અમદાવાદથી પોતાની અલ્ટો ૮૦૦ મારૂતિ કારમાં મહુધા તાલુકાના ભુમસ ગામે રહેતા મિત્ર મહેશ ઉર્ફે જીગા મનુભાઈ પરમાર સાથે પણસોરા ગામની સીમમાં આવેલ વાણંદના કુવા પાસે આવી ગયો હતો જ્યાંથી તેણે શીતલને ફોન કરીને તેના પતિ ગૌતમ સાથે વાત કરી હતી અને ગૌતમને ઉઘરાણી કરવા માટે જવાનું છે તેમ જણાવી વાળના કુવા પાસે બોલાવ્યો હતો ગૌતમ પોતાનું બાઇક લઇને ત્યાં જતાં જ ચંદ્રકાંત એને પોતાની ગાડીની પાછળની સીટ પર બેસાડી દીધો હતો અને વાતચીત ચાલુ કરી હતી દરમિયાન એકદમ ચંદ્રકાંત તેનું ગળું પકડી લીધું હતું અને ડ્રાઇવર મહેશ દ્વારા ગૌતમ ને પકડી રાખીને હત્યા કરવામાં મદદગારી કરવામાં આવી હતી ત્યારબાદ લાશને ત્યાજ ફેંકી દઈને બન્ને શખ્સો ત્યાંથી રવાના થઈ ગયા હતા ચંદ્રકાંત પોતાના સાગરિત જીગા ને તેના ગામ ઉતારી આવ્યો હતો અને અમદાવાદ જતો રહ્યો હતો પોલીસે ચંદ્રકાંત પટેલ અને મહેશની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ અલટો કાર mobile phone વગેરે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મેઘવા ગામમાં રહેતી શીતલે પરપુરુષ સાથ ના પ્રેમ સંબંધમાં આંધળી થઈ ને પ્રેમી સાથે મળી પતિ ની હત્યા કરાવી નાખી છે જેમાં ભાલેજ પોલીસે તેની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે.અને શીતલ ને ૧૭ વર્ષની પુત્રી અને તેર વર્ષનો પુત્ર છે આ બંને બાળકો હાલ તેમના માતા-પિતા વગરના થઈ જવા પામ્યા છે જ્યારે હત્યારા ચંદ્રકાંત ને 23 વર્ષીય પુત્ર હોવાનું જાણવા મળ્યું છે પતિની હત્યામાં ધરપકડ કરાયેલ પત્ની નું પિયર વડોદરા થાય છે તેના લગ્ન મેઘવા ગામના ગૌતમ સાથે થયા હતા શીતલ શહેરની રહેણીકરણી વાળી હોવાના કારણે તેને ગામડામાં રહેવાનું ફાવતું ન હતું સમય વીતે તે અમદાવાદના ચંદ્રકાંત ના પ્રેમમાં પડી હતી અને બંનેએ પરિવારજનોની હત્યા કરી નાખવાનું કાવતરું રચી અને ગૌતમ નો ભોગ લીધો હતો ત્યારબાદ અમદાવાદમાં ફ્લેટ લઈ ત્યાં રહેવા જવાની પણ યોજના બનાવી હતી પોલીસની સતર્કતા એ આજે બીજા ત્રણ વ્યક્તિઓનો જીવ બચાવ્યો છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

બાઈટ: બી ડી જાડેજા (Dysp આણંદ)


Conclusion:
Last Updated : Jan 16, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.