ETV Bharat / state

બોરસદ-ગંભીરા માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ સ્થાનિકો દ્વારા ચક્કાજામ - borsad gambhira road

આણંદઃ જિલ્લાના ગંભીરા-બોરસદ રોડ પર થયેલા અકસ્માતે 10 વ્યક્તિઓનો ભોગ લીધો હતો. આ રસ્તા પર અવાર નવાર અકસ્માત થતાં હોય છે. જેને લઇ સ્થાનિકોમાં રોડના પ્રશ્નને લઇ તંત્રને અવાર નવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. પરિણામે સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર ઊતરી ચક્કાજામ કર્યો હતો.

બોરસદ-ગંભીર માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ સ્થાનિકો દ્વારા ચક્કાજામ
author img

By

Published : May 23, 2019, 2:16 AM IST

બોરસદ ગંભીરા માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જાવાની ઘટના તે વિસ્તારમાં સામાન્ય બની છે. વારંવાર થતા અકસ્માતોના કારણે સ્થાનિકો દ્વારા તંત્રને રોડ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ પ્રસરી જવા પામ્યો છે.

બોરસદ-ગંભીરા માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ સ્થાનિકો દ્વારા ચક્કાજામ

ગંભીરા રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો છે. આ માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો સ્થાનિક નાગરિકો નોકરી-રોજગાર અર્થે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. જે આસપાસના ગામડાઓમાંથી વડોદરા જિલ્લામાં નોકરી અર્થે અપડાઉન કરતા હોય છે. આવા લોકો અકસ્માતોમાં જીવ પણ ગુમાવી ચૂક્યા છે, માત્ર 300 રૂપિયા દિવસની મજૂરી એ જતા અને 40 કિલોમીટર જેટલું અપડાઉન કરતા આ મુસાફરો જીવના જોખમે આ માર્ગ પર રોજગાર અર્થે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રની ઘોર નિંદ્રાએ 10 લોકોના ભોગ લીધા હતા. જો આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ સ્પીડ લિમીટ બાંધવામાં આવે અને તેનો કડકાઈથી તંત્ર દ્વારા અમલ કરવામાં આવે તો અવારનવાર થતી આવી જીવલેણ ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેવી વાત સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે. ઉપરથી આ માર્ગ સીંગલપટ્ટી હોવાના કારણે લગભગ 22થી 25 ફૂટ જેટલો જ પોહળાઇ ધરાવે છે અને દિવસ દરમિયાન લાખો ભારે વાહનો અહીં વડોદરા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં યાતાયાત કરે છે.

બોરસદ ગંભીરા માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જાવાની ઘટના તે વિસ્તારમાં સામાન્ય બની છે. વારંવાર થતા અકસ્માતોના કારણે સ્થાનિકો દ્વારા તંત્રને રોડ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ પ્રસરી જવા પામ્યો છે.

બોરસદ-ગંભીરા માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ સ્થાનિકો દ્વારા ચક્કાજામ

ગંભીરા રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો છે. આ માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો સ્થાનિક નાગરિકો નોકરી-રોજગાર અર્થે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. જે આસપાસના ગામડાઓમાંથી વડોદરા જિલ્લામાં નોકરી અર્થે અપડાઉન કરતા હોય છે. આવા લોકો અકસ્માતોમાં જીવ પણ ગુમાવી ચૂક્યા છે, માત્ર 300 રૂપિયા દિવસની મજૂરી એ જતા અને 40 કિલોમીટર જેટલું અપડાઉન કરતા આ મુસાફરો જીવના જોખમે આ માર્ગ પર રોજગાર અર્થે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રની ઘોર નિંદ્રાએ 10 લોકોના ભોગ લીધા હતા. જો આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ સ્પીડ લિમીટ બાંધવામાં આવે અને તેનો કડકાઈથી તંત્ર દ્વારા અમલ કરવામાં આવે તો અવારનવાર થતી આવી જીવલેણ ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેવી વાત સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે. ઉપરથી આ માર્ગ સીંગલપટ્ટી હોવાના કારણે લગભગ 22થી 25 ફૂટ જેટલો જ પોહળાઇ ધરાવે છે અને દિવસ દરમિયાન લાખો ભારે વાહનો અહીં વડોદરા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં યાતાયાત કરે છે.

 એન્કર 

ગંભીરા બોરસદ રોડ પર ગતરોજના ગોઝારા અકસ્માતે 10 વ્યક્તિઓનો ભોગ લીધો હતો,જેને લઇ સ્થાનિક રહીશોમાં રોડ ના પ્રશ્નને લઇ તંત્ર ને અવાર નવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરતા સ્થાનિકો માં રોસ ભભુકી ઉઠ્યો હતો, પરિણામે આજે સવારે સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તા પર ઊતરી ચક્કાજામ કર્યા ના દ્રશ્યો સર્જાયા હતા.

બોરસદ ગંભીર માર્ગ પર દોડતા ભારે વાહનોને લઈ અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જાવાની ઘટના તે વિસ્તારમાં આમ બનવા પામી છે, વારંવાર થતા આવા અકસ્માતોના કારણે સ્થાનિકો દ્વારા તંત્રને રોડ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ન ભરાતા ગતરોજ ની ઘટનાએ સ્થાનિકોમાં રોષ પ્રસરી જવા પામ્યો છે,ગંભીરા રોડ પર ભારે વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો છે,આ માર્ગ પડથી દિવસ દરમિયાન હજારો સ્થાનિક નાગરિકો નોકરી રોજગાર ના અર્થે પ્રાઇવેટ સાધનોમાં મુસાફરી કરે છે જે આસપાસના ગામડાઓમાંથી વડોદરા જિલ્લામાં નોકરી અર્થે અપડાઉન કરતા હોય છે,પહેલા પણ અનેક નોકરીએ જતા લોકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી ચૂક્યા છે,માત્ર 300 રૂપિયા દિવસની મજૂરી એ જતા અને ૪૦ કિલોમીટર જેટલું અપડાઉન કરતા આ મુસાફરો જીવના જોખમે આ માર્ગ પર રોજગાર અર્થે યાતાયાત કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર ની  ઘોર નિદ્રાએ ગતરોજ 10 લોકોના ભોગ લીધા હતા, જો આ માર્ગ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ સ્પીડ લિમિટ બાંધવામાં આવે અને તેનો કડકાઈથી તંત્ર દ્વારા અમલ કરવામાં આવે તો અવારનવાર થતી આવી જીવલેણ ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેવી વાત સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે. ઉપરથી આ માર્ગ સીંગલપટ્ટી હોવાના કારણે લગભગ 22થી 25 ફૂટ જેટલો જ પોહળાઇ ધરાવે છે અને દિવસ દરમિયાન લાખો ભારે વાહનો અહીં વડોદરા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં યાતાયાત કરે છે જેના કારણે અંતરિયાળ રોડ આજે એક હાઇવે પરના ભારે ટ્રાફિક જેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ખાસ વિકાસના નામે ઉભા કરાયેલા નેશનલ હાઈવે પર લાદવામાં આવેલ ભારે ટોલ બચાવવા ઘણા વાહનચાલકો આ રોડનો ઉપયોગ વડોદરા જિલ્લામાં જવા માટે કરે છે. જેનો ભોગ ગતરોજ દસ વ્યક્તિઓ બન્યા છે, હાલ ગંભીર અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ ચરણ સીમાએ પહોંચીયો છે, ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર આ માર્ગ પર ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કયા પ્રકારના નક્કર પગલા ભરે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.