ETV Bharat / state

આણંદના રાલજ અને ધુવારણમાં NDRFની 2 ટુકડી તહેનાત - NDRFની 2 ટુકડી રાલજ અને ધુવારણમાં

આણંદ જિલ્લામાં તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે સ્થાનિકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ અહીં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની 2 ટુકડી રાલજ અને ધુવારણ ખાતે તહેનાત કરી દેવામાં આવી છે.

આણંદના રાલજ અને ધુવારણમાં NDRFની 2 ટુકડી તહેનાત
આણંદના રાલજ અને ધુવારણમાં NDRFની 2 ટુકડી તહેનાત
author img

By

Published : May 17, 2021, 4:29 PM IST

  • તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી NDRFની ટીમ પહોંચી ખંભાત
  • પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી
  • ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ

આણંદઃ તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લામાંં પણ તેની અસર જોવા મળી શકે છે, જેને ધ્યાનમાં રાખી ખંભાત તાલુકાના કાંઠા ગાળાના નીચાણવાળા વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્થાનિકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા NDRFની 2 ટુકડીઓ રાલજ અને ધુવારણ ખાતે તહેનાત રાખવામાં આવી છે.

પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી
પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી

આ પણ વાંચોઃ NDRFની ટીમ દાંડી દરિયા કિનારે પહોંચી

રાજ્ય સરકારે જરૂરી કાર્યવાહી હાથ ધરી
સમુદ્રમાં ઉદ્ભવેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગુજરાતના સમુદ્રના કિનારે અથડાવવાના જોખમને પગલે રાજ્ય સરકારે તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 2 મથકો પર NDRFની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.

ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ
ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ

આ પણ વાંચોઃ ગીરસોમનાથ જિલ્લામાં NDRFની ટીમનું આગમન

રાલજમાં સિકોતર માતાના મંદિર ખાતે NDRFના 22 જવાનો તહેનાત

રાલજમાં સિકોતર માતા મંદિર ખાતે NDRFના 22 જવાનો અને 22 જવાનોની ટુકડી ધુવારણ ખાતે રાખવામાં આવી છે, જે પૂરી તૈયારીઓ સાથે આપતી વખતે જરૂરી બચાવ માટેના સાધન સામગ્રી જેવી કે, વુડન ચેન કટર, એન્ગલ કટર, આર આર શૉ, ચિપિંગ હેમર, ડ્રિલ મશીન, બોલ્ટ કટર, રબરાઈઝ્ડ બોટ વિથ આઉટ બોર્ડ મશીન, લાઈફ જેકેટ, લાઈફબોય વગેરે જેવા બચાવના સાધનો સાથે તહેનાત રાખવામાં આવ્યા છે. આ વાવાઝોડાનું સંકટ ટળે અને જો નુકશાન થાય તો રાહત કામગીરી પૂર્ણ થયા સુધી જિલ્લામાં હાજર રહેશે.

  • તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી NDRFની ટીમ પહોંચી ખંભાત
  • પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી
  • ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ

આણંદઃ તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લામાંં પણ તેની અસર જોવા મળી શકે છે, જેને ધ્યાનમાં રાખી ખંભાત તાલુકાના કાંઠા ગાળાના નીચાણવાળા વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્થાનિકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા NDRFની 2 ટુકડીઓ રાલજ અને ધુવારણ ખાતે તહેનાત રાખવામાં આવી છે.

પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી
પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી

આ પણ વાંચોઃ NDRFની ટીમ દાંડી દરિયા કિનારે પહોંચી

રાજ્ય સરકારે જરૂરી કાર્યવાહી હાથ ધરી
સમુદ્રમાં ઉદ્ભવેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગુજરાતના સમુદ્રના કિનારે અથડાવવાના જોખમને પગલે રાજ્ય સરકારે તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 2 મથકો પર NDRFની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.

ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ
ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ

આ પણ વાંચોઃ ગીરસોમનાથ જિલ્લામાં NDRFની ટીમનું આગમન

રાલજમાં સિકોતર માતાના મંદિર ખાતે NDRFના 22 જવાનો તહેનાત

રાલજમાં સિકોતર માતા મંદિર ખાતે NDRFના 22 જવાનો અને 22 જવાનોની ટુકડી ધુવારણ ખાતે રાખવામાં આવી છે, જે પૂરી તૈયારીઓ સાથે આપતી વખતે જરૂરી બચાવ માટેના સાધન સામગ્રી જેવી કે, વુડન ચેન કટર, એન્ગલ કટર, આર આર શૉ, ચિપિંગ હેમર, ડ્રિલ મશીન, બોલ્ટ કટર, રબરાઈઝ્ડ બોટ વિથ આઉટ બોર્ડ મશીન, લાઈફ જેકેટ, લાઈફબોય વગેરે જેવા બચાવના સાધનો સાથે તહેનાત રાખવામાં આવ્યા છે. આ વાવાઝોડાનું સંકટ ટળે અને જો નુકશાન થાય તો રાહત કામગીરી પૂર્ણ થયા સુધી જિલ્લામાં હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.