ETV Bharat / state

લૉક ડાઉનના પગલે અમદાવાદમાં શાકભાજીના ભાવ થયા ડબલ - corona

અમદાવાદમાં કોરોનાને કોમ્યૂનિટીમાં ફેલાતો રોકવાના પગલાં વધુ સુદ્રઢ કરવાના ભાગરુપે એમએમસીએ નિર્ણય કર્યો છે કે ઘરના આંગણે શાકભાજીની રીક્ષાઓ પહોંચાડશે. જ્યારે શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયેલાં જોવા મળી રહ્યાં છે.

લૉક ડાઉનના પગલે અમદાવાદમાં શાકમાર્કેટમાં શાકના ભાવ થયાં ડબલ
લૉક ડાઉનના પગલે અમદાવાદમાં શાકમાર્કેટમાં શાકના ભાવ થયાં ડબલ
author img

By

Published : Mar 25, 2020, 3:38 PM IST

Updated : Mar 25, 2020, 4:10 PM IST

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી એપીએમસી શાકમાર્કેટને સાબરમતી રિવરફ્રન્ટના ગુજરીબજારના સ્થળે ખસેડવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાઇરસનો ફેલાવો રોકવા માટે શાકમાર્કેટ ખસેડવાનું નક્કી કર્યું છે એક મીટરના અંતરે ફેરીયા બેસે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકો પણ એક મીટરના અંતરે ઉભા રહે અને તમામ લોકો માસ્ક પહેરે તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. આજથી જમાલપુર માર્કેટને રિવરફ્રન્ટ ખાતે શિફ્ટ કરી દેવાયું છે, પરંતુ આ શાક માર્કેટમાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયેલા જોવા મળે છે.

શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ થયાં ડબલ
આ સિવાય પણ એએમસી દ્વારા કોરોનાનું કોમ્યુનિટીમાં ટ્રાન્સમિશન રોકવા માટે એક મહત્વનો બીજો નિર્ણય ડોર-ટુ-ડોર રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચવાનો પણ કરવામાં આવ્યો છે. હાલમાં મોટી સંખ્યામાં મહિલાઓ શાકમાર્કેટમાં શાકભાજી લેવા જાય છે ત્યાં ભીડ થાય છે. જેથી કોરોના વાઈરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો ઉભો થયો છે. મોટાભાગે લોકોને તેમના ઘર આગળ શાકભાજી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આજથી પરિવાર ઘરની બહાર શાકભાજી લેવા ન જાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યવસ્થા ગોઠવી છે. અમદાવાદ મ્યુનિસિપલનું જેટ વિભાગ શહેરમાં ડોર-ટુ-ડોર ફેરવી લોકોને શાકભાજી વેચશે.

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી એપીએમસી શાકમાર્કેટને સાબરમતી રિવરફ્રન્ટના ગુજરીબજારના સ્થળે ખસેડવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાઇરસનો ફેલાવો રોકવા માટે શાકમાર્કેટ ખસેડવાનું નક્કી કર્યું છે એક મીટરના અંતરે ફેરીયા બેસે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકો પણ એક મીટરના અંતરે ઉભા રહે અને તમામ લોકો માસ્ક પહેરે તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. આજથી જમાલપુર માર્કેટને રિવરફ્રન્ટ ખાતે શિફ્ટ કરી દેવાયું છે, પરંતુ આ શાક માર્કેટમાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયેલા જોવા મળે છે.

શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ થયાં ડબલ
આ સિવાય પણ એએમસી દ્વારા કોરોનાનું કોમ્યુનિટીમાં ટ્રાન્સમિશન રોકવા માટે એક મહત્વનો બીજો નિર્ણય ડોર-ટુ-ડોર રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચવાનો પણ કરવામાં આવ્યો છે. હાલમાં મોટી સંખ્યામાં મહિલાઓ શાકમાર્કેટમાં શાકભાજી લેવા જાય છે ત્યાં ભીડ થાય છે. જેથી કોરોના વાઈરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો ઉભો થયો છે. મોટાભાગે લોકોને તેમના ઘર આગળ શાકભાજી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આજથી પરિવાર ઘરની બહાર શાકભાજી લેવા ન જાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યવસ્થા ગોઠવી છે. અમદાવાદ મ્યુનિસિપલનું જેટ વિભાગ શહેરમાં ડોર-ટુ-ડોર ફેરવી લોકોને શાકભાજી વેચશે.
Last Updated : Mar 25, 2020, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.