ETV Bharat / state

ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાંથી ધર્મસભા લાઇવ કરાઈ

author img

By

Published : Apr 10, 2020, 3:29 PM IST

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઈને, આજે મેથોડિસ્ટ ચર્ચ રાયખડ ખાતે ગુડફ્રાઇડે નિમિત્તે ફેસબૂક લાઈવ દ્વારા સ્પેશ્યલ ભક્તિ સભાનું આયોજન કરવામાં આવેલું હતું.

ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાંથી  ધર્મસભા લાઇવ કરાઈ
ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાંથી ધર્મસભા લાઇવ કરાઈ

અમદાવાદઃ કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં લઈને, આજે મેથોડિસ્ટ ચર્ચ રાયખડ ખાતે ગુડફ્રાઇડે નિમિત્તે ફેસબૂક લાઈવ દ્વારા સ્પેશ્યલ ભક્તિ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. 2020 વર્ષ પહેલાં આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમણે મરણ પામતાં પહેલાં રોટલી અને દ્રાક્ષારસ તેમના શિષ્યોને આપ્યો હતો. પ્રભુ ઈસુની યાદગીરીને લઈને દરેક ખ્રિસ્તી લોકો ગુડ ફ્રાઈડેના રોજ આ રોટલી અને દ્રાક્ષારસ, જેને પ્રભુ ભોજન કહે છે. તે લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરે છે. ઈશ્વરનો આ પ્રિય પુત્ર ફરી ધરતી પર જન્મ લેશે અને તેનો ઉદ્ધાર કરશે તેવી આશા સેવે છે.

અમદાવાદઃ કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં લઈને, આજે મેથોડિસ્ટ ચર્ચ રાયખડ ખાતે ગુડફ્રાઇડે નિમિત્તે ફેસબૂક લાઈવ દ્વારા સ્પેશ્યલ ભક્તિ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. 2020 વર્ષ પહેલાં આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમણે મરણ પામતાં પહેલાં રોટલી અને દ્રાક્ષારસ તેમના શિષ્યોને આપ્યો હતો. પ્રભુ ઈસુની યાદગીરીને લઈને દરેક ખ્રિસ્તી લોકો ગુડ ફ્રાઈડેના રોજ આ રોટલી અને દ્રાક્ષારસ, જેને પ્રભુ ભોજન કહે છે. તે લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરે છે. ઈશ્વરનો આ પ્રિય પુત્ર ફરી ધરતી પર જન્મ લેશે અને તેનો ઉદ્ધાર કરશે તેવી આશા સેવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.