ETV Bharat / state

કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાને રદ કરવા પાટડી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Dec 3, 2020, 8:58 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા નવા કૃષિ કાયદાનો દિલ્હીમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે ખેડૂતોને સાથ આપવા માટે પાટડી કોંગ્રેસ સમિતિ ખેડૂતોના પડખે ઊભું રહ્યું છે. પાટડી કોંગ્રેસ સમિતિએ નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે પાટડી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતો સાથે કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકી પણ જોડાયા હતા.

કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાને રદ કરવા પાટડી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું
કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાને રદ કરવા પાટડી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું
  • કોંગ્રેસ સમિતિએ નવા કૃષિ કાયદાને રદ કરવા આવેદનપત્ર આપ્યું
  • કોંગ્રેસ ધારાસભ્ય નૈસાદ સોલંકી પણ ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા
  • પાટડી શહેર કોંગ્રેસના મહામંત્રી વિક્રમભાઈ ખેડૂતોના સપોર્ટમાં હુંકાર લગાવી હતી
  • મોદી સરકારે અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકી દીધાઃ કોંગ્રેસ

પાટડીઃ પાટડી શહેર કોંગ્રેસ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી રદ કરવા માગ કરાઈ છે. દસાડાના ધારાસભ્ય નૈસાદ સોલંકીના અધ્યક્ષસ્થાને પાટડી મામલતદારને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગ કરાઈ છે કે, કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરો. મોદી સરકારે 3 કાળા કાયદા અને દેશના 62 કરોડ અન્ન દાતાઓને મુઠ્ઠીભર મૂડી પતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાને રદ કરવા પાટડી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું
કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાને રદ કરવા પાટડી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું
કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

પંજાબ, હરિયાણા, યુપીના ખેડૂતો છેલ્લા 8 દિવસથી અન્નદાતા રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે. નવા કૃષિ કાયદાને રદ કરવા માટે પૂરજોશમાં આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અન્નદાતાના સપોર્ટમાં વિપક્ષો આવી રહ્યા છે. પાટડી શહેરના તથા આજુ બાજુના ગામડાના કોંગ્રેસ કાર્યકર્તાઓ ખેડૂતો આવેદન પાઠવવા ઉપસ્થિત થયા હતા. ખેડૂતો વિરોધી કાયદાને રદ કરવાની માગ કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટડી શહેરના તથા આજુબાજુ ગામડાના કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

  • કોંગ્રેસ સમિતિએ નવા કૃષિ કાયદાને રદ કરવા આવેદનપત્ર આપ્યું
  • કોંગ્રેસ ધારાસભ્ય નૈસાદ સોલંકી પણ ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા
  • પાટડી શહેર કોંગ્રેસના મહામંત્રી વિક્રમભાઈ ખેડૂતોના સપોર્ટમાં હુંકાર લગાવી હતી
  • મોદી સરકારે અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકી દીધાઃ કોંગ્રેસ

પાટડીઃ પાટડી શહેર કોંગ્રેસ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી રદ કરવા માગ કરાઈ છે. દસાડાના ધારાસભ્ય નૈસાદ સોલંકીના અધ્યક્ષસ્થાને પાટડી મામલતદારને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગ કરાઈ છે કે, કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરો. મોદી સરકારે 3 કાળા કાયદા અને દેશના 62 કરોડ અન્ન દાતાઓને મુઠ્ઠીભર મૂડી પતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાને રદ કરવા પાટડી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું
કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાને રદ કરવા પાટડી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું
કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

પંજાબ, હરિયાણા, યુપીના ખેડૂતો છેલ્લા 8 દિવસથી અન્નદાતા રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે. નવા કૃષિ કાયદાને રદ કરવા માટે પૂરજોશમાં આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અન્નદાતાના સપોર્ટમાં વિપક્ષો આવી રહ્યા છે. પાટડી શહેરના તથા આજુ બાજુના ગામડાના કોંગ્રેસ કાર્યકર્તાઓ ખેડૂતો આવેદન પાઠવવા ઉપસ્થિત થયા હતા. ખેડૂતો વિરોધી કાયદાને રદ કરવાની માગ કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટડી શહેરના તથા આજુબાજુ ગામડાના કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.