ETV Bharat / state

કેન્દ્ર સરકારે UGC અને AICTEને મર્જ નહીં કરવાનો નિર્ણય કર્યો

author img

By

Published : Apr 30, 2019, 6:30 PM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવી શિક્ષણનીતિ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી શિક્ષણ વ્યવસ્થામાં ઘણા ફેરફારો કરવાનું નક્કી કરાયું હતું. શિક્ષણવિદ્દો કહે છે કે, ખાસ કરીને ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓનું નિયમન જેના દ્વારા કરવામાં આવે છે તે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને દેશની સમગ્ર યુનિવર્સિટીઓનું સંચાલન કરનાર UGCને ભેગી કરી એક જ સંસ્થા કરવાનું નક્કી કરાયું હતું.

કેન્દ્ર સરકાર

જો કે, ટેકનિકલ કાઉન્સિલને UGC સાથે મર્જ કરવાનો અનેક સંચાલકો અને શિક્ષણવિદ્દોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી આ મુદ્દે કેટલાક સંચાલકોએ સુપ્રીમ કોર્ટમા પીટીશન પણ દાખલ કરી હતી જેમાં તેમણે આ નિર્ણય પર રોક લગાવવા જણાવ્યુ હતુ. જેથી ટેકનિકલ શિક્ષણ જગતમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા UGC અને AICTEને મર્જ નહીં કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે, હવે બન્ને સંસ્થા પોતાની રીતે અત્યાર સુધી જે રીતે કામગીરી કરતી હતી તે પ્રમાણે જ કરશે. જો કે, UGCમાં અત્યાર સુધીની કામગીરી જુદા જુદા સાત પ્રાદેશિક કેન્દ્રો દ્વારા કરવામાં આવતી હતી. સમગ્ર દેશની જુદી જુદી યુનિવર્સિટીઓએ ગ્રાન્ટ, ફેલોશીપ, જોડાણ સહિતના જુદા જુદા પ્રશ્નો માટે UGCની મુખ્ય ઓફિસે જવાને બદલે પ્રાદેશિક કેન્દ્રો પરથી જ કામગીરી થઇ જતી હતી.

સૂત્રો કહે છે છેલ્લા કેટલાય સમયથી પ્રાદેશિક કચેરીઓમાં અગાઉ જે કામગીરી થતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે સંચાલકો, પ્રોફેસરોએ હવે નછૂટકે યુજીસીની મુખ્ય ઓફિસ સાથે કામગીરી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ગુજરાતની યુનિવર્સિટી અને કોલેજોએ પ્રાદેશિક કચેરી પુના ખાતે જવું પડતું હતું. કેટલાક સંચાલકોએ આ મુદ્દે યુજીસીમાં રજૂઆત કરવાની તૈયારી પણ શરૂ કરી છે.

જો કે, ટેકનિકલ કાઉન્સિલને UGC સાથે મર્જ કરવાનો અનેક સંચાલકો અને શિક્ષણવિદ્દોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી આ મુદ્દે કેટલાક સંચાલકોએ સુપ્રીમ કોર્ટમા પીટીશન પણ દાખલ કરી હતી જેમાં તેમણે આ નિર્ણય પર રોક લગાવવા જણાવ્યુ હતુ. જેથી ટેકનિકલ શિક્ષણ જગતમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા UGC અને AICTEને મર્જ નહીં કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે, હવે બન્ને સંસ્થા પોતાની રીતે અત્યાર સુધી જે રીતે કામગીરી કરતી હતી તે પ્રમાણે જ કરશે. જો કે, UGCમાં અત્યાર સુધીની કામગીરી જુદા જુદા સાત પ્રાદેશિક કેન્દ્રો દ્વારા કરવામાં આવતી હતી. સમગ્ર દેશની જુદી જુદી યુનિવર્સિટીઓએ ગ્રાન્ટ, ફેલોશીપ, જોડાણ સહિતના જુદા જુદા પ્રશ્નો માટે UGCની મુખ્ય ઓફિસે જવાને બદલે પ્રાદેશિક કેન્દ્રો પરથી જ કામગીરી થઇ જતી હતી.

સૂત્રો કહે છે છેલ્લા કેટલાય સમયથી પ્રાદેશિક કચેરીઓમાં અગાઉ જે કામગીરી થતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે સંચાલકો, પ્રોફેસરોએ હવે નછૂટકે યુજીસીની મુખ્ય ઓફિસ સાથે કામગીરી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ગુજરાતની યુનિવર્સિટી અને કોલેજોએ પ્રાદેશિક કચેરી પુના ખાતે જવું પડતું હતું. કેટલાક સંચાલકોએ આ મુદ્દે યુજીસીમાં રજૂઆત કરવાની તૈયારી પણ શરૂ કરી છે.

R_GJ_AMD_08_30_APRIL_2019_AICTE_UGC_SAMASYA_STORY_YASH_UPADHYAY_AMD

અમદાવાદ.....

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને એઆઇસીટીઇને ભેગા કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા હવે પડતો મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં હવે યુજીસી અને એઆઇસીટીઇ બન્ને સ્વતંત્ર રીતે જ કામ કરશે તેવું નક્કી કરાયું છે. બીજીબાજુ યુજીસીના પ્રાદેશિક કેન્દ્રોમાં જે કામગીરી થતી હતી તે બંધ કરી દેવામાં આવતાં શૈક્ષણિક સંસ્થાઓ માટે હવે નવી મુશ્કેલી ઊભી થઇ છે. 

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે શિક્ષણ વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફારો કરવાનું નક્કી કરાયું હતું. શિક્ષણવિદ્દો કહે છે કે ખાસ કરીને ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓનું નિયમન જેના દ્વારા કરવામાં આવે છે તે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) અને દેશની સમગ્ર યુનિવર્સિટીઓનું સંચાલન જેના માધ્યમથી થાય છે તે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ને ભેગી કરીને એક જ સંસ્થા કરવાનું નક્કી કરાયું હતું. જોકે, ટેકનિકલ કાઉન્સિલને યુજીસી સાથે મર્જ કરવાનો અનેક સંચાલકો અને શિક્ષણવિદ્દોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મુદ્દે કેટલાક સંચાલકોએ સુપ્રીમ કોર્ટમા રિટ પણ કરી હતી. જેમાં આ પ્રકારના નિર્ણય પર રોક લગાવવામાં આવી હતી. જેના કારણે ટેકનિકલ શિક્ષણ જગતમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી. 

શિક્ષણ વિભાગના સૂત્રો કહે છે હવે કેન્દ્ર સરકાર દ્વારા યુજીસી અને એઆઇસીટીઇને મર્જ નહીં કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે હવે બન્ને સંસ્થા પોતાની રીતે અત્યાર સુધી જે રીતે કામગીરી કરતી હતી તે પ્રમાણે જ કરશે. જોકે, યુજીસીમાં અત્યાર સુધીની કામગીરી જુદા જુદા સાત પ્રાદેશિક કેન્દ્રો દ્વારા થતી હતી. એટલે કે સમગ્ર દેશની જુદી જુદી યુનિવર્સિટીઓએ ગ્રાન્ટ, ફેલોશીપ, જોડાણ સહિતના જુદા જુદા પ્રશ્નો માટે યુજીસીની મુખ્ય ઓફિસમાં જવાના બદલે પ્રાદેશિક કેન્દ્રો પરથી જ કામગીરી થઇ જતી હતી. 

સૂત્રો કહે છે છેલ્લા કેટલાય સમયથી પ્રાદેશિક કચેરીઓમાં અગાઉ જે કામગીરી થતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે સંચાલકો, પ્રોફેસરોએ હવે નછૂટકે યુજીસીની મુખ્ય ઓફિસ સાથે કામગીરી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ગુજરાતની યુનિવર્સિટી અને કોલેજોએ પ્રાદેશિક કચેરી પુના ખાતે જવું પડતું હતું. કેટલાક સંચાલકોએ આ મુદ્દે યુજીસીમાં રજૂઆત કરવાની તૈયારી પણ શરૂ કરી છે.




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.