ETV Bharat / state

આ રજવાડી વાઘા પહેરીને નાથ નીકળશે નગરયાત્રા પર...

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આડે હવે ગણતરીના દિવસો છે, ત્યારે ભગવાન જગન્નાથ માટે અલગ અલગ પ્રકારના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. જે પહેરીને જગતના નાથ નગરચર્યાએ નીકળશે.

author img

By

Published : Jun 24, 2019, 7:44 PM IST

આ રજવાડી વાઘા પહેરીને નાથ નીકળશે નગરયાત્રા પર...

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે 4થી જુલાઈએ નાથ નગરચર્યાએ નીકળશે. જેમાં આ વર્ષે જગન્નાથજી રજવાડી સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપશે. આ રજવાડી લુક માટે ભગવાન જગન્નાથજીની ખાસ ચાંદીની યદુવંશી પાઘડી તથા તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. છેલ્લા 17 વર્ષથી વાઘા બનાવતા સુનિલભાઈ જણાવે છે કે, લાલ રંગ શુભ હોવાથી આ વર્ષે ભગવાન માટે લાલ રંગના રજવાડી વાઘા તૈયાર થયા છે.

આ રજવાડી વાઘા પહેરીને નાથ નીકળશે નગરયાત્રા પર...

દર વર્ષે વાઘામાં કંઈક નવી અને અલૌકીક થીમ તૈયાર થાય છે. ત્યારે આ વખતે પણ રજવાડી વેશમાં ભગવાન દર્શન આપશે. ભગવાનની સૌથી પ્રિય એવી ગાયો પણ તેમના વાઘાઓમાં મુકવામાં આવી છે. તો સાથે જ એક વાઘો, લીલા રંગમાં સ્પેશિયલી મોર તથા પોપટના આભલાથી કલાત્મક રીતે ઉકેરવામાં આવ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ, અનેરા ઉત્સાહ સાથે વ્હાલાના વધામણા કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે અને આ વર્ષે તો ખાસ...રજવાડી વાઘા અને રજવાડી ઠાઠ સાથે પ્રભુ ક્યારે ભક્તોને દર્શન આપે તે માટે ભાવિકો આતુર છે.

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે 4થી જુલાઈએ નાથ નગરચર્યાએ નીકળશે. જેમાં આ વર્ષે જગન્નાથજી રજવાડી સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપશે. આ રજવાડી લુક માટે ભગવાન જગન્નાથજીની ખાસ ચાંદીની યદુવંશી પાઘડી તથા તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. છેલ્લા 17 વર્ષથી વાઘા બનાવતા સુનિલભાઈ જણાવે છે કે, લાલ રંગ શુભ હોવાથી આ વર્ષે ભગવાન માટે લાલ રંગના રજવાડી વાઘા તૈયાર થયા છે.

આ રજવાડી વાઘા પહેરીને નાથ નીકળશે નગરયાત્રા પર...

દર વર્ષે વાઘામાં કંઈક નવી અને અલૌકીક થીમ તૈયાર થાય છે. ત્યારે આ વખતે પણ રજવાડી વેશમાં ભગવાન દર્શન આપશે. ભગવાનની સૌથી પ્રિય એવી ગાયો પણ તેમના વાઘાઓમાં મુકવામાં આવી છે. તો સાથે જ એક વાઘો, લીલા રંગમાં સ્પેશિયલી મોર તથા પોપટના આભલાથી કલાત્મક રીતે ઉકેરવામાં આવ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ, અનેરા ઉત્સાહ સાથે વ્હાલાના વધામણા કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે અને આ વર્ષે તો ખાસ...રજવાડી વાઘા અને રજવાડી ઠાઠ સાથે પ્રભુ ક્યારે ભક્તોને દર્શન આપે તે માટે ભાવિકો આતુર છે.

R_GJ_AHD_07_24_JUNE_2019_RATHYATRA_VAGHA_SPECIAL_STORY_RATHYATRA_ISHANI__PARIKH

ભગવાનના વાધા રથયાત્રા સ્પેશ્યલ સ્ટોરી 
 
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા... આ વખતે જગન્નાથજી રજવાડી સ્વરૂપમાં દર્શન આપશે


અમદાવાદ :
 
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે દર  વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે ગુરુવાર 4 જુલાઈ ના  રોજ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળશે. જેમા જગન્નાથજી રજવાડી સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપશે.

અમદાવાદની રથયાત્રામાં હાથી,  અખાડા અને  ટ્રકો સાથે ભજન મંડળીઓ જોડાશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને રજવાડી સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. 

આવા સમયે છેલ્લા ૧૭ વર્ષથી વાઘ બનાવતા સુનિલભાઈ જણાવે છે કે,"દર વર્ષે ભગવાન ના વાઘા બનવાનો આનંદ અનેરો હોય છે. દર વર્ષે ભગવાન જયારે નગરચર્યા કરવા નીકળે ત્યારે જુદા જુદા વાઘા માં ભગવાન ને જોઈને લોકોને પણ આનંદ થતો હોય છે. આ વર્ષે ભગવાન લાલ રંગના વાઘ પહેરી નગરચર્યા કરવા નીકળશે. તેની સાથે ફ્લોરોસેંટ કલરના વાઘા અને પર્પલ કલરના વાઘ પણ પહેરશે ભગવાન એકમ ના દિવસે."

વધારે માં સુનિલભાઈ જણાવે છે કે," જગન્નાથ ભગવાનને ગયો ખુબ જ વહાલી છે તે સૌ કોઈ જાણે છે જેના લીધે આ વર્ષે થીમ ગે ની આપી છે અને દરેક વાઘામાં ગયો ને મુકવાનો પ્રયાસ કરેલો છે." 

________________________


વિઝ્યુઅલ્સ FTP થી મોકલેલ છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.