ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો કહેર, પોઝિટિવ કેસની સંખ્યા 1100ને પાર

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે નવા 12 કેસ નોંધાતા કુલ આંકડો 1106 થયો છે.

author img

By

Published : Jul 21, 2020, 10:36 PM IST

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 298 અને સાણંદમાં 256 પર પહોંચ્યો છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. આ સાથે દસક્રોઈમાં 201, બાવળામાં 120 કોરોના કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 36, વિરમગામમાં 120, બાવળામાં 118 અને માંડલ તાલુકામાં 41 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 58 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.60 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 42 હજાર જેટલા ઘરોનું સર્વેલંસ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનીટાઇઝેશન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 298 અને સાણંદમાં 256 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 298 અને સાણંદમાં 256 પર પહોંચ્યો છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. આ સાથે દસક્રોઈમાં 201, બાવળામાં 120 કોરોના કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 36, વિરમગામમાં 120, બાવળામાં 118 અને માંડલ તાલુકામાં 41 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 58 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.60 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 42 હજાર જેટલા ઘરોનું સર્વેલંસ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનીટાઇઝેશન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 298 અને સાણંદમાં 256 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.