શેના મકરબા વિસ્તારમાં રહેતા અરજદાર બાબુભાઈ વાઘેલાએ બદનક્ષીની ફરિયાદમાં દલીલ કરી હતી કે તેઓ ICICI બેંકના શેર-હોલ્ડર હોવા છતાં વાર્ષિક સભાની બેઠકમાં ભ્રષ્ટાચારને લગતા સવાલ કરતા અધિકારીઓ તેમને જવાબ આપ્યા ન હતાં. બેંક તરફથી વર્ષ 2013માં વડોદરા સિવિલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી કે બાબુભાઈને વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપવામાં આવે. આ કેસ ICICIના પૂર્વ ચેરમેન ચંદા કોચર દ્વારા કરવામાં આવ્યો હતો જોકે 2017માં પરત ખેંચી લેવામાં આવ્યો હતો.
વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાંથી બાકાત રાખવા મુદ્દે અરજદાર તરફથી નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં બેંક તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો, જેથી નિવૃત્ત અરજદારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા બદનક્ષીનો દાવો અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.