ETV Bharat / state

આર્ટિકલ 15 ફિલ્મને લગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટે નકારી

અમદાવાદઃ દલિતો પરના અત્યાચારને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ ‘આર્ટિકલ 15’ વિરૂદ્ધ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રિટને ફગાવી દીધી હતી.

author img

By

Published : Jul 4, 2019, 11:48 PM IST

AHD

આ રિટમાં ફિલ્મની સ્ક્રિનિંગને અટકાવવા માટેની દાદ માગવામાં આવી હતી. અરજદાર જીગર મહેતા દ્વારા કરવામાં આવેલી રિટમાં એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યાં હતાં કે, આ ફિલ્મમાં કેન્દ્રમાં બદાયું ગેંગરેપ છે. જેના આધારે જ ફિલ્મ બનાવવામાં આવી છે. જે મૂળ ઘટનામાં આરોપીઓ એક ચોક્કસ સમુદાયના લોકો હતાં. પરંતુ આ ફિલ્મમાં તેનાથી વિપરીત હકીકત દર્શાવવામાં આવી છે. અને તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં આરોપીઓ તરીકે બ્રાહ્મણોને ચિતરવામાં આવ્યાં છે.

આ ફિલ્મ સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવે એવી છે. બ્રાહ્મણ સમુદાય આપણા સમાજનો સજ્જન વર્ગ છે. જે સામાન્ય રીતે કોઇ પણ વિવાદમાં પડવા માગતા હોતાં નથી. ત્યારે આ પ્રકારે ફિલ્મોમાં આ સમાજને લાંછન લગાવે એવી રીતે દર્શાવવામાં આવ્યાં છે. તેથી ફિલ્મને દર્શાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તે માટે જાહેર હીતની અરજી કરવામાં આવી હતી.

જેમાં સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રિટને નકારી છે.

આ રિટમાં ફિલ્મની સ્ક્રિનિંગને અટકાવવા માટેની દાદ માગવામાં આવી હતી. અરજદાર જીગર મહેતા દ્વારા કરવામાં આવેલી રિટમાં એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યાં હતાં કે, આ ફિલ્મમાં કેન્દ્રમાં બદાયું ગેંગરેપ છે. જેના આધારે જ ફિલ્મ બનાવવામાં આવી છે. જે મૂળ ઘટનામાં આરોપીઓ એક ચોક્કસ સમુદાયના લોકો હતાં. પરંતુ આ ફિલ્મમાં તેનાથી વિપરીત હકીકત દર્શાવવામાં આવી છે. અને તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં આરોપીઓ તરીકે બ્રાહ્મણોને ચિતરવામાં આવ્યાં છે.

આ ફિલ્મ સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવે એવી છે. બ્રાહ્મણ સમુદાય આપણા સમાજનો સજ્જન વર્ગ છે. જે સામાન્ય રીતે કોઇ પણ વિવાદમાં પડવા માગતા હોતાં નથી. ત્યારે આ પ્રકારે ફિલ્મોમાં આ સમાજને લાંછન લગાવે એવી રીતે દર્શાવવામાં આવ્યાં છે. તેથી ફિલ્મને દર્શાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તે માટે જાહેર હીતની અરજી કરવામાં આવી હતી.

જેમાં સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રિટને નકારી છે.

Intro:દલિતો પરના અત્યાચારોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ ‘આર્ટિકલ 15’ વિરૂદ્ધ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રિટને કાઢી નાખી હોવાની વિગતો સામે આવી છે.

Body:આ રિટમાં ફિલ્મની સ્ક્રિનિંગને અટકાવવા માટેની દાદ માગવામાં આવી હતી. અરજદાર જીગર મહેતા દ્વારા કરવામાં આવેલી રિટમાં એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યાં હતાં કે આ ફિલ્મમાં કેન્દ્રમાં બદાયું ગેંગરેપ છે. જેના આધારે જ ફિલ્મ બનાવવામાં આવી છે. જે મૂળ ઘટનામાં આરોપીઓ એક ચોક્કસ સમુદાયના લોકો હતાં. પરંતુ આ ફિલ્મમાં તેનાથી વિપરીત હકીકત દર્શાવવામાં આવી છે અને તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં આરોપીઓ તરીકે બ્રાહ્મણોને ચિતરવામાં આવ્યાં છે. Conclusion:આ ફિલ્મ સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવે એવી છે. બ્રાહ્મણ સમુદાય આપણા સમાજનો સજ્જન વર્ગ છે. જે સામાન્ય રીતે કોઇ પણ વિવાદમાં પડવા માગતા હોતાં નથી. ત્યારે આ પ્રકારે ફિલ્મોમાં આ સમાજને લાંછન લગાવે એવી રીતે દર્શાવવામાં આવ્યાં છે. તેથી ફિલ્મને દર્શાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.